SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 341 અકાળે મૃત્યુ થતાં કાળ પ્રત્યેનો આક્રોશ ઠાલવતાં કહે છે. છો કાળ આવે, શિશિરોય આવે ને પુષ્પ Éળાં દવમાં પ્રજાને સુકોમળ દેહકળી અરે, અરે વસંતની ફૂંક મહીં ખરી પડી” 150 પહેલાં નિયતિ સામે આક્રોશ, ને પછી લાચારી વ્યક્ત થઈ છે. “છો કાળ આવે, શિશિરોય આવે’ પાછળ પોતેજ ડોનાલ્ફસના કરેલ અનુવાદ “તું છે વસંત'માંના “આવે શિશિર કૂર કાળ ભલે તહીં તો”ની અને આત્મ તપન-શોધન અંગે દાત્તેની અસર ઉમાશંકરે નોંધી છે. કાલનું પગેરું શોધી, પ્રચંડ કાળને રિઝવવા મથતી, આંસુઝરતાં નયનથી કંઈક કહેતી સાવિત્રીની હૃદયવ્યથા કવિએ “સાવિત્રી'માં વર્ણવી છે. ને આ સાવિત્રી અંતે કાળદેવનેય રિઝવવા સમર્થ બને છે. ને કાળદેવ પાસે આત્મતત્ત્વવિદ્યાનું, રહસ્યજ્ઞાનનું વરદાન માગે છે. “જીવન મૃત્યુ' નામક સાત ખંડના લાંબા કાવ્યમાં મહાકાળની વિજીગિષાના અનુભવને કવિએ ગૂંથ્યો છે. “કવિ રાજેન્દ્ર શાહનું ચિંતન નિર્મળ છે. ને દૃષ્ટિ શુભ છે. તેથી જ લોકોની દૃષ્ટિએ કાળું ઘોર ભૂ ભખ વિકરાળ મુખ ધરાવતો બિહામણો “કાલ' કવિને બંને હાથે ગુલાબ વેરતો લાગે છે.” પમૃત્યુના કિનખાબી પડદાને કવિ રાજેન્દ્ર અંતરાયરૂપ ગણાવતાં, વચ્ચે સમય-કાળને જ અવધાનરૂપ ગણાવે છે. આ સમય એ જ મૃત્યુ. અહીં કાળ અને મૃત્યુ એકબીજાના પર્યાય બની રહે છે. કાળ ધારે ત્યારે અને તો જ જીવનું શિવ સાથે મિલન કરાવે. “આજની કથામાં એક એક ડગલું નજીક આવી રહેલા કાળની વાત કરાઈ છે. પાંપણના પલકારામાં રમતો રમતો આવી પહોંચેલો કાળ “હાર'માં વર્ણવાયો છે. કાળ પાસે નાના મોટાના ભેદ ન હોવાની વાત પણ અહીં કરાઈ છે. તો “ફરી જુદ્ધ' (“શાંત કોલાહલ)માં રાજેન્દ્ર શાહ કાળને કાયહીન, બલવાન પલવેશધારી મહારિપુ તરીકે ઓળખાવે છે. અંધારમય અશરીરી એ મહારિપુ સતત પોતાની પાંખ વીંઝી ધસતો દીસે છે. કાલતીર્થ ભૂમિ પર યુગે યુગે એક યજ્ઞ મંડાય છે. (‘અગ્નિ, તેજ, આગ અને ભસ્મ' વિષાદને સાદી) જેમાં ઋચાઓ, ઋત્વિજ, ઉદ્દગાતા, ઋષિ, ધ્યાતા બધું જ નવું લાગે છે. કવિ અહીં સૌને સમયના નિર્વાસિત થયેલાઓ તરીકે ઓળખાવે છે. કાળના પ્રહારે ગંધ, નામ, રૂપ, રંગ બધું જ સ્વાહા થઈ જાય છે. માનવની વ્યાપ્તિ નિઃશેષમાં થઈ જાય છે. ને ફરી જ્વાલાપુંજમાંથી અમીકુંજ લઈ પ્રભવે છે એક આભાપુરુષ” (“નવજન્મ') “કાળનો કવલ” (“કાસુપર્ણા')માં કવિ કાળને જીતવાની વાત કરે છે. - કાલના અસીમ અબ્ધિની વાત “કાલાબ્ધિને કાંઠેમાં બાલમુકુંદ કરી છે. અતાગ કાળને કવિ નમન કરે છે. કાળના આદિ અંતનો તાગ મળતો નથી. “અસીમ અધેિ કાલનો ન આદિ અંતનો ક્યહીં મળેય તાગ રે આ અથાગ રે” પર સચરાચરમાં કાળનું વર્ચસ્વ હોવા છતાં કાળ અલિપ્ત અને અકર્મ છે. અખંડ ઊંઘતો છતાં સજાગ છે. પ્રજાનાં મહાકુલોની કારવાં અશેષ થશે ત્યારે પણ એક માત્ર કાળ તો અનંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy