________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 339 હું મારા મરણનો તારા મરણનો આપણા મરણનો સર્જક થઈશ” 183 સુરેશ દલાલની કવિતામાં પ્રેમ અને મૃત્યુનું સામ્ય તો જુઓ કવિ કહે છે. મેં એમના કાગળ પર સહી કરી * પછી મને ખબર પડી કે એ મૃત્યુનો કાગળ હતો” જ પ્રેમમાં મૃત્યુય શ્રેયસ્કર તેથી હવે તો'નો કાવ્યનાયક ચૂપચાપ આ સૃષ્ટિમાંથી રજા લેવા તૈયાર છે. પ્રિયતમ સાથેના સંબંધને કાવ્યનાયિકા સ્થળકાળનાં બંધનથી પર તથા શાશ્વત ગણાવે છે. પ્રીતનું કોમળ સ્પંદન ટૂલ થઈને ફોરે વ્હોરે છે. (“જનમ જનમથી') ને જનમમરણની છીપમાં મિલનનું (કોઈ રસ્તાની ધારે ધારે) મોતી બંધાય છે. પ્રેમને ‘વ્યાખ્યાથી પર માનતા' કવિ “કશું જ જોવું નથી'માં પ્રિયજનના સતત સાન્નિધ્યની ઝંખના કરે છે. - કવિ પિનાકિન ઠાકોર પ્રેમના પાશને અજિત કહે છે. (“પ્રીતિ અજિત) માનવને એક પ્રવાસી તરીકે ઓળખાવતા કવિ પ્રયાણ સમયે પાય પકડી લેતા માનવની પ્રીતઝંખનાને શબ્દબદ્ધ કરે છે. હેમંત દેસાઈનો કાવ્યનાયક (‘આધાર વિના') સ્વજન પ્રિયતમાને બને તો મૃત્યુના દ્વારમાં મળવાનું કહે છે. મારા વિશેની વાત બધી લઈ આવજો ન મળજો મને બને તો મૃત્યુના દુવારમાં” 145 હીરાબ્લેન પાઠકે તો પ્રેમ અને મૃત્યુને એવા તો ગૂંથી આપ્યા છે કે, અવશ બની સદ્દગત પતિને, પ્રેમબળેજ પત્રો લખી નાખે છે. પ્રેમ પર અતૂટ વિશ્વાસ ધરાવનાર આ કવયિત્રી અહીં ભ્રમણાની રમણામાં એવાં તો ગળાબૂડ રહે છે કે કોઈ ચૈતસિક અનુભવ પણ પામે છે. એમની દુર્ભાગી જલછાથી દૃષ્ટિને શુભ્રોક્વલ વસ્ત્રાન્તનો હજીયે જાણે સ્પર્શ અનુભવાય છે. પરલોકમાંથી પ્રિયજનનો પત્ર આવ્યાની પ્રતીતિ સદેહે મિલન ને દઢાશ્લેષનો જાણે અનુભવ કરાવે છે. જ “હું રળિયાત ભીતરે બહાર અંતરે અણુઅણુ અંકુરિત” 140 પ્રેમ મૃત્યુની પરવા નથી કરતો એ અહીં પણ પ્રમાણાયું છે. કાલગંગાને કાંઠે તેઓ આઠેય પહોર પતિની પ્રતીક્ષા કરે છે. પ્રેમના સંગીતની સરગમ સૂરાવલિએ કવયિત્રી સગત પતિની આકૃતિ આલેખે છે. મનમાં મનમાં પોતાના હાથની આંગળીઓ વડે એમજ પતિનું સ્થિર શિલ્પ રચે છે. પછી એ શિલ્પમાંથી જાણે પોતાના નેત્રમાં અવિકલ્પ તેજ પૂરે છે. અમૂર્તને મૂર્ત બનાવી એનો આનંદ માણતા હોય ત્યાં ઘડીભર જાણે એ હાથ હલી ઊઠ્યાનો, મોં મલકી રહ્યાનો, નેણ ઝબકી ઊઠ્યાનો તેમજ વેણની છાલકનો અનુભવ થાય. પ્રિયજનનો ચહેરો કંડારવાના મનસૂબા સાથે ઘડીભર કાળનેય તેઓ ખસેડી નાખવા ચહે છે. પ્રેમના અદ્વૈતની આ પરિસીમા છે. જ્યાં “મૃત્યુ' જેવો શબ્દ જ કદાચ નથી. સદૂગત સાથેના પ્રેમનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust