SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 33 વિશે શબવત ખામોશી રાખવા પ્રયત્ન કરીએ છીએ.” એ વાત પર ફોઈડ ખાસ ભાર મૂક્યો છે. પોલ દિલીચે અસ્તિત્વવાદી વ્યગ્રતાનું બહુ વ્યવસ્થિત પૃથ્થકરણ કર્યું છે. તેઓ કિહે છે, “મૃત્યુની ચિંતા મૂળભૂત, સાર્વત્રિક અને અનિવાર્ય છે. તેને દલીલોથી દૂર કરી શકાતી નથી. આત્માની અમરતાના સિદ્ધાંતની સાબિતી પણ આ વ્યગ્રતાને દૂર કરી શકતી નથી. અસ્તિત્વવાદ સિવાયના ફિલસૂફીના ગ્રંથોમાં મૃત્યુ વિશે વ્યાપક નિર્દેશ બહુ ઓછો જોવા મળે છે. હર્બટ માર્કસ (“મૃત્યવિષયક વિચારધારા') “મૃત્યુનો જ્ઞાન સાથે સ્વીકાર કરવાની વાતને માનવના જન્મસિદ્ધ હક્ક તરીકે ઓળખાવે છે. તેઓ માને છે કે શરીરની બંધિયાર અવસ્થામાં આપણે સૌ કેદ છીએ. હર્બટ માર્કસ માનવસમાજને વ્યવસ્થિત કરવા મૃત્યુના અસ્તિત્વને જરૂરી માને છે તથા ન્યાયપૂર્ણ પણ. ફેડરીક હોફમેન (‘મયતા અને અદ્યતન સાહિત્ય') પોતાના લેખમાં વીસમી સદીના સાહિત્યમાં થયેલા મૃત્યવિષયક નિરૂપણની વિશિષ્ટતાઓનો નિર્દેશ કરે છે. “માનવ, વિશ્વયુદ્ધની અસરને કારણે આધુનિક સાહિત્યમાં “શબ' વિષયક વાતો વધુ ઉલ્લેખાઈ છે. ફેડરિક અમરતાના ભ્રામક વળગણને નિરાશાજનક ગણાવે છે. તેઓ કહે છે, “શેતાને એનું માઈથોલોજીકલ આકાર તરીકેનું સ્થાન ગુમાવી દીધું છે. વીસમી સદીમાં દુઃખદ અંધશ્રદ્ધાનો અંત આવે છે. મૃત્યુને દૂર ધકેલવાનું, તેમજ પૃથ્વી પર સ્વર્ગીય શહેરને સ્થાપવાનું વિજ્ઞાનનું કાર્ય સરળ થતું જાય છે. વિજ્ઞાનના મુખ્ય હેતુઓમાંનો મહત્ત્વનો એક હેતુ એ છે કે “મૃત્યુને દૂર કરવાના પ્રયાસ વિશે વિચારવું' મૃત્યુના નાશ વિશે વિજ્ઞાને કામ કરવાનું છે. જો કે એ સાચું છે કે કોઈ વૈજ્ઞાનિકે મૃત્યુને દૂર કરવાની ન તો શક્તિ બતાવી છે કે નથી તો એનો સંપૂર્ણ નાશ કરવાની આશા ધરાવી છે. ત્રાસદાયક હિંસા અને તનાવભર્યું જીવન એલિયટ, એઝરા પાઉન્ડ, જોય્યસ તથા ફોકનર ને ચિંતન કરવા પ્રેરે - હવે “મૃત્યુનૃત્ય”, “મૃત્યુ પામવાની કલા', “મૃત્યવિજય' જેવા વિષયોની સાથે દફનક્રિયા, “કફન' “સ્મશાન', “પંખીમૃત્યુ' વગેરે નવા વિષયો ઉમેરાય છે. તો “મૃત્યુશધ્યા” (ડથબેડ' પણ એક નવો વિષય છે. મારિયા એચ. નેગીએ મૃત્યુ વિષે બાળકોના અભિગમને સ્પષ્ટ રીતે સમજવા તથા એમના મૃત્યવિષયક ખ્યાલોનો અભ્યાસ કરવા ત્રણ પદ્ધતિ વડે સામગ્રી ભેગી કરી હતી. ત્રણસો અઠ્ઠોત્તેર જેટલાં બાળકોની વિગતો એકઠી કરી તેઓએ તારણો કાઢ્યાં. “પાંચ વર્ષનાં બાળકો મૃત્યુને અનિવાર્ય ઘટના તરીકે ઓળખી શકતાં નથી.” “પાંચ વર્ષથી નવ વર્ષનાં બાળકો મોટે ભાગે મૃત્યુને એક મૂર્તિમંત માનવસ્વરૂપમાં તથા આકસ્મિક ઘટના તરીકે ઓળખે છે.... જ્યારે નવ વર્ષ અને એની ઉપરની ઉંમરનાં બાળકો મૃત્યુને ચોક્કસ નિયમની પ્રક્રિયારૂપે જુએ છે.' પહેલા જૂથનાં બાળકો “મૃત્યુ' ને “મૃત્યુ' તરીકે ઓળખી શતાં નહિ. મૃત વ્યક્તિમાં પણ જીવન અને ચેતના હોવાનું તેઓ માનતાં. અથવા તો મૃત્યુને “વિદાય' કે નિદ્રારૂપે અલગ પાડી ઓળખાવતાં. કેટલાંક બાળકો મૃત્યુને “ખરાબ વસ્તુ' માનતાં. તો કોઈક વળી મૃત્યુ પામવાને અદશ્ય થવા સાથે સાંકળતાં. મૃત વ્યક્તિ કબ્રસ્તાનમાં આવતી હોવાનું કે કૉફિનને કારણે સ્થગિત થઈ ગયી હોવાનું પણ તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy