________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 32 છે. આ જગતમાંથી જે દિવસે મૃત્યુ વિદાય લેશે તે દિવસે જીવન પણ જીવન નહિ હોય. જન્મનો આનંદ પણ મરી પરવાર્યો હશે.” હેડેગર એમ માને છે કે “મૃત્યુની મીમાંસાથી જે વ્યક્તિ સભાન છે, જેને જન્મનો આનંદ કે મૃત્યુનો ડર હોતા નથી. મૃત્યુને બધી જ શક્યતાઓના અંત તરીકે ઓળખાવતા હેડેગર તેમ છતાં મૃત્યુને જીવનની સૌથી આકર્ષક વિશેષતા ગણે છે. તેઓ કહે છે, “આપણે મૃત્યુથી એટલા બધા નજીક છીએ કે તેનાથી ડરીને દૂર ભાગવાની કોશિષ કરવી વૃથા છે. મુક્તિના ભારતીય સિદ્ધાંતની જેમ મૃત્યુને સ્વાતંત્ર્ય મુક્તિ' તરીકે ઓળખાવે છે. મૃત્યુ માનવને સાંસારિક બંધનમાંથી મુક્તિ અપાવે છે. સાત્ર હેડેગરની જેમ મૃત્યુને એક વિશેષતા નથી ગણતા. તેઓ તો એમ માને છે કે “મૃત્યુથી જીવનને કોઈ જ અર્થ પ્રાપ્ત થતો નથી. (1) “સાસ્ત્રનું તત્ત્વજ્ઞાન' પ્રો. એમ. વી. બક્ષી. (2) માર્ટીન હેડેગરનું “તત્ત્વદર્શન લેખક ડૉ. જયેન્દ્રપ્રસાદ જયશંકર શુક્લ. (‘સેઈન એન્ડ ઝેઈનની સાતમી આવૃત્તિનો અનુવાદ “બીઈંગ ઍન્ડ ટાઈમ' શીર્ષક હેઠળ જેન મેકવરી અને એડમન્ડ સેબિન્સને કર્યો. “હાર્પર એન્ડરો' પ્રકાશકોએ ન્યૂયોર્કથી ૧૯૬૨માં પ્રગટ કર્યો.) હર્મનફીફેલ સંપાદિત “મૃત્યુનો અર્થ’ નામના પુસ્તકમાં “મૃત્યુ' અંગેના ભિન્ન તેમજ પરસ્પર વિરોધાભાસી ખ્યાલોની વિશદ છણાવટ કરવામાં આવી છે. આ પુસ્તકમાં “મૃત્યુ વિષેની સૈદ્ધાંતિક, બૌદ્ધિક, મનોવૈજ્ઞાનિક, વિવેચનાત્મક તેમજ પ્રાયોગિક સ્તરની ચર્ચાનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, ડૉક્ટરો, દરદીઓ, બાળકો તથા કિશોરોના પણ આ અંગેના મંતવ્યો રજૂ થયા છે. આ પુસ્તકમાં યંગ, હોલ, ટીલીચ, કાફમેન, મર્કયુઝ, મારિયા એચ. નેગી, કાસ્ટેનબામ, હરમનફિફલ, ગોટલીબ મેન્ડેલબામ, જેક્સન, હટશંકર, એરોન્ઝન, કેસ્પર, નેઈડમેન, રીચર તથા મર્ફ એ મૃત્યુ વિષયક વિચારો શબ્દબદ્ધ કર્યા છે. કાર્લયુગ નામના જર્મન તત્ત્વચિંતકે “આત્મા અને મૃત્યુ' નામના લેખમાં બંને તત્ત્વોનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. માનવસત્ત્વના જન્મને અર્થસભર ગણતા કાર્લયુગ મૃત્યુને અંત ગણતા નથી. તેઓ મૃત્યુને પણ અર્થસભર ગણાવે છે. દેખીતા “મૃત્યુ પહેલાંજ મૃત્યુનો પ્રારંભ થઈ જતો હોવાનું તેમનું માનવું છે. સી. ડબલ્યુ. હોલ (‘મૃત્યુનો ભય') એમ માને છે કે “મૃત્યુનો પ્રશ્ન માનવને એકજ ક્ષણમાં તુચ્છ બનાવી દે છે' મૃત્યુના સાર્વત્રિક ભય અંગે વાત કરતાં તેઓ કહે છે, “માણસ “મૃત્યુ' નામનો શબ્દ વાપરવા પણ તૈયાર નથી “ગુજરી ગયા' “વિદાય લીધી” વગેરે શબ્દોનો પ્રયોગ “મૃત્યુ માટે કરવામાં આવે છે. સોળ સોળ વર્ષ કેન્સરના જીવલેણ રોગ સાથે ઝઝૂમનાર ફ્રોઈડે પોતાના પુત્રો જ્યારે યુદ્ધભૂમિમાં મૃત્યુનો સામનો કરતા હતા, ત્યારે 'Times on War and Death' તેમણે લખ્યું. મૃત્યુના માનસશાસ્ત્રને નિખાલસતાથી સમજવામાં ને સ્વીકારવામાં જીવનને વધુ સહ્ય બનાવવા માટેની સમજણ અને ગુણ રહ્યા હોવાનું તેઓ માને છે. વોલ્ટર કૉફમેન (“અસ્તિત્વવાદ અને મૃત્યુ) “અવર રિલેશન ટુ ડેથ' (પૃ. 332-333) માં “યુદ્ધ મૃત્યુ સાથેના સંબંધો વિક્ષિપ્ત કરી નાખ્યાનું ફ્રોઈડનું વિધાન તેઓ ટાંકે છે. કોફમેન ફોઈડને ટાંકતાં કહે છે કે “મૃત્યુ અનિષેધ્ય, અનિવાર્ય ને કુદરતી તત્ત્વ હોવા છતાં આપણે સૌ મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust