________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 333 થતી દૃષ્ટિની વાત કરી છે. શિશને એના જન્મ સાથે જ ગુમાવી બેઠેલી કાવ્યનાયિકા વિશ્વના બાળકોને પોતાના માને છે. સકલ વિશ્વમાં અભિરમતા શિશુસ્વરમાં પોતાના શિશુસ્વરને આલાપતા, મૃત્યુની ધન્યતાનો અનુભવ કાવ્યનાયક કરે છે. “મૃત્યુને' (૧)માં મૃત્યુ વસમું ન હોવાનું કાવ્યનાયક કહે છે. જીવનની નિરર્થકતાને લીધે મૃત્યુને સામેથી એ નિમંત્રે છે. “તું આવ, અય મૃત્યુ ધાર મુજને તવાગ્લેષમાં” 29 “મૃત્યુને-૨માં શરૂમાં “મૃત્યુને કઠોર' કહેતા કવિ કાવ્યાંતે શ્વાન શા જીવનઅર્થીઓ મરણને નિંદે, પણ સુખ અને શાંતિનો મર્મ જાણનાર તો જીવનને નહિ, મરણને જ મુક્તિદાતા માને છે. કાવ્યનાયક મૃત્યુને ઉદ્દેશી કહે છે, “તું કિંતુ નહિ રુક્ષ, આર્ટ વળી વજ ના, વ્હાલ તું બની કુસુમશા, ત્રસ્ત અમ - વક્ષને વીંધતું” 130 જિંદગીની વેરાની વ્યક્ત કરતો કાવ્યનાયક “મોતને લીલુંછમ કહે છે ને વેરાનીમાંથી છૂટવાનો માર્ગ “મૃત્યુ' હોવાનું કહે છે. સદ્ગત પતિને પત્ર લખનાર કવયિત્રી હીરાબ્લેન પાઠક પરલોકે પત્ર લખવાનો વિચાર કરે, એ જ મૃત્યુ અને એ પછીના પ્રદેશના દિવ્યત્વનું સૂચક છે. પોતે તો પત્ર લખે પણ પરલોકથી પ્રિયજનનો પત્ર આવ્યાની દિવ્ય અનુભૂતિ પણ જાણે તેઓ કરે છે. જે તેઓને સદેહે મૃત પતિ, સદ્ગત સાથે મિલન ને દઢાશ્લેષનો જાણે અનુભવ કરાવે છે. હું રળિયાત ભીતરે બહાર અંતરે અણુ અણુ અંકુરિત મ ....સદ્ગત પતિ આવ્યાના રહી રહી વાગતા ભણકારા પતિના સૂક્ષ્મ સ્વરૂપની ઉપસ્થિતિનું સૂચક છે. “ન કો જાણે આગમન મુજ પાખે ચૂપચૂપ બાર બિડાય - બારસાખે” ૧૩ર પણ પછી તરત એ તો ભ્રમ હોવાની પ્રતીતિ થાય છે. કલ્પનામાં ખોવાયેલાં કવયિત્રી પાછા વાસ્તવની ધરતી, ને ધરતીના વાસ્તવ પર આવે છે. ત્યારે, વળી પાછો એક વિરલ અનુભવ એમને થાય છે. “આ.... હું સૂર્ણ કિચૂડ... બંધ સ્વર્ગદ્વાર ખૂલે પ્રણયની દેવતા કનક કડાને ઝાલી સ્વર્ગયાન પ્રેરે....” 133 ઇન્દ્રરાજાના વાજિંત્ર મંગલગાન સાથે પતિને જાણે પૃથ્વી પર એમની પ્રિયતમાને મળવા જવા વિદાય આપે છે. કવયિત્રીની મનઃસ્થિતિ અંતે એવી કક્ષાએ પહોંચે છે જ્યાં જન્મ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust