________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ છે 331 ઝરતી પતિ અનુભવે છે. ઉરની ગુહાથી પ્રકટતો નિષ્કપ-સ્મૃતિદીપ મનમાં પ્રકાશને ભરી દે છે. નિરંજન ભગત “વિદાય વેળા'માં માનવીય મિલનવિદાયની સાથે સાથે મૃત્યુજન્ય વિદાયનો સંદર્ભ ગૂંથી આપે છે. બે માનવીના મિલનને કવિ અનન્ય ગણાવે છે. જીવન એ મિલન, મૃત્યુ એ વિદાય'. સ્નેહસભર જીવન જીવાયું હોય તો વિદાયવેળા કોઈ વ્યથા, નિરાશા કે કચવાટ ન રહે. સર્વવ્યાપી પ્રેમભાવના મૃત્યુને મંગલ બનાવે. કવિ પ્રિયકાંત મણિયાર “મૃત્યુને રૂપાંતર' કહે છે. “રૂપાંતર' કાવ્યને અંતે (‘સમીપ') મૃત્યુ પામનાર વ્યક્તિનું પ્રેમતત્ત્વ પ્રભાતના કોમલ તેજ જેવી ગોઠડી માડતું કાવ્યનાયકને લાગે છે. અંધકારમાંથી મુક્ત થઈ અન્યરૂપ એ ધરે છે. જ્ઞાન અને સમજ મૃત્યુનું દિવ્યદર્શન કરાવે છે. કોઈ પ્રકાશપર્ણ ફૂટે છે. ને કોઈ સુનીલ મહોત્સવ જાણે મહોરી ઊઠે છે ને પંખીનો પ્રસન્ન ટહુકાર પણ. તો ગાંધીજીના મૃત્યુને પ્રિયકાંત “સંપૂર્ણ સમર્પણનો મહોત્સવ' કહે છે. “વિદાયની એ ક્ષણ નહીં અશ્રુ સંતો ક્ષણ ક્ષણ જન્મ ધરે ને મૃત્યુને એમ આછું કરે” 25 તેથી જ તો ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીનું રક્ત જોઈ આશ્ચર્ય પામેલો સૂર્ય પ્રશ્ન કરે છે. “માનવીનું રક્ત શું આટલું બધું પવિત્ર છે ? મૃત્યુનો સહર્ષ આનંદભેર સ્વીકાર તથા મૃત્યુનો મુક્તિ સ્વરૂપે અનુભવ “જન્મ અને મૃત્યુ'માં વર્ણવાયો છે. (‘પ્રબલગતિ') પેલો આત્મા પછી તારકોના વનમાં વિચરે છે. ચંદ્રના શીત લોકમાં શાતા પામે છે. પછી રહે છે “હું ને માત્ર આકાશ' પિંજરના સળિયા (દેહના બંધન) સહજ રીતે વરસાદની ધાર જેમ તૂટી જાય છે. પછી રહે છે મારા જીવાત્મા અને કેવળ આકાશ. “મૃત્યુ' કાવ્યમાં (‘વ્યોમલિપિ') દેહમાંથી નીકળી ગયા પછી અનંત ગગનમાં ઊડતા આત્માની વાત કરાઈ છે. શરીરના બંધનો બધા લુપ્ત થઈ જાય છે. પક્વ ફૂલ સમો કોઈક જીવ ખરી જાય છે. મૃત્યુને સુગંધી મુખવાસ માનતા કવયિત્રી ગીતાબ્લેન પરીખ “તેજ' નામના કાવ્યમાં (“ભીનાશ') વૃદ્ધત્વથી ત્રસ્ત બનતા કાવ્યનાયકની મૃત્યુઝંખનાને વાચા આપે છે. તો પિતાને અંજલિ આપતા ગીતાબ્લેન “મૃત્યુઅમૃતમંગલ'માં મૃત્યુને મંગલ જ નહિ અમૃતમંગલ' કહે છે. તેઓ કહે છે મૃત્યુ પોતે પિતાને સ્પર્શીને સમર્થ બન્યું. તેઓ કહે “મૃત્યુ છે ફૂલની શય્યા મૃત્યુ છે પંથ ઉજ્વલા મૃત્યુ ના જિંદગી - અંત મૃત્યુ અમૃતમંગલ” પર તો હવે તો લ’માં મૃત્યુ પામતા અન્યથા બદ્ધ અને સીમિત એવું પિતૃઉર સૂક્ષ્મ બની ભવ્ય સ્વરૂપે નિઃસીમમાં વ્યાપક બન્યાનું કવયિત્રી કહે છે. તેઓ કહે છે કસમ ખરી નથી ગયું, શાશ્વત પારાવારમાં, સુગંધમાં ભળી ગયું છે. જ્યોતિ વિલાઈ નથી. પરમ જ્યોતમાં ભળી ગઈ છે. “ધન્યતા' કાવ્યમાં મૃતપિતા સૂક્ષ્મરૂપે સૌ સ્વજનોની સાથે હોવાનો અનુભવ વ્યક્ત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust