________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 330 આનંદ છે. ચંદનની સોડમમાં પોઢ્યા ઝેર વિનાના નાગ” 20 નોતરા' કાવ્યમાં (“શૂળી ઉપર સેજ') પરોક્ષ રીતે મૃત્યુનાંજ નોતરાંની વાત છે. જીવનને સંસારની માયા ત્યજવાનું અહીં કહેવાયું છે. આકાશી મહેલના એ ભૂરાભૂરા દેવ પોતાની ટૂંકભરી પાંખમાં પોઢાડે છે. ને આકાશી તેડાને લીધે આભ ઓરું બને છે. જીવને આંખ ખોલી અગોચરને જોવા (મૃત્યુ અને એ પછીનો પ્રદેશ) કહેવાય છે. જાતને ચોકખી ચણાક કરી મૃત્યુના ઓચ્છવમાં જીવને રંગે રમવા આવવાનું અહીં પ્રેમભર્યું ઇજન અપાયું છે. ઇજન આવ્યાં રે આગોતરાં જીવ દિયો ફંગોળી જર્જર આ તરાં” પર મરણોત્તરમાં વિશિષ્ટ રીતે જયંત પાઠક મૃત્યુને મુક્તિ કહે છે. (‘શૂળી ઉપર સેજ'), મરનાર માણસ પછી સુખદુઃખથી પર બની જાય છે. ને તેથી જ એ મુક્તિ પામે છે. અહીં આધ્યાત્મિક નહિ, વાસ્તવિક અર્થમાં “મૃત્યુને મુક્તિ' કહ્યું છે. તમે હવે નહીં, એ જ વાત સહી - બસ આ જ સો ટકાનો રોકડો મોક્ષ સીધેસીધો મોક્ષ, ચોકખી મુક્તિ” 22 ઈશ્વરચંદ્રભટ્ટ પણ “મરણ ને ઉત્સવ' કહે છે. “ખરતાપર્ણમાં મૃત્યુeણીના પ્રયાણને તેઓ અમરપ્રાણની દીક્ષા માટેનું પ્રથમ પગથિયું ગણે છે. પદ્મિની' ખંડકાવ્યમાં આ કવિ પદ્મિનીએ કરેલા સહર્ષ મૃત્યુસ્વીકારને “અભિસાર” તથા “પરમ ઉત્સવ' કહે છે. “અગનસેજમાં પોઢતી એ પદ્મિનીની “મોંઘેરી શીલભંજરી” “રૂપની રાખ'માં મ્હોરી ઊઠે છે. અગ્નિશિખા અંતે રાખમાં શમે છે. પેલા પરમરૂપનું સત્ત્વ અમરમાં ભળી જાય છે. લૂંટ કરવા ધસતા ધાડાને ખિલજી શાહ કડક આદેશ આપતાં, મૃત્યુની અદબ જાળવવાનો હુકમ કરે છે. “આવી તદા લહર, , ભસ્મ સતી ચિતાની રંગી કરે પુનિત ખાન શી રાજપુતી” 23 પ્રિયજન મૃત્યુ પામ્યા પછી સૂક્ષ્મ દિવ્યરૂપ ધારણ કરે છે. એ વાત ઈશ્વરચંદ્ર ભટ્ટ “મધુર્યાદામાં રજૂ કરી છે. મકરંદ દવે “મધુસ્પંદને માણતી વખતે એક અદીઠ ત્રીજી વ્યક્તિની હાજરીના અનુભવને આ રીતે વર્ણવે છે. “આપણાં ધૂળ નેત્રો જેને ગુમાવી બેઠાં ગણે છે, ને આપણી આસપાસ, આપણી અંદર, અથવા વધુ ઊંડે ઊતરી કહ્યું કે આપણી અંદર-બહાર આપણી જડતાને ભેદી આવ જા કરતું હોય છે.” 124 તેથી તો મકરંદ દવે કવિને પૂછે છે, “તમારા આ “મધુર્યાદમાં કોનું સ્મિત અમૃત બની ટપકી રહ્યું છે?” પત્ની મૃત્યુ પામવા છતાં હજી ગેહે, ઘરમાંજ રમમાણ છે. સૂક્ષ્મ દેહે જાણે એ હજુ વસુધામાં જ રમે છે, (‘મુક્તિપર્વ) પત્નીની આછી રસસુધા અભિષેકધારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust