SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 9327 ગૌરવપૂર્ણ છે. પ્રિયતમ યમદેવતાના મહિષની ડોકે બાંધેલા ઘૂઘરાના દૂરથી આવતા રણકાર, પણ એને તો ખૂબ જ નજીક હોવાનું અનુભવાય છે. કાન માંડીને એ બેઠી છે. એ ધીમો મીઠો ધૂઘર-રણકાર અન્ય કોઈને ન પણ સંભળાય. કાવ્યનાયિકાએ પ્રિયતમ મૃત્યુને ઓળખી લીધું છે. સમજી પણ લીધું છે. તેથી જ આનંદભેર એનો સ્વીકાર કરવા એ તત્પર છે. “અજાણ્યા સુખનો કેવો અંગે રોમાંચ વ્યાપતો” 1 મૃત્યુ પીડાકારી નહિ, સુખદ અને મુક્તિદાતા હોવાની પ્રતીતિ થાય છે. પ્રિયતમ આવી પહોંચતાં માંગલ્યની એ પરમ ક્ષણે કાવ્યનાયિકા પરિચારિકા (સ્વજનોને પોતાને શણગારવાનો આદેશ આપે છે. “કંકુની કોરના પાનેતર થકી મને સજો, ને સર્વ સીંગારે સોહાવો ક્ષણ લગ્નની દીપને પ્રગટાવી, જો મૂકો, પેલા ખૂણા મહીં ગતિ ના વાયુની જેને અંધારું અડકે બસ” 12 પ્રિયતમ ખૂબ નિકટ આવતો જાણી સ્ત્રી કહે છે “આવે છે પછી સામસામી આંખ મળે છે. મૃત્યુને એ કહે છે. આવ હે હર્ષવર્ધન અનિમેષ દ્રગો તારી કરે છે સ્નેહવર્ષણ અંગની આગ, સંતાપો ચિત્તના સર્વ શામતા નાઉ જમના કેરા જલે હું હેમ-શીતલ” 113 શેષ અભિસારનું નૃત્ય આરંભાય છે. જાણે મૃદંગો વાગે છે. મંદ મંદ અવાજે ગ્રહોનું વૃંદવાદન સંભળાય છે. હવાનુ શાંત હૈયું એ વાર્દેિત્રોના રણકારથી સહેજ હલી રહ્યું છે. “અધીરા અંગમાં મારા તાલના શત સ્પંદનો જાગે છે, પ્રિય છે ચાલો 114 પોતાના શેષાભિસારની ધન્ય મંગલવેળાના સુખાનુભવ વખતે ભવ્યમંગલ અવસરે કોઈકનું ડૂસકું કાવ્યનાયિકાથી નથી સહેવાતું. મૃત્યુ અને કાવ્યનાયિકાનું સંપૂર્ણ અદ્વૈત સધાય છે. પ્રિય પ્રાણને ત્યજવાની વેળા આવી ગઈ. એય હવે અલગ થઈ જશે. “મૃત્યુ એ જ પરમાત્મા, પરમાત્મા એ જ મૃત્યુ નાયિકા કહે છે, “ઊઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો મૃત્યુને પોતાની સાથે ચાલવા કહે છે. રાત્રિના શેષ ભાગના શીતલ અંધકારમાં તોડીની ગતમાં આ પરમમૃત્યુને વધાવતું કોઈક સુકોમલ ગાન ગાય છે. જ્યોતમાંથી ઊઠતી ધૂમ્રલેખા જેવું. કોઈના મૃત્યુના) કોમળ સ્પર્શ કાયા જાણે હલવા માંડે છે. મૃત્યુના આલિંગને જાણે પ્રેમામૃત પાનનો અનુભવ થાય છે. મૃત્યપ્રિયતમાને જીવ કહે છે. “હવે સ્પર્શના વસ્ત્રની જરૂર નથી. શ્રુતિ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy