________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 326 અડીખમ ખડકો જેવું અપારદર્શક, અસ્પષ્ટ ને અદશ્ય ગણાવે છે. જે પેલા ફૂલ જેવા શબ્દોને મસળી નાખે છે. મરણ રમ્ય બને એ માટે જીવન અને મરણ વચ્ચે Communication થવું જોઈએ એમ કવિ માને છે. નારાયણના પિતા અજામિલના મૃત્યુ સમયની એની ચિત્તસ્થિતિ, તથા સંવેદનાનું હસમુખ પાઠકે “અંત ઘડીએ અજામિલ'માં સરસ વર્ણન કર્યું છે. (‘સાયુજય') યમરાજના ઓળા એને ભયાનકતા અર્પે છે. ઊંડી ખાઈમાં જાણે ખેંચી જાય છે. મૃત્યુનો ભય સતાવે છે. તેથી કદીયે જે પુત્રને એણે પ્રેમ નથી કર્યો, એનું શરણું એ શોધે છે. તારાઓના પ્રકાશમાં ભળી ગયેલી નારાયણની માનેય આ મિષે અજામિલ યાદ કરી લે છે. એ કહે મને ભય છે દીકરા આ રાત હું નહિ કાઢું” * એ કહે છે, “આજે ચંદ્ર નહિ ઊગે' અર્થાત એ પહેલાં એનું મૃત્યુ થશે. અંતિમ ઘડીએ એ કો દિવ્ય વિરલ અણદીઠ રૂપને “નારાયણ'ના રૂપને જોવા ચહે છે. | વિનોદ અધવર્યુ, સ્મશાનના ભસ્મ ઢગલા વચ્ચે રહી નવાં ખીલેલાં ફૂલે આનંદ મ્હોરી ઊઠે છે. સ્મશાનના નર્યા ભસ્મ ઢગલામાંય કંઈક નવું અંકુરિત જોતી દષ્ટિને નવાંકુરનું ખાતર તેઓ ગણે છે. જલતી ચિતાઓ જાણે એને હૂંફ આપે છે. એ સ્મશાનવાસી પોતાની ચલમમાં નિત્ય મૃત્યુને જાણે ફૂંકી રહ્યો છે. કવિ હેમંત દેસાઈ “છેલ્લું ગીત'માં જીવનજગત સાથેના મિલાપની છેલ્લી રાતે પોતાની જાતને છેલ્લું ગીત ગાઈ લેવા કહે છે. પોતાનું બાળક મૃત્યુ પામતાં વ્યથિત બનેલી મા અંતે વિશ્વનાં બાળકોને જ પોતાનાં બાળકો માની (‘હવે') સકલ વિશ્વમાં અભિરમતા શિશુ સ્વરમાં પોતાના શિશુસ્વરને આલાપતો અનુભવે છે. જો કે અન્યના બાળકને પ્રેમતરબોળ કરી દેતી સ્ત્રીની પ્રેમઘેલી વત્સલતા આમ તો એ વ્યથિત નારીના વલવલાટનું જ દર્શન કરાવે છે. હેમંત દેસાઈ કહે છે જગતની ચોસર પર યથેચ્છ મ્હાલતા આ માનવોરાને મૃત્યુ સહેજમાં હડપ કરી લે છે. ક્યારેક મૃત્યુ પોતે આવીને શિકાર કરે છે. તો કદીક વિરાટ એવા એના મુખમાં ભક્ષ્ય આપોઆપ જઈ પડે છે. મૃત્યુની ચાલને કવિ ચાતુર્યપૂર્ણ, અકળ, ને નિગૂઢ કહે છે. જીવનઅસ્થિના પિંડ પર પોતાના દાંત ભરાવી, પોતાના જ રક્તને ચૂસી, એમાં જ સુખ માણી રાચતા થાન શા જીવનઅર્થીઓ મરણને નિંદે છે. (“સોનલ મૃગ'). અનુગાંધીયુગ - મૃત્યુ મંગલ મુક્તિદાતા અલૌકિક દિવ્ય કવિ રાજેન્દ્ર શાહનું “શેષ અભિસાર' કાવ્ય (“ધ્વનિ) મંગલમૃત્યુના મિલનનું કાવ્ય છે. મૃત્યુના આગમનની “શુભ માંગલ્યની ઘડીનો અનુભવ કરતી નારીના અભુત સંવેદનનું આ કાવ્ય છે. “શેષ અભિસારને ધીરુભાઈ ઠાકર શ્રેષ્ઠ સંવાદ કાવ્ય તરીકે ઓળખાવે છે. મૃત્યુને પ્રિયતમ કલ્પી એને આલિંગવા ઉત્સુક બનવું એ એક અનોખી ઘટના છે. કાવ્યનાયિકા પ્રિયતમમૃત્યુના આગમનનાં પગલાં સાંભળતાં સૌ સ્વજનોને ખામોશ થઈ જવા કહે છે. મૃત્યુ સમયે કકળાટ ન શોભે, ન આંસુ. મહિષારૂઢ મૃત્યુનું ચિત્ર જીવંત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust