________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 324 નથી. વ્યક્તિની આંખ મીંચાવા સાથે જ વ્યક્તિ માટે તો આકાશ વિલુપ્ત થતું હોય છે. હવે એ આકાશ મેશ ખાઈને આંખમાં દદડે છે. અંતિમ સમયે છે, છે ને નથી, નથી જેવા લાગતા બધા સંબંધો ખરી પડે છે. “રણદ્વીપોનાં લીલાં છોગાં મૃગજળ ઉપર તરે” 108 આ મૃગજળ તરસને ઠારતું નથી, તરસને મારતું નથી, પણ તરસને તીવ્ર બનાવે છે. છે. ને બીજામાં સમજણ પછી પ્રાપ્ત થયેલી શાંતિ છે. સ્વજનનો દેહ લાકડી જેવો બની ભડભડ બળે છે. પરાણે રાખેલો સંયમ ને સ્વસ્થતા તૂટે છે. દબાયેલું ડૂસકું કંઠથી સરી પડે છે. સ્વજનના સ્મરણની રાખને સંઘરી સ્વજનો હંમેશાં હૃદયને સ્મશાન જેવું કરી મૂકે છે. માનવીના ભાગ્યમાં ચપટી રાખ બની જવાનું જ નિર્માયું છે. પણ પછી તરત નિર્વેદ, પરિતાપ કવિ ખંખેરી નાખે છે. અનંત ગતિમાં બધું સૂક્ષ્મરૂપે જીવાતું જાણે જોવા મળે છે. “ન મૃત્યુ, પણ ચેતના તણી લીલા જ આ સંસ્કૃતિ વટ અવધિ કાલનો રમતી કાલ કેરી કૃતિ” પs માં મૃત્યુના અસ્તિત્વનોજ ઇન્કાર કરાયો છે. જીવનતટે આવી પહોંચેલા કાવ્યનાયકની છેલવેલ્લા સૌને મળી લેવાની ઇચ્છા “મરણ ઘડીએ'માં વ્યક્ત થઈ છે. (“સર્ગ') મૃત્યુ પછી પોતે તો પરદેશી થઈ જવાના. કયા દેશે વસવાના એ ખબર નથી. એટલી ખબર છે કે મૃત્યુ પછી સદેહે તો સ્વજનોને મળી શકાવાનું નથી. એમનો છેલ્લો શ્વાસ સ્વજનનું છાનું ડૂસકું બની રહેવાનું. મૃત્યુની ક્ષણને સુભગપળ કહી છે. યમને કાવ્યનાયક આંગણ સુધી, ઉબર વટાવી, પથારી પર આવી બેસી ગયેલો અનુભવે છે. યમ પોતાના હિમકરથી મરનારના ભાલે સ્પર્શ કરીને બેઠો છે. કાવ્યનાયકને આશ્ચર્ય થાય છે. મૃત્યુનો ડર નથી, પણ મૃત્યુના આગમનની સભાનતા જરૂર છે. બાહ્ય તેમજ હૃદયના “અંતરીક્ષ'ને જોઈ શકતા કવિ જયંત પાઠકને થાય છે કે, મૃત્યુ પછી આ પંચતત્ત્વની ઘટનાનું ઘનરૂપ-એનો આંતરભાવમય કોષ, પરિચિત, પ્રેમમય બનેલા પંચતત્ત્વનાં વિભિન્ન રૂપોમાં ભળી જશે એ કંઈ ઓછું સૌભાગ્ય નથી. જીવન . જગત પ્રકૃતિ, વેલી હરણાં, તરલ તરણાં, પ્રત્યેની કાવ્યનાયકની પ્રીત એને મૃત્યુને ઉંબરેથી પણ પાછો વાળે છે. મમતા છોડી મૃત્યુતારે હોંશે હોંશે જવું અઘરું છે. (“અઘરું નચિકેતા થવાનું') “ગામના સ્મશાનમાં રાતે” (“શૂળી ઉપર સેજ')માં કવિ જયંત પાઠક મસાણનું આબેહૂબ વર્ણન કરે છે. યમદૂતના બિકાળવા મુખજોણે કૂતરાનું સમૂહરુદન, કણભીના વૃક્ષ પરના ઘુવડના “મૂઓ'ના મંતર, મસાણિયાની છાની ગુસપુસ, તથા ધૂણી ઓઢી મોં લગી રડતી, પોક મૂકતી ભૂતાવળોનું ચિત્ર ભયપ્રેરક છે. ઈશ્વરચંદ્ર ભટ્ટ “ખરતાં પર્ણ' (‘પર્ણરવ')માં સ્મશાનતિમિરે કંપી રહેતાં કરાલ મુખગાત્ર અને તડતડતી ચિતાનું વર્ણન કરે છે. એક વખતનું ગાજતું બળવાન શરીર ચિતા પર બળીને ખાખ થઈ જાય છે, તો “મુક્તિપર્વ નામનાં કાવ્યોમાં સદૂગત પત્નીને તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust