________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 320 જનાર તો બસ જાય છે, અદૃશ્ય થાય છે. એને જોઈ શકવાની આપણી મર્યાદાનો પણ અહીં નિર્દેશ થયો છે. શિશુમૃત્યુ પછીના વિષાદને “હવે' કાવ્યના ઉત્તરાર્ધમાં વ્યક્ત કરાયો છે. ચિત્તના સમાધાન પછીની શાંતિની અહીં વાત છે. સ્વજનમૃત્યુ અંતે વિશાળ દૃષ્ટિ આપે છે. વિશ્વનાં બાળકો પોતાનાં જ હોવાનું માની સકલ વિશ્વમાં અભિરમતા શિશુ સ્વરમાં પોતાના શિશુસ્વરનો આલાપ કવિ અનુભવે છે. પણ ઘેર પહોંચતાં પાછી એ જ માનવસહજ વ્યથાનો અનુભવ થાય છે. મૃત્યુશધ્યા પરના પીડિત દુર્યોધન જેવી સ્થિતિના અનુભવની વાત “મૃત્યુને' (1) કાવ્યમાં વ્યક્ત થઈ છે. કાષ્ઠની ચેહથી જલવું એ કાંઈ દુઃખદાયક નથી. “મૃત્યુ વસમું નથી' મૃત્યુની છાય નીચે સદા યથાર્થ જીવવુંય વસમું નથી. પણ જીવતાં જીવત મૃત્યુનો અનુભવ દઝાડે છે. જીવનની નિરર્થકતાને લીધે કાવ્યનાયક મૃત્યુઝંખના સેવે છે. તો “મૃત્યુને-૨'માં મૃત્યુને કવિ “કઠોર' કહે છે. “પ્રલંબ ભુજ, દીર્ઘ દૃષ્ટિ અતિચંડ, તું મૃત્યુ રે 9 આવું મૃત્યુ કઠોર હોવા છતાં અનિવાર્ય પણ છે જ. . - સ્વજન મૃત્યુ પામતાં તેની સ્કૂલ નહિ તો સૂક્ષ્મરૂપે, સ્મરણસંદર્ભે હયાતી રહે જ છે. એ વાત હીરાબ્લેન પાઠકે સદ્ગત પતિ રામનારાયણ પાઠકને ઉદેશી લખેલા પરલોકે પત્રમાં જોવા મળે છે. પતિને પાછા ફરવા વિનંતિ કરતાં કાવ્યનાયિકા-કવયિત્રી તરત હળવી ને સહજ રીતે વાસ્તવનો સ્વીકાર કરે છે. “એટલે જ કહું છું જનાર તો જાય છે. આડા હાથ કૈ દેવાય છે” ?" 11 છેલ્લાને અઢારમાં પત્રમાં કવયિત્રીના ચિત્તની એક ઊંચી ભૂમિકાનાં દર્શન થાય છે. જ્યાં જન્મ, જીવન, મૃત્યુ બધું જ એકાકાર બની ગયું છે. હવે ઈહલોક પરલોકના ભેદ રહ્યા નથી. ડાહ્યાભાઈ પટેલની કવિતા તેમજ એમાં આવતું મૃત્યચિંતન બંને સામાન્ય કક્ષાનાં છે. “ઊડો અમર હંસલામાં આત્માને આભમાં ઊડવાનો અનુરોધ કરાયો છે. ડાહ્યાભાઈ કહે છે, મરણ એ કાંઈ અંત નથી, કે નથી યાત્રાનું એ ધામ. (કાવ્યપરિમલ”) કવિ કહે છે “મૃત્યુને કોઈ શક્તિ રોકી શકતી નથી. પ્રેમ પણ મૃત્યુને ખાળી શકતો નથી. જો કે મૃત્યુને તેઓ “બીજો જન્મ” તો ગણાવે જ છે. ને જર્જરિતનો નાશ કરી નવાનું નિર્માણ કરવાનું હોય તો પછી “હૃદયમનને શોક શો' ? “જીવનફૂલ'માં આયુષ્યને ફૂલ સાથે સરખાવી, જીવનની ક્ષણભંગુરતાને કવિ વાચા આપે છે. માટીમાંથી સર્જાયેલું જીવનપુષ્પ શું માટીમાં મળી જવાનું? એવો પ્રશ્ન કરી પાછા તેઓ એવી પણ શ્રદ્ધા વ્યક્ત કરે છે કે, પુખ ખીલીને પ્લાન થયું છે. એનું મૃત્યુ નથી થયું. નવો જન્મ ધરી, પોતે શૃંગાર બની ધરતીને શોભાવશે, બીજનું નવું મૃદુ અંકુર ફૂટશે. “પુષ્પનું કદી મરણ હોતું નથી' એવી શ્રદ્ધા માનવ આત્માની અમરતાનો સંકેત કરે છે. કાવ્યનાયકને મરણની કે ખાખ થવાની પરવા નથી. પણ સ્નેહીઓ જીવતા જલાવે એની ચિંતા છે. (‘તમે જીવતો જલાવો છો') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust