SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 314 મોત સારું હોવાનું કહે છે. પારણે અવાવરૂ કૂવા ભર્યા પૂછો મોતને કરુણ કેવી જિંદગી ?" 83 અહીં જન્મતાં પહેલાં જ મૃત્યુ પામેલા બાળકની માનો ચિત્કાર જિંદગી કરતા મૃત્યુને વધુ ઈષ્ટ ગણે છે. તો ક્યાંક સ્મરણના બહુવિધ રંગોમાં “ગુલમહોરી રંગથી માંડી મૃત્યુ પામતા મનુષ્યના નખ જેવો સ્મરણનો “રાખોડી રંગ” પણ ઉલ્લેખાયો છે. (‘વિષમ ગતિ’ - પૃ.૨૯) “પાલખી ઊંચકવાની છે, ને લાત ખાવાની છે. જીવનથી મૃત્યુ લગીની આ જ ધ્રુવપંક્તિ છે.” આ પંક્તિઓ ગર્ભાશય અને નનામીને સાથે ગૂંથી આપી જન્મમરણચકને પ્રસ્થાપિત કરી આપે છે. કવિ સુરેશ દલાલ જન્મને અસત્ય, ને મૃત્યુને સત્ય કહે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને - જીવનને - “કંટાળા' તરીકે ઓળખાવતા કવિ “મૃત્યુને મોટું પૂર્ણવિરામ” ગણે છે. મૃત્યુને રોકનાર, પડકારનાર સાવિત્રીની જેમ મૃત્યુની સાથે હાથ મિલાવી પાછા આવનાર દોસ્તની કવિને ખોજ છે. “ચમાના કાચની જેમ - ભાંગી જશે મારો દોસ્ત અને આંખની કીકી ઓઢી લેશે સફેદ ચાદર” 85 મરણના રંગને બરાબર ઓળખી ચૂકેલા કવિ મૃત્યુને હૉસ્પિટલની દીવાલો જેવું અડીખમ ગણાવે છે. ને પથારીની ચાદર જેવું હંમેશા પથરાયેલું. - નર્સની સારવારને ભોંઠી પાડવા ખડેપગે ઊભું રહેતું, ડૉક્ટરોના પરાજયના પીળા રંગને પીપરમીટની જેમ મમળાવતું મૃત્યુ લોકોની લાચારી પર સૂકી આંખે હસ્યા કરતું કવિને દેખાય છે. “પણમૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખતાઈ છે” 86 જે. કૃષ્ણમૂર્તિના તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત એવા કવિ સુરેશ દલાલ તત્ત્વજ્ઞાન અને કવિતાના પારસ્પરિક ગૂઢ સંબંધનો સ્વીકાર કરે છે. “નિરુત્તર'માં મૃત્યુ કરતાં વિષમ જિંદગી પ્રત્યે ધારદાર કટાક્ષ થયો છે. કાવ્ય નાયક કહે છે “નહિ સારેલા આંસુઓમાં કલમ બોળીને માયાળુ (કટાક્ષ) વિધિએ એમના લેખ લખ્યા છે.” - તેથી તો “મરવાનું કોઈ નામ નહિ લેવાનું ને આમ તો મારે અહીંયાં જીવતા રહેવાનું છે” 80 કાવ્યનાયક પોતાના મરણના વિચાર કરે છે. પોતાનું શબ બાજુમાં પડ્યું હોવાનું અનુભવાય છે. (“તું સાથે હોય તો) ચહેરાપર મરણના સુવાળા હાથનો સ્પર્શ ભીતરથી તેઓ સંવેદે છે. મૃત્યુને કાવ્યનાયક જીવનબાગના અંતિમ ગુલાબ તરીકે ઓળખાવે છે. (“તું સાથે હોય તો' “પવનના અશ્વ') મૃત્યુ એટલે શું? એ કેવું હોય? એનો રંગ કેવો? માણસ મૃત્યુ પામે ત્યારે મરનારને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy