________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ *311 મળવાનો ભય તો લાગે જ છે. અનંત પ્રગટીકરણવાળી સૃષ્ટિથી વિખૂટા પડવાનું પેલા જીવને ગમતું નથી. (‘સૃષ્ટિ') કા-કા કરતા કાગડાના મૃત્યુ પછી એકજ પ્રહરમાં બદલાઈ જતા રંગની વાત (‘સૃષ્ટિ જ જુદી) માનવના અસ્તિત્વને પણ લાગુ પડે છે. તો બ્લેકબોર્ડ પરની સહેજમાં ભૂંસાઈ જતી લીટી જેવા નાશવંત અસ્તિત્વનો વિચાર “અસ્તિત્વ' નામના કાવ્યમાં થયો છે. અસ્તિત્વને કવિ બ્લેકબોર્ડ પર ચોકથી દોરેલી લીટી સાથે સરખાવે છે. જે સહેજમાં ભૂંસાઈ જવાની. “પાંખ સંકેલીમાં ('લીલેરો ઢાળ) એક પછી એક પીંછા ખેરવી લેતા પંખીની વાત સાથે માનવજીવનની સંધ્યાના સંદર્ભને પ્રિયકાંત જોડી દે છે. માનવ પણ જીવનના બધા સૂરને સેરવી સંકેલી લે છે, ને અંતે આગને ચૂમી લે છે. જીવનઅસ્તિત્વને માટીનો ખેલ ગણતા કવિ એક સનાતન પ્રશ્ન રજૂ કરે છે. મોરપીંછની ભાતસમું ચૈતન્ય આ અસ્તિત્વમાં કોણે મૂક્યું? (“આયુષ્યના અવશેષ'). ગીતાબહેન પરીખ જિંદગીને થાળમાના મિષ્ટ ભોજન સાથે, ને મૃત્યુને સુગંધી રમ્ય મુખવાસ સાથે સરખાવે છે. (‘મરણપણ) (પૂર્વ) ૧૯૭૯માં કવયિત્રી “ભીનાશ' કાવ્યસંગ્રહ લઈને આવે છે. સ્વજનમૃત્યુની વેદના વ્યક્ત કરતાં તેઓ કહે છે. જીવતર કેરે તારેવાણે વણાઈ જાતું મોત... 9 જીવન સાથે વણાયેલા આ મોતના દોરા-તાણાને ફાડીને તોડીને ફેંકી દઈ શકાતો નથી. પ્રભુએ આપેલા મધમીઠા જીવનરસને પીવામાં માનવ એવો તો ડૂબી જાય છે કે જીવનની ખાલીમાં અંતે મૃત્યુરસ પણ ચાખવાનો છે, એ ભૂલી જાય છે. માનવને જીવનરસની પિછાન છે. મૃત્યુની નથી. માત્ર અન્યના મૃત્યુ દ્વારા “મૃત્યુરસ મીઠો નથી એવી કલ્પના કરવામાં આવી છે. પિતાના મૃત્યુ નિમિત્તે લખેલાં પાંચ કાવ્યો “મૃત્યુમંગલમાં મૃત્યુ પોત એમને સ્પર્શીને જીવનનું બળ પામ્યાનું કવયિત્રી કહે છે. “મૃત્યુ છે ફૂલની શવ્યા મૃત્યુ છે પંથ ઉજ્જવલ મૃત્યુ ના જિંદગી-અંત મૃત્યુ અમૃત-મંગલ” * અત્યંત સ્વસ્થ ચિત્તે કવયિત્રી અહીં મૃત્યુને સ્વીકારે છે. હવે તો લહુમાં પિતાના મૃત્યુની વેદનાની ઓસરતી તીક્ષ્ણતાનો અનુભવ જોવા મળે છે. એ પ્રસન્નઉર હવે સૂક્ષ્મ થઈ નિઃસીમમાં વ્યાપી વળ્યાનો સંતોષ તેઓ અહીં વ્યક્ત કરે છે. પિતાનું એ આત્મપુષ્પ શાશ્વત પારાવાર-સુગંધમાં ભળી ગયાનું તેઓ કહે છે. ખર્યું કુસુમ? ના અવ સુગંધમાં વ્યાપક - વિલાઈ ગઈ જયોત? ના કિરણ તેજમાં દ્યોતક 77 ધન્યતા'માં પિતા અગમ્ય દેશે ગયા હોવા છતાં સૂક્ષ્મરૂપે સ્વજનો અને સંતાનોની સાથે જ વસતા હોવાની પ્રતીતિ થતાં, દિવ્ય આંતર સહવાસ આનંદના સૂક્ષ્મ સ્પંદન સૂરો રેલાવે દગી-અંત સુરેશ દલાલ ઈહલોકને “મરણભૂમિ' કહે છે. ને ઝુરાપાવાળા જીવનને મૃત્યુવત ગણે છે. “તમારા પત્રોમાંનું સદ્ગત પતિના સ્નેહના ઈન્દ્રધનુસમા પત્રોમાંથી ઝરમર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust