SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 309 “કાલ એ કંસના મૃત્યુની પ્રગટશે કૃષ્ણ કેરી લીલા” મુક્તિના સ્વપ્નને જોઈને રાષ્ટ્રના યજ્ઞમાં કંઈ કેટલાંય બલિ વિલીન થઈ ગયાં. એ સ્વપ્નને આજ વિલીન થતું જોઈને “ખાંભી નીચે હશે જેમની | મુઠ્ઠીભર માટીયે મૈ હલી” 17 કવિ' કાવ્યમાં મૃત્યુ પરના કવિના વિજયનો મહિમા ગાયો છે. કવિ તો સ્મશાનની ચિતામાંથી ભાગી છૂટવાનો, કવિ કશાથી ન બંધાય. અર્થાત કવિની કવિતાને મૃત્યુ મારી શકતું નથી. ચિતા જલાવી શકતી નથી. આગ દઝાડી શકતી નથી. આ સોંદર્યદ્રષ્ટા કવિઓ સ્મશાનમાંથીયે જગતમાં પાછા ફરે એવી એમની સૌંદર્યપ્રીતિ. ‘ફાઉન્ટનના બસ સ્ટોપ પર' કાવ્યમાં કવિએ મૃત્યુને દુર્નિવાર ને પવિત્ર ગણાવ્યું છે. તેથીજ એનો વિરોધ કે શોક નથી.. રહસ્ય મૃત્યનું ન હોય શું પિછાનતા ન શોક શબ્દના વિરોધનોય મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતા 8 પ્રિયકાંત મણિયાર સરળ વાણીમાં જીવનની ક્ષણભંગુરતાનો નિર્દેશ કરે છે. જલની લહરનું જાગવું સરળ, ને ભાંગવું ઘણું વહેલું”... શા કારણે કાવ્યમાં કવિ જીવનને મૃત્યુના પારણામાં મહોરતું કહે છે. જીવન અને મૃત્યુને જુદાં પાડી શકાય તેમ નથી. મૃત્યુની અવધિ પૂરી થતાં જીવન, ને જીવનની પૂરી થતાં પાછું મૃત્યુ, એ ક્રમ સતત ચાલતો રહે છે. અહા જીવન ઓરતું મૃત્યુને પારણે” 29 હજાર વોલ્ટના વીજળીના દબાણ પાસે, એને અડે તો બળી જવાની માણસને ચેતવણી અપાય છે. પણ માણસને જન્મમાં પ્રવેશતાં કોઈએ એવું ન કહ્યું કે, “મૃત્યુ એ રહ્યું તહીં જશો ન જાણી જોઈને” 08 પ્રિયકાંત કહે છે, “મનુષ્યજીવન એટલે મૃત્યુનોજ અવતાર. જન્મ એ મૃત્યુનું જ એક દેહધારી રૂપ. માનવનો જન્મ એ એનું મૃત્યુ પણ છે જ. “ગર્ભે ભરાઈ લઘુ જન્મ લેઈ . શા મૃત્યુના જન્મ ફરી ફરી” 1 મૃત્યુ પાસે જ તો જીવનની ભીખ માગવાની છે. જીવનને મૃત્યુના કૂબામાં નિરંતર રહેવાનું હોવાથી જીવન મૃત્યુને આધીન છે. એ વાત સિદ્ધ થાય છે. વ્યક્તિનું મૃત્યુ થતાં સાથે કશું જતું ન હોવાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “ઓઢી કફન કાયા ગઈ ઘરની વ્હાર જ્યાં ખૂણે પડી ગયેલી લાકડી રહી ગઈ 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy