________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 308 પંક્તિમાં એ જ કહે છે. કદાચ મારે ફરી અહીં આવવું પડે ? મમતા આસક્તિ ફરી અહી જન્માવે. - ઈશ્વરચંદ્ર ભટ્ટને (‘અંતિમ અભિસાર) સર્વત્ર સદૂગત પત્ની સૂક્ષ્મરૂપે વ્યાપેલી જણાય છે. મૌન રહ્યાં રહ્યાં સૂક્ષ્મરૂપે પત્નીની અકળ વાણીને એ સાંભળે છે. પત્ની પરમ પ્રતિ ગતિ કરી ગઈ હોવાનું તેઓ કહે છે. “પૃથ્વી પરથી છૂટું રજકણ મુક્ત કરીને દેહનું વળગણ... 2 “અનુભવમાં સનાતન મૃત્યુ ચિંતન રજૂ કરતા કવિ આત્માની અમરતાને પ્રમાણતા હોય એવું લાગે છે. આત્માને જાતિ કે વયનાં વળગણ ન હોવાનું કવિ કહે છે. પોતાનામાં મગ્ન રહેનાર આત્મા કદી ક્યાંય ન બંધાય. નિરંજન ભગત મૃત્યુની વાત જુદા જ સંદર્ભમાં કરે છે. નગરસંસ્કૃતિને મુખે મૃત્યુલેપ હોવાની વાસ્તવિકતાનો નિર્દેશ “ગાયત્રી' કાવ્યમાં કવિ કરે છે.. “મુખે છે મૃત્યુનો લેપ આ ગીતનો સુરમો દ્રગે ઉછળે છાતી હૈયે શા હીરલા જગે” 23 કવિને સવારનું સ્વપ્ન સાંજે ભગ્ન, ખંડિત થયેલું દેખાય છે. અપૂર્ણ જિદગીની શૂન્ય એકલતાના રહસ્યનો પાર પામવા મથતો કવિ મૃત્યુને જ જિંદગી માની આત્મપ્રતારણામાં સરે છે. હવે તેને પ્રતીતિ થાય છે કે “આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ જે મરે” 4 નગરજીવનની આ વિડંબના, કરુણતા માત્ર મુંબઈમાં જ છે, એવું નથી. બોદલેરના પેરિસમાં પણ આવી સ્થિતિ છે. જ્યાં સર્વત્ર જિંદગી મૃતવત છે. માણસ જન્મતાં જ મરી જાય છે. સંસ્કૃતિદર્શન છતાં વિષાદના કાવ્ય “સંસ્કૃતિમાં જુદા સંદર્ભે મૃત્યુનો નિર્દેશ ચિંતનાત્મકરૂપે થયો છે. ચારે બાજુ કંદનો તથા વિષમય વારુણીને જોઈ મૃત્યુના લોચનની લાલિમા હર્ષ અનુભવે છે. એવી તો વેદના સર્વત્ર ઘુમરાય છે, કે શબ્દોય શૂન્ય બની ગયા છે. મૃત્યુય આ બધું જોઈ ડઘાઈ જાય છે. મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે' “એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે ? મૃત્યુને, મૌનને મીંઢ આવું અને માનવીએ કદી ના લહ્યું” 5 કાળાં કામો કર્યા પછી મૃત્યુ સૂનમૂન બની ગયું, ને તેથી એણે કાળમીંઢ મૌન ધારણ કર્યું. છતાં કવિને ઊંડે ઊંડે શુભમાં શ્રદ્ધા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust