________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 307 સુધી પહોંચેલી તરની ઝીણી મરણ જીવાતની વાત અંતે તો માનવજીવનને સર્વીશે વ્યાપી વળેલા મરણ નામના રોગના જીવાણુની જ વાત. “વાર્ધક્ય વિશે ચાર રચનાઓમાં બાંકડા પર બેવડ વળીને પડેલા એક જર્જર વૃદ્ધની મૃતવત સ્થિતિનો કવિ નિર્દેશ કરે છે. દેહ જાણે રાખનો ઢગલો'. હજુ કેટલા શ્વાસ લેવાના બાકી એ વિચારે થાકી જતો વૃદ્ધ મૃત્યુની પ્રતીક્ષા કરે છે. “ને પછી પડ્યો વૃદ્ધ ને પડ્યો જ પડ્યો જ ગયો નીકળી ઠેઠ જીવનની બહાર” 18 આદિ કાળથી માનવજાત મૃત્યુના રહસ્યને ઉકેલી શકી નથી. તેથી તો નચિકેતા થવાનું અઘરું છે, એમ કવિ કહે છે. મૃત્યુના પ્રદેશમાં જવું એ જ પૂરતું નથી. ત્યાં જઈ એને મળી, એની સાચી ઓળખ, એનું રહસ્ય પામવાની કવિને ઝંખના છે. પણ એ તેમ કરી શકતા નથી. મૃત્યુની માત્ર રૂપાળી ને રોમેન્ટિક કલ્પનાઓ જ તેઓ કરી શકે છે. વિશેષ કાંઈ નહિ. કર્કશ કોલાહલથી દૂર ખંડને એક ખૂણે, મૂગાંમૂગાં બેઠેલા મૃત્યુની આંખોમાં કાવ્યનાયક સાથે વાત કરવાની અપેક્ષા દેખાય છે. કાવ્યનાયક પણ મૃત્યુ સાથે વાત કરવા ઉત્સુક છે. (“એકાએક' “શૂળી ઉપર સેજ') એ એની પાસે પહોંચે ન પહોંચે ત્યાં તો ઉપેક્ષાથી ઘવાયેલી પ્રેયસી જેવું મૃત્યુ ખંડની બહાર ચાલ્યું જાય છે. જાણે છેક આવેલું મૃત્યુ રીસાઈને પાછું ફરી જાય છે. “નોતરાં' કાવ્યમાં પરોક્ષ રીતે કવિ મૃત્યુનાંજ નોતરાંની વાત કરે છે. લોકગીતના ઢાળમાં ને તળપદી શૈલીમાં જીવને સંસારની માયા ત્યજવાનું કહેવાયું છે. “અસવાર' કાવ્યમાં કવિએ યમદેવનું વાહન “કાળો ઘોડો' કયું છે. “કાળે ધોડે કાળે લૂગડે પેઠો ગઢ મોઝાર' અસવારનું મોં ઢાંકેલું છે. તેથી આંખથી ઓળખાતો નથી. લીધો ઉપાડી અધ્ધર, પળમાં નાખ્યો ઘોડાપીઠ ઓળંગી ગઢ, અજીંગ ઊડ્યો ઓ દેખાય.... અદીઠ” પ૯ દશે દિશામાં ખેપટ ઊડાવતો (ચારે બાજુ ગમગીન વાતાવરણ ફેલાવતો) એ નાસી જાય છે ને બધે સોપો પડી જાય છે. “આ વૃક્ષ' કાવ્યમાં મરણને જોતા વૃદ્ધોની કથા કહેવાઈ છે. જીવનવૃક્ષનાં મૂળ ખવાઈ ગયાનો એકરાર છે, બે વૃદ્ધજન કહે છે. “જોયા કરવાનું આપણે બેઠા બેઠા શિશિરને તાપણે અહીં આંગણે એને - શિથિલચરણને - મરણને” 0 વૃદ્ધત્વ સમયે મૃત્યુય વૃદ્ધના શિથિલ ચરણની જેમ ધીમે ધીમે આવતું હોય એમ લાગે છે. કદાચમાં વતન, ઘર, ભૂમિની છેલ્લી વિદાય લેવાની અનુભૂતિનો નિર્દેશ છે. મિત્રને થાય છે, એના મિત્રને ઘરે જોતા જાય કદાચ એ આવ્યો હોય તો તે કવિ અંતિમ P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust