________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 306 “મૃત્યુ લઈને જન્મ અહીં સૌ પૃથ્વી પરના પિંડ” 54 કવિ કહે છે શૂન્યની મીંડ (મૃત્યુ) પાસે શબ્દ કે મૌન બધું સરખું. સાવજને કવિએ “કાળ” . કે મૃત્યુના પ્રતીકરૂપે કલ્યો છે. (“સાવજ) આ જીવનરૂપી અઘોરવનમાં ગમે ત્યારે પેલો સાવજ નીકળે, માનવનાં સ્વપ્નોને બોચીમાંથી પકડશે, ને કાંધે નાખી લઈ જશે. સ્વજનની કાંધે નહિ, મૃત્યુની કાંધે ચઢીને જવાનું હોય છે. સાવજથી બચવાના બધા પ્રયત્નો વ્યર્થ જાય. “રીંછ' કાવ્યમાં “રીંછ' મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. ગહનવેરા જીવનવનમાં રાતના અંધકારમાં મૃત્યુ સતત અણદીઠ રહી ફર્યા જ કરે છે. જિજીવિષા અને આશાઓનો મધપૂડો લઈને ફરતા વૃદ્ધોને ચાટીને આ રીંછ ધીમે ધીમે ખતમ કરે છે. મૃત્યુને મારનાર જ્ઞાનસૂર્યની કવિને (કાવ્યનાયકને) પ્રતીક્ષા છે. મૃત્યુ પછીનું અમૃતત્વ તો કોણ જાણે ? પણ જીવનના પ્રેમરસ ભર્યા સ્નિગ્ધ પદાર્થોમાં એકરૂપ થવાની સ્થિતિને કવિ મોક્ષની દશા કહે “પંચતત્ત્વોની ઘટનાનું ઘનરૂપ હું જૈશ વિખરી.... અને એમ પામીશ મને અસલ વતનમાં” પપ ભાવમાં જન્મેલો, ભાવરૂપ બનેલો વાસના દેહ, ભાવામૃતમાં ભળી જશે. સમયની શીશીમાં સરકતી ક્ષણોની રેતનો નિર્દેશ, જીવનની ક્ષણભંગુરતાની વાત પરોક્ષ રીતે કરી જાય છે. ને અંતે કાવ્યનાયક પોતાની આંખે નભનું ઊતરતું કલાન્ત મરણ નિહાળે છે. જે સ્વમરણનોય સંકેત આપે છે. માનવ પોતાની જિંદગીની ખૂબ માવજત કરે છે. એને શણગારે છે. ને પછી સાચવીને ચાલ્યા પછીયે એ જઈ પહોંચે છે, તો પેલા મરણની ભેંકાર ભેખડ પર “જિંદગીને ખભે બેસાડીને જાળવી જાળવી ચાલીએ ને ચાલી ચાલીને આવીએ આખરે તો એક નાજુક ટેકે ટેકવાઈ રહેતી મરણની ભેંકાર ભેખડ પર” પ જવાનું'માં કોઈ નવે પ્રદેશે બધું જ છોડીને જવાની વાત કરાઈ છે. ચાલનારાં ચરણોનેય છોડવાનાં છે....આ ચરણ વડે તો પેલા અવ્યક્ત અજાણ્યા પ્રદેશ જઈ શકાવાનું નથી. હું'નાં શરીર બંધનોની પાર તો સૂક્ષ્મરૂપે જ જવાય ને? “મનુષ્યસ્તોત્ર'માં કવિ જયંત પાઠક (“મૃગયા') એક વિશિષ્ટ વિરોધ રચી આપે છે. - “આપણે માણસ અમૃતના પુત્રો ગર્ભમાંથી જ મૃત્યુને વરેલા” પ અમૃતના પુત્રો' એ જ્ઞાનસૂત્ર છે. ને ગર્ભમાંથી “મૃત્યુનું વરણ' એ અજ્ઞાન? આભાસ? પુનરપિ જનનમ્ પુનરપિ મરણ, બધાનું મૂળ તૃષ્ણા વાસના. શરીરનું મૃત્યુ જ અંતે માનવને, આત્માને અમર બનાવે. “અમૃતપુત્ર” બનાવે, તો ‘મિથ્યાસ્તોત્રમાં પણ “મૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust