________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 303 બીમાર પડેલી જનનીના મૃત્યુના ભણકારની વાત રજૂ થઈ છે. પાછળના વનતૃણના એ વાડામાંથી બિલ્લીપગે ઘૂસીને ઘરમાં આવી બેસી ગયેલા મૃત્યુને કવિએ જોઈ લીધું છે. “ઉગેલું જોઉં છું તૃતૃણ પથારી-કબર પે જાણે મૃત્યુ તૃણતૃણ બની પથારીમાં ઊગ્યું” <3 મૃત્યુને તૃણરૂપે માની પથારીમાં ઊગેલું જોયા પછી મા પણ તૃણરૂપ બની હોવાનું કહે છે. મૃત્વમુખે ઉછરતા જીવનમાળાની વાત ઉશનસ્ “સર્જનનો ઉદ્યમ” (“સ્પંદ અને છંદ')માં કહે છે. “ચૈતન્યમાં ક્યહીં જતો મળી જાય તાળો મૃત્યુમુખે જીવનનો ઉછરંત માળો” જ જમીનની ભીતરમાંથી ફૂટી નીકળતો લીલા રંગનો અંકુર, તેમજ શાખા પર ફૂટતું નવું પર્ણ પોતાના વ્યતીત થયેલા શતશત જન્મોના દર્શનની પ્રતીતિ કરાવે છે. (“કાળ - ડૂબકી - એક તંદ્રા') “આ વેળા તો જુદો જ અનુભવમાં અન્યથા સૌદર્યદર્શી કવિ ઉશનસ એક નવી જ ઇબારત લઈને આવે છે. ભીંત પરની ખરતી પોપડીમાં આયુષ્યની જરઠતાને જોતા કવિ જીવનની સચ્ચાઈને નિરૂપે છે. દગના કાચની ઝાંખપ તેમને ભૂખરા સ્મશાનની અનુભૂતિ કરાવે છે. “મરણ ચૂસતું પોલા શીળી લહેર થકી નળા” 45 કોક કૂતરું હૃદયને પીંખી નાખતું હોય એવો અનુભવ થાય છે. પોતાના જ મરણની વાર્તા સાંભળતાં પોતે પ્રેત જેવા બની ગયાની અનુભૂતિ કરે છે. વિશ્વજનની-સ્વરૂપમાં એક વિરલ અનુભૂતિ વ્યક્ત થઈ છે. બાના દેહાંત પછી ઘરમાં પ્રવેશતાં, આશ્ચર્ય સાથે સર્વત્ર જનનીરૂપ બનેલી સભરતા અનુભવાય છે. જનની હવે વ્યક્તિ મટી વિભૂતિ બન્યાની પ્રતીતિ થાય છે. તો જાતકકથા'માં પૂર્વજન્મમાંય જાણે એ જ જનની અને પોતે પુત્ર હોવાની આસ્થા વ્યક્ત થઈ છે. માની ગોદમાં ઝરણરૂપ બની પોતે ઝમતા હોવાની શ્રદ્ધા કવિ ધરાવે છે. તો “અભિજ્ઞાન'માં પુનર્જન્મની વાત કવિ કરે છે. જુદાંરૂપ ધરી જનની જન્મશે તોય તેઓ સહેજમાં એમને ઓળખી જવાના. તરુ બની મા જન્મે તો એની શીતલ છાયાથી જ કવિ એમને પામી, ઓળખી જશે. ગ્રીષ્મઋતુમાં જનનીને યાદ કરતાં અમસ્તાં જ નેણ જળ ભરાશે ત્યારે જનની જ એના પર છાયા ધરશે ને કવિ પુત્ર એમને ઓળખી લેશે. - “સાંજનો સાદ'માં જીવન સંધ્યાનો નિર્દેશ છે. તેથી જ તો તેમને નીડને પેલે પારથી માનો સ્વર હવે સંભળાય છે. માટીનો-આદ્યધરણીનો એ રુધિરસ્વર. “ફરી પાછા નીડે, નીડથી ધરતીમાં મળી જવું, .* * ફરી પાછા ઇંડે જનની તવ જન્મી ફરકવું 49 ફરી એજ માને પેટે જન્મવાની ઝંખના અહીં વ્યક્ત થઈ છે. “પુષ્પ' નામનું કાવ્ય ઉશનસ ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust