________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 302 વૃકોદર સમાન મૃત્યુસિંહ ઉદ્દરે સૌ પચ્યું” 41 મૃત્યરૂપી એ હિંસક પશુ પોતાની અનરૂપી યાળ આમથી તેમ સતત ફંગોળતો ફરે છે. એના ચમકતા પીળા દાંત વડે મૃત્યું પોતાના લક્ષ્યને પામવા તરાપ મારે છે. એટલું જ નહિ મૃત્યુ સ્વજનને સ્મશાને મૂકવા ગયેલા સૌ ડાધુ પર પણ પોતાની તરસી નજર ફેરવી લે છે. અહિ પૂર્વાર્ધમાં મરણની ભયાનક વર્ણવી ઉત્તરાર્ધમાં ભારતીય પરંપરામાં વર્ણવાયેલી મૃત્યુની ગતિને સ્વસ્થ ચિત્તે ઉશનસ નિરૂપે છે. જ્યાં પછી “મરણ” જેવું કશું છે જ નહિ, ની પ્રતીતિ કાવ્યનાયક કરે છે. વ્યાકુળ વૈષ્ણવ'નાં કાવ્યો આમ તો ઈશ્વર સાથેના અનુસંધાન અને મિલન માટે તલસતા કાવ્યનાયકના ઝુરાપાનાં છે. કાવ્યનાયક પોતાની જાતને “અનંત” માને છે. શરૂમાં ઉશનસે અહીં સરસ પંક્તિ મૂકી છે. “જોઈ શકું રાહ છું કેમકે, શાશ્વત હું” (ઉશનસ) અહીં પોતે શાશ્વત હોવાની રમણીય શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિઓને જરામરણ ન હોય એવી આસ્થા? અથવા તો માનવઆત્માની અમરતાનો સંકેત. કવિ પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. એટલું જ નહિ પુનર્જન્મ ઝંખે પણ છે. તાજે નવજન્મ. “મટી જવા ઝંખી રહું આ અપ્લાન ભાવિ સમાજ હું, કેમકે, ઝ્મ ચહું” (ઉશનસ). આ કથનનો અહીં વિરોધ નથી. સંદર્ભ અહીં વધુ વિશાળ બનીને આવે છે. મટી જવાની ઝંખનામાં શરીરના મટી જવાની જે વાત છે. ને તો જ તો નવાંકુર ધરી શકાય ને? મૃત્યુના પ્રદેશમાં થઈને જ કદાચ ઈશ્વર સાથેનું મિલન શક્ય બને ને? “વ્યાકુળ વૈષ્ણવ'ને ગુજરાતની ગીતાંજલિ' ગણાવતા સુંદરમ્ અહીં કાલાતીત શાશ્વતીના ઝંકાર પણ સાંભળે છે. ૨૩માં કાવ્યમાં સમયછોડ પર નિત ફૂલ બીલવી, સાંજે ખેરવી નાખતી, વેઢા ગણતી વિરહિણી કોના આગમ માટે ઉજાગરા કરે છે એ નથી સમજતું. “હો ફાટે, 3 ફૂટ ફૂટે ટપ, સાંજ પડ્યે ગરી જાય સાંજ પડ્યે પ્રિય વાસર ફૂલની પાંખરીઓ * હું ખરી જાય” 1 કવિ ઉશનસ નિર્મમ નિસંગી વેદાંતી પિતાના મૃત્યુનો શોક કરવાનું મિથ્યા હોવાનું (“ને તોય) કહે છે. પિતાના મૃત્યુની સાથે સાથે પોતાના મૃત્યુની અનુભૂતિ “મુજપિતા'માં વ્યક્ત થઈ છે. (તૃણનો ગ્રહ) ઘેર વતનમાં પૂજા માટે તૈયાર થયેલા કવિને પોતે પિતા જેવા જ લાગતાં, સ્વમૃત્યુદર્શનનો જાણે અનુભવ થાય છે. સ્વસ્થ ચિત્તે, સાક્ષીભાવે તેઓ જાણે પોતાની જ ચિતા તથા નનામીને નિહાળે છે. નિઃસંગતાનો આ વિરલ અનુભવ ગણાય. જીવનમરણદર્શનમાં આમ તો જીર્ણ ઘરની અવસ્થાના વર્ણન દ્વારા મૃતપ્રાય બની ખાટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust