SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 301 કવિ દિવસની જેમ રાત્રિનેય કર્મશીલ ગણાવે છે. દિવસ જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક છે. (‘કાળ પર ધરાય ચરણ” “વિભાવન”). કવિ રાજેન્દ્ર શાહ કહે છે, ભલે જણાય શાંત, પણ અચલ ન જાણ મરણ” 38 નિત્યના સુખનો દેશ જરાય દૂર ન હોવાનું કહેતો કાવ્યનાયક કાળની કેડી પર નૃત્યછટા સાથે નિર્ભયતાથી ખુમારીપૂર્વક ચરણ ધરવાનું કહે છે. માલયને સૌના ઘર તરીકે ઓળખાવતા કવિ (‘પુનર્જીવન”) મૃત્યુને સંજીવની તથા કૃતાંતકાલ બંને રૂપે બિરદાવે છે. મૃત્યુ હશે તો જ પુનર્જીવનની શક્યતા, તેથી એ સંજીવનીરૂપ. કવિ કહે છે કેટલા જન્મ ધર્યા એ કોઈ જાણતું નથી. દરેક ખેપે નવી જુદી દુનિયા જોવાની, જન્મ મરણના ચક્રનોય પછી અંત આવતાં જન્મમરણ બધું એકાકાર થઈ જાય ને ત્યારે મુક્તિની ધજા ફરકે. (“અવધૂતી” “ખેપ” “હાસુપર્ણા') સાંજ પડ્યે પોતાના નીડ ભણી પ્રયાણ કરતાં પંખીની વાત, અંતે માનવના ય નિજ ઘર ભણીના પ્રયાણની વાતનું સૂચન કરે છે. (“નીડભણી' “ધાસુપણ) જતી વખતે સ્વજનોની મમતા અવગણીને તળાવતીરે જીવ પળનો પોરો ખાય, પરમધામ નજીક દેખાય, ગંતવ્ય સ્થાનને જીવ આતુર નજરે જોયા કરે છે. ને પછી ઉમંગ ઉછળતા ટહુકાથી ગંભીર ગગન (ચિત્ત) રણઝણી ઊઠે છે. મરણના નિમંત્રણને પાછું ઠેલી શકાતું નથી ને છતાં જીવનમાં છેક છેલ્લું કશું ન હોવાની વાત કરતા કવિ મૃત્યુને ય અંત નથી ગણતા, માત્ર આ લોકની સીમા’ ગણે છે. મૃત્યુને પાસે બોલાવી આશ્લેષવાનું કહેતા કાવ્યનાયક મૃત્યુના શીર્ષને સૂંઘવા ને હૃદયપૂર્વક નમવા આતુર છે. મુખ ફેરવી લેવાથી મૃત્યુ દૂર થતું નથી, એ વાસ્તવથી પણ સભાન છે. કવિ કહે છે, ( જિંદગી જો તેજ કરી ઉજ્જવલ સૂર્યનું રાત્રિના અંધાર જેવી છે કજા” 39 કવિ રાજેન્દ્રશાહ અહીં વળી રાત્રિના અંધકાર સાથે મૃત્યુને સરખાવે છે. તો વળી ક્યાંક મરણને સગી આંખે જોઈ લીધાની વાત પણ તેઓ કરે છે. મૃત્યુને આ લોકની સીમા કહે “મેં મરણને જોઈ લીધું આંખથી સગી સાત ડગલા સંગ માંડ્યાં બારણા લગી” 40 બારણા સુધી આવી પહોંચેલા એ મૃત્યુનો પાર તો પામી જ નથી શકાયો, પાંચ તત્ત્વથી વિખૂટા પડ્યાનો અનુભવ જીવતાજીવત જાણે તેઓએ કર્યો છે. કવિ ઉશનસ સમગ્ર પૃથ્વીને “મરણક્ષેત્ર' કહે છે. “સ્મશાન” કાવ્યમાં મૃત્યુને ઉશનસ સિંહ સાથે સરખાવે છે. (“આદ્ગ”). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy