SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 300 પ્રયાણ'માં (“શ્રુતિ') અંતિમ પ્રયાણ સમયની કાવ્યનાયકની સ્વસ્થતાનું સુંદર ચિત્રણ કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે. જનાર જીવને ગ્લાનિ નથી, માત્ર વાતાવરણમાં સ્તબ્ધતા અને નિર્વેદ છે. સ્વજનોની પીડાને લીધે જનારને થોડી વ્યથા છે. શરીરના બધા બંધ છૂટવા માંડે છે, ને જીવ અંતિમ પ્રમાણે ઊપડે છે. “વાર્ધક્યની પાનખરેમાં મૃત્યુની જ અંધાણીનું સૂચન છે. બોરસલીના વિશીર્ણ થયેલા ને રૂપવિહોણા તથા પરાગહીન બનેલા પુષ્પની વાત દ્વારા દેવળ જૂનું થયાનું, ને હંસલો તો નાનો હોવાની વાત, તથા વસ્ત્ર જર્જરિત થયાનો ઉલ્લેખ મૃત્યુની જ સૂચનાત્મક રીતે વાત કરે છે. “દેશવટો'માં વિલક્ષણભાવ રજૂ થયેલો છે. નિવમું અહીં મૃત્યુમાં થવા હજીયે તે હું અજન્મ છું રહ્યો” 35 ઊલટું અહીં પૃથ્વીલોકે સતત મૃત્યુમાં વસતા હોવાનો અનુભવ કાવ્યનાયક કરે છે. વિદાયવેળાએ'માં અંતિમ વિદાયવેળાએ જીવને વીંટળાતાં રાહુસમાં સ્મરણોની વાત કરી છે. મૃત્યુના વ્હાલભર્યા બાહુસ્પર્શનો અનુભવ થતાં જીવ સૌને છેલ્લા જુહાર કરી ચાલ્યો જાય છે. “વિદાયરી' (‘શાંત કોલાહલે”)માં જીવના કોઈ અણદીઠ દેશે થતા પ્રયાણની વાત છે. અસહ્ય વેદના અંતિમ પળે સ્મિતમાં પલટાઈ જાય એવી પ્રાર્થના કાવ્યનાયક કરે છે. “નિર્વાસિતોનું ગાનમાં પૃથ્વી પર સૌ નિર્વાસિત હોવાનું કવિ જણાવે છે, કાળજાના ટુકડા જેવા સ્વજનોની રાખ જોવી પડતી હોય છે. “વેદનામાં કોઈનું શાસન ન હોવાનું કહેતા કવિ જીવનની જેમ મૃત્યુનેય ક્ષણભંગુર ગણાવે છે. જેમ જીવન ટકતું નથી, તેમ મૃત્યુ પણ ટકતું નથી. ખાલીઘર'નો કાવ્યનાયક શૂન્ય અંધકારમાં મૃત્યુના મૌનનો અનુભવ કરે છે. (“ક્ષણ જે ચિરંતન) “મૃત્યુની મૌન છાયામહીં ભરી રહું ડગ” 30 જાણે પોતાનું પ્રેત ભમતું હોવાની પ્રતીતિ થાય છે. મૃત્યુના પ્રતીક સમા ઘુવડની સામે નજર મંડાય છે. હૃદયના આવેગની વાણી સ્તબ્ધ બને છે. પાન વિનાની ડાળ પરનું ઘુવડ મૌન છે. મૃત્યુ થતાં ગંધ, નામ, રૂપ, રંગ, બધુંજ સ્વાહા થઈ જાય છે. (‘અગ્નિ, તેજ, આગ અને ભસ્મ') (‘વિષાદને સાદી) સદૂગત મિત્ર મનહરના અવાજના સૂરનો આભાસ પામતા કાવ્યનાયક પોતાના અંગના વસ્ત્ર પણ ગુમાવી બેસવાનો-પોતે મૃત્યુ પામવાનો જાણેકે અનુભવ કરે છે. (‘પુલ પર થઈને) “શ્વેતાશ્વેત'માં અવરલોકથી આવેલા જીવનના, ગતજન્મનાં સ્મરણોને વાચા અપાઈ છે. પણ ઈહલોકના સ્વજનો એને ઓળખી શકતાં નથી. પેલા નિધનના અંતરાયને ન તો મૃત્યુ પામેલ માનવ ભેદી શકે છે, કે નતો હયાત રહેલા સ્વજનો. “નવી ઓળખમાં જીવાત્માને શરીરના મૃત્યુ સમયે થતી કોઈક નવીજ ઓળખ, તેમજ હર્ષ અને વિસ્મયના અનુભવને શબ્દબદ્ધ કરાયો છે. જાણે મન દિવ્ય નર્તનમય છંદમાં છોડી જાય છે. “આ અંગ છોડી ગયું પ્રેત્ય કો થઈ છાયા ન ખાલી અવ P.P. AC. Gunratnasuri M.S. કાય આ રહી” 30 Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy