SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 29 ન કરવો” એવો એમનો આગ્રહ હતો. પણ એમ કરવું સહેલું નથી, એ તેઓ જાણતા હતા. મૃત્યુના ચિંતનને કાંઈ કલમના એકજ ઘસરકે અટકાવી શકાતું નથી. સ્પાઈનોઝા અમરત્વની અવસ્થાને મુક્તિની અવસ્થા કહેતા. તો લેબનીઝ (1646-1716) એમ માનતા હતા કે, “કોઈ જીવંત પ્રાણી પૂરેપૂરું મરતું નથી. માત્ર રૂપાંતરો થાય છે. આત્મા અને શરીરના ઐક્યને તેઓ સ્વીકારતા. અઢારમી સદી અમરત્વનો ઇન્કાર કરે છે. તેમ છતાં આજ સદીમાં, મૃત્યુ પછી શું થાય છે? એ પ્રશ્નનું સંશોધન પણ ઘણું થયું છે. કેન્દ્ર આત્માની પ્રખર શક્તિમાં માનતા. કોન્ડોરસેટ નામના તત્ત્વવેત્તાએ (1743-1794) જીવનમાં મૃત્યુના સાચા સ્થાનનો મહિમા સ્પષ્ટ કર્યો. મૃત્યુને લંબાવવાથી કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવી શકે, એમ તેઓ માનતા. “કોઈ અમર થાય એ વાતમાં એમને શ્રદ્ધા હતી. ડેવીડહ્યુમને પણ (17111776) અમરત્વની ચર્ચા શંકાસ્પદ લાગે છે. પોતાનું મૃત્યુ જયારે નજર સમક્ષ દેખાયું ત્યારે એમને કોઈ જાતની બીક લાગતી ન હતી. પોતાના શરીરનું વિલીનીકરણ બહુ ઝડપથી થાય એમ તે ઇચ્છતો. મૃત્યુ સમયે પણ એમનું ખડખડાટ હાસ્ય અને તેજસ્વી મુખ સ્વજનોને પ્રભાવિત કરનારાં હતાં. હેગલ (1780-1831) એમ માનતા હતા કે “માનવ શાંત અને મય હોવાથી પોતાની જાતની પેલે પાર જોઈ શકતો નથી, હેગલ તો એમ માને 69, "Man is not only mortal, he is death incarnate, he is his own death." 20 હેગલની દષ્ટિએ માનવ પોતેજ એક મૂર્તિમંત મૃત્યુ.” 0 તો બીજી બાજુ Lectures on the philosophpy' માં હેગલ કહે છે "Death is love itself, in death absolute love is being revealed, it is the identity of the Divine and the human, that God is at one with Himself in man, in the finite. Through death God has reconciled the world and reconciles Himself eternally Himself." 61 રોમેન્ટીક્સોએ મૃત્યુ અંગેના વિચારનું ઉદારીકરણ કર્યું છે. હેનરિક વોન કલીસ્ટ નામના એક વિદગ્ધ મેધાવી કવિએ, સ્વર્ગમાં સદ્દગત પત્ની સાથે આનંદમય રીતે જીવવાના સ્વપ્ન સાથે પોતાની પ્રિયતમાની કબર પાસે આપઘાત કર્યો. જયારે શેલિંગ પોતાની પ્રિયતમા કેસેલીનના અવસાનને પરિણામે આધ્યાત્મિક્તા તરફ વળ્યો. શોપનહોવર (1788-1860) મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી તરીકે પૂજતા. મૃત્યુને તેઓ સાચી પ્રેરણાદાયી દેવી અને તત્ત્વચિંતનની કવિતા તરીકે સન્માન્ય માનતા. "Death is the true inspring genius or the muse of philosophy". ફાયરબાર્ક (1804-1872) મૃત્યુના અસ્તિત્વ છતાં જિંદગીને ભરપૂર જીવવામાં માનતા. મૃત્યુને તેઓ પ્રેમની આખરી સંમતિ ગણતા. અન્યથા ગોપન મૃત્યુ વ્યક્ત થતાં મુક્ત થાય છે. બંને મૃત્યુ એકરૂપ થતાં પછી એની બીક રહેતી નથી. "Death in itself is not terrible, no, The natural, the healthy death which occurs in old age, which occurs when man has enough of life, as the old Testament tells us of the patriachs and the other blessed ones is the last will and desire of man, at least in so far as he remains in his wishes and ideas true to Nature." 63 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy