SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ " અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 297 દેવ વિનાના આ સૂના ગૃહમંદિરે પાછા ફરવા તેઓ પતિને વિનવે છે. તો તરત હળવી સહજ રીતે મૃત્યુના વાસ્તવનો સ્વીકાર કરે છે. એટલે જ કહું છું જનાર તો જાય છે. આડા હાથ કે દેવાય છે ?" 28 કવિપ્રિયા અલગારી પ્રવાસી પતિને એમના મુલકનું સરનામું પૂછે છે. “આ અભાગણીનું આયખું વિચ્છેદ વાટે વિસ્તર્યું એ... ય ને વાધ્યો જા....ય.” 29 આ વિરા....ટ વિચ્છેદ જે વલખતા વિખરાતા ઉરની કેદ બની રહે છે. વિલખતા વિરહની કરુણતા અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. એક વેળા પ્રભાતને પહોર ન સમજાય એવો અવસાદ તેઓ અનુભવે છે. શિશિરનો વાયુ ભીતર ભેદીને વીંધે છે. “આવે આવે' સંભળાય ને તેઓ આવતા નથી કે નથી પત્ર' તેથી હૃદયમાં રોષ જન્મે છે. દીનતાથી હૈયું છેક ગળી જાય છે. પછી કવયિત્રી અહી આત્મદર્શન કરી પતિ પર કરેલા રોષ અને અપરાધની માફી માગે છે. “પ્રીતની પજવે પ્રાયશ્ચિતની ખરખર અંસુવન ધાર ઉર ડામે અપરંપાર” " હવે તો રીસામણા મનામણાં બધુંજ વિરમી ગયું છે. વ્યથિત નાયિકા પૃથ્વીને હવે પાષાણલોક' કહી નાખે છે. “કાય કારાગાર તોડ્યું છૂટે નવ છેક.... લહું આજ પ્રિય વારંવાર ગ્લાનિરંગ 3 વર્ષ આવે વર્ષ જાય, જાણે બધાંજ સુખનો સંહાર થઈ ગયો હોય એમ લાગે છે. મર્મવેધક કરુણ તો ત્યાં પ્રગટ થાય છે. કવયિત્રી કહે છે, પતિએ જતાં જતાં પોતે પત્ર લખી નથી શકવાના-એવો ઇશારો કર્યો હોત તો પત્રઝંખનાના ઝુરાપાની આવી ઝાળ તો ન લાગત. પ્રેમપથિક શેલિ' આમ તો ડાહ્યાભાઈ પટેલે લખેલું અંજલિ કાવ્ય છે. પણ એમાં કવિએ શેલિની પત્નીની વ્યથા નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. (“કાવ્યપરિમલ') પતિના જીવનાત્તે દુઃખથી પાગલ બનેલી એની પત્ની પણ મૃત્યુની ઝંખના કરવા લાગી. સુરેશા મજમુદાર પુત્ર ચિત્તરંજનના કરુણ અવસાન નિમિત્તે “ઉરનાં આંસુ' (1965) કરુણપ્રશસ્તિકાવ્ય આપે છે. અશ્રુને દુઃખનું બેલી કહેનાર કવયિત્રી મૃત પુરાની સ્મૃતિ અમર રાખવાનું કાર્ય નયન, રસના અને હૃદયને સોંપે છે. “ઉરનાં આંસુ' શીર્ષક જ પુત્રવિરહી માતાની વ્યથાનું સૂચક છે. તેઓ ઑગસ્ટને (૮મી) તેથી તો “યમદૂત' કહે છે, કરુણ કારમી એ કાળઘડી કાળજડે કોરાઈ હોવાનું કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy