SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 296 “એમ તો અહીં દુઃખ છે, મૃત્યુ છે ને મૃત્યુસમું જીવન છે” * કવિના શબ્દો આસું બની ઊડે છે. કાવ્યનાયકના પરલોકે પ્રયાણ નિમિત્તે ફુરેલું કવયિત્રીનું ઉરસ્પંદન એટલે હીરાબહેન પાઠકનો કાવ્યસંગ્રહ “પરલોકે પત્ર.” મૃત્યુજન્ય વિરહમાંથી ટપકેલાં સંવેદનોએ નાયિકા પાસે અવશપણે લખાવ્યું છે. આ પત્રકાવ્યોનું નિમિત્ત કવયિત્રીના સદ્ગત પતિનું મૃત્યુ (1955, 21 ઑગસ્ટ) હોવા છતાં અહીં તત્ત્વજ્ઞાનનું ચૂંથણું ક્યાંય જોવા મળતું નથી, કે નથી જોવા મળતી કેવળ રુદિષા. પતિના મૃત્યુની એ ગોઝારી પળ ખડી થાય છે. પતિ વિનાની એમની દેહ વણનેહ સૂની ને અલૂણી થઈ ગઈ છે. “આ જીવિત જ ન જોઈએ” 23 એમ આઝંદપૂર્વક બોલી ઊઠતી પત્નીને ખભે હાથ મૂકી પતિ કરુણાભાવે સમજાવતા ન હોય એવી કલ્પના કવયિત્રીએ કરી છે. કાચું ફૂલ બિનપક્વ ભોયે તે શું પડે ? દેહાવધિ વિણ શું કે - જીવિત ખરી પડે” 4 ને જાણે ઈષ્ટજીવનનો બોધ આપી પતિ અલોપ થઈ જાય છે. ભ્રમણાની આ રમણા? કે પછી કોઈ ચૈતસિક અનુભવ ? એમની આ દુર્ભાગી જલછાયી દષ્ટિને શુભ્રોજ્જવલ વસ્ત્રાન્તનો હજીયે જાણે સ્પર્શ, બધું એનું એ પણ કાવ્યનાયિકાને હૈયે તો ઉઝરડા છે. આપણું એ વણપ્રસલું ગર્ભબાળ પદપંક્તિ કંકુવરણી આછેરી ii આછેરી તે પે મૂકી થયું તું અદૃશ્ય૨૫ ની યાદ તેમને આજેય તીવ્ર વલોપાત ને આઘાત અનુભવાવે છે. ઇશાનના શીતવાયુ અંગાંગમાં મીઠો કંપ પ્રસરાવેછે. વૈકલ્પ ખમાતું નથી. દસમા પત્રમાંની “શોકપ્લાન સંધ્યા' કવયિત્રીની વિષાદમયતાનું સૂચન કરે છે. કાંઠા સુધી જળ ભરી ફૂલદાનીમાં પતિએ રોપેલી “ઇન્દુવલ્લીને ‘કાન્તવલ્લીની ફાલેલી, બારસાખે કમાન રચતી વેલ પતિની વિદાયનો જાણે દીર્ઘકાળ કથી રહે છે. એમની આરત અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. જાણે ટેલિફોન પર વાત કરતાં હોય તેમ પૂછી નાખે છે. બોલ ક્યારે આવે ? ચાલે નવ કહેવડાવે ત્વરિત સવારી લાવે” 24 બસ પતિ જલદી આવે એ જ તમન્ના. અશક્યની ઝંખના સદ્ગત પતિના આગમનનો અનુભવ રોમેરોમ કરાવે છે ખરો. પણ પછી તરત તેઓ સભાન બને છે. ચિત્ત નિર્કાન્ત થાય છે. “રે ભ્રમ એ તો ભ્રમ નર્યો વાયુનો સંચાર એવું કેટલીયે વાર....” 27 ....ભ્રમણાનો ખ્યાલ આવ્યા પછી પાછી એ જ રટણા અને ભ્રમણા એમને ઘેરી વળે છે. P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy