________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 294 પદાર્થ-પથ્થર મુકાય છે. જે અનુભવ આમ તો શબ્દાતીત છે. સુરેશ દલાલને મિત્ર જગદીશના ઓશીકા પાસે બેઠેલા મૃત્યુનો ચહેરો કઠોર દેખાયો છે. ભીડાયેલા હોઠમાં દોસ્તને ઊઠાવી જવાના સંકલ્પની સખતાઈ ભરીને આવેલા મૃત્યુ પાસે સપ્તપદીના પેલા સાત ફેરા (દોસ્તના ઓશીકા નજીક) જીવનની ભીખ માગતા, પ્રાર્થના કરતા દેખાયા હતા. ખભા પર નિશાળનું દફતર લટકાવતો કિશોર દોણી લઈ સ્મશાને શી રીતે જશે? એ પ્રશ્ન કવિને સતાવે છે. કવિ કહે છે. “મારા દોસ્તના ઓશીકા પાસે આ લગ્નના ફોટાઓ મૃત્યુ પાસે હાથ જોડીને ઊભા રહ્યા છે” પણ મૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખતાઈ છે” 8 મૃત્યુ પામી રહેલી વ્યક્તિની શી સ્થિતિ હોય એની કાવ્યમય કરણ મધુર કલ્પના સુરેશ દલાલે કરી છે. (પવનના અશ્વ') કવિ કહે છે “ક્યારે ધીમે ધીમે અચાનક ઇન્દ્રિયોના દિવા ઓલવાઈ જશે એની ખબર નથી. માણસ મૃત્યુ પામે ત્યારે કોઈકનો મધુર અવાજ બાજુમાંજ હોવા છતાં એને ઓળખવા એના કાન ના પાડશે. આંખ સામે પ્રિય વ્યક્તિનો ચહેરો હશે, પણ આંખ ઓળખવાની એને ના પાડશે. રોમાંચના દીવા પ્રગટાવનારના સ્પર્શને ઓળખવાની રોમેરોમ ના પાડશે. માણસ અને ઈશ્વરની ઘડિયાળમાં સુરેશ દલાલને કોઈ મેળ નથી દેખાતો. લગ્નવિધિ વખતે કન્યાદાન દેવાઈ ગયું હોય એ વખતે જ, માહ્યરામાંજ કન્યાની મા ગુજરી જાય ત્યારે કવિ ઈશ્વરને ગાળ દીધા વિના રહી શકતા નથી. ને તેઓ કહી ઊઠે છે "You may be God. but you have no time sense. 19 - ( ખર્યા પરણની વાર્તા કરવાની કવિને લિજ્જત આવે છે. તેથી તો “મા આવશે કાવ્યમાં કવિ મરણની વાતો કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જીવતી વખતે તો પાસે નહિ રહેલાં સ્વજનોને કાવ્યનાયક પોતાના મૃત્યુ સમયે પાસે રહી, પોતાના મૃત્યુને શણગારવા વિનવે છે. “મૃત્યુ પામી રહેલા સ્વજનની સાથે રહેવામાં મઝા આવશે, કહી કવિ કરુણ નિર્વેદને વ્યક્ત કરી જાય છે. “જીવનથી તો આધા અળગા પણ શબની પાસે જરાક અમથું રેજો રે * મજા આવશે, ગંગાજળનો ઘૂંટ પાઈને જરાક અમસ્તે કહેજો રે....મજા આવશે તમે પવનના અશ્વોને બસ હંકારો રે....મજા આવશે” 20 જગદીશ જોશીના મૃત્યુને દસકો પૂરો થવા છતાં (9/8/1988) કવિ એની હયાતીનો અનુભવ કરે છે. સમયની છલના હજુ કવિને સમજતી નથી. સ્મરણો વ્યથા પહોંચાડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust