SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 290 અમારી ખાંધે તે તરુવર સ્વયં રે ચઢી ગયા” 9 એ જીર્ણ શરીર પણ વહાલું હતું. કારણ એ વત્સલમૂર્તિ પિતાનું શરીર હતું. ગેરુસમાન ભગવું મન ધરાવતા વેદાન્તી પિતાની છબી બને તોય'માં પ્રગટ થઈ છે. વેદાન્તી પિતાના મૃત્યુનો શોક કરવાનું મિથ્યા હોવા છતાં પુત્રની આંખ તો ભીની થઈ જ જાય છે. ને તેથી તેઓ વેદાન્તી પિતાની ક્ષમા માગે છે. પિતાના મૃત્યુબાદ ઘેર-વતનમાં પત્ર લખતાં કંઈક જુદો જ વસમો અનુભવ કવિ કરે છે. “પ્રિય પિતાજીનું સંબોધન કર્યા પછી એકાએક પિતાના મૃત્યુની યાદ તાજી થતાં દગો ટપકવા માંડે છે. “સંબોધન' સ્થળનો શૂન્યાવકાશ હૃદયને દઝાડે છે. તો “પત્રરસમાં દૂરસુદૂરની જિંદગીમાં એમના પત્રોને કવિ યાદ કર્યા વિના રહી શક્તા નથી. પત્રો જ તો હતા પિતાના જીવનને ટકાવનાર અવલંબન. “હું જાણુંમાં મરણની ફિલસૂફી સુંદર રીતે કવિએ મૂકી આપી છે. તો સાથે વાસ્તવનેય વાચા આપી છે. સ્વજનમૃત્યુના આઘાતાનુભવમાં, એ અશ્રુ અને વેદનામાં બધીજ ફિલસૂફી ઓગળી જાય છે. માનવે મૃત્યુથી ટેવાવું જ રહ્યું, એ જાણવા છતાં અહીં સ્થિતિ કંઈક જુદી જ છે. કવિ કહે છે. “પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું” 10 (‘તૃણનો ગ્રહ પૃ. 92) કોઈ અન્યનું મૃત્યુ એ નવી વાત નથી. ધોરી રસ્તે થઈને જીવનની ખાંધે ચડીને જતા મૃત્યુને તો કવિએય જોયું છે. પણ શિરછત્રસમાં સ્વજનનું મૃત્યુ વિષમ છે. છ કોઠે જીતનારી જીવનમરણની એ ફિલસૂફી અહીં સાતમે કોઠે હારી જાય છે. ને તત્ત્વજ્ઞાનનું શુષ્ક ટૂંપણું નિરર્થક બની જાય છે. ને તેથી જ તો કવિ પોતાનાં નયનોને એકાંતમાં નિરાંતે ટપકવા કહે “સ્પંદ અને છંદ' સંગ્રહમાં ઉશનસ્ માતાના મૃત્યુનિમિત્તે અગિયાર સોનેટ્સ શ્રદ્ધાંજલિરૂપે આપે છે. “વળાવી બા આવ્યા'માં બાને સ્મશાને વળાવી આવ્યાનું કરુણ મધુર અંદન કવિએ શબ્દબદ્ધ છે. જેમાં પોતાની જનની માટે કવિ “ફૂલ સરખી ફોરી’ વિશેષણ વાપરે છે. સ્મશાનેથી પાછાં ફરતાં ફરી એકવાર તેઓ છેલ્લીવાર ચિતાને જોઈ લે છે. ઘેર આવ્યા પછી આંતર્થક્ષથી ચિતાની જ્વાળાઓને ફરી કવિ નિહાળે છે. હવે એ વાળાઓ મનહૃદયના એકાંત વગડે કજળે છે. માના કજળતા દેહમાંથી ઊડતી વિભૂતિભભૂત આકાશે પહોંચી જાણે સ્વર્ગસ્થ પિતાના કપાળે બીજ શી અંકાઈ જાય છે. ને પિતાની સૌભાગ્યરેખા બની જાય છે. નર્મદામાં ફૂલ પધરાવતાંમાં જનની-મૃત્યુએ થયેલા આઘાતની તીલી સોય શી ચીસને શમી જવાનો અનુરોધ કરી જનનીને મોક્ષ મળે એવી વાંછના વ્યક્ત કરતાં ઉષ્ણ નયનલની શ્રદ્ધાંજલિ આપે છે. “જનની મૈને બધુંજ ગયાનો અનુભવ પણ ક્યારેક થતો. જે “નષ્ટો મોહ’માં વ્યક્ત થયો છે. - ૧૯૭૬માં પ્રગટ થયેલા “રૂપના લય” સંગ્રહમાં વતન-પ્રીતિનાં કાવ્યોમાં બાની કરુણ મૃતિ અંક્તિ થઈ છે. દિવાળીની રજાઓ પડતાં વતન અને બા બંને યાદ આવે છે. બા એ ઉશનસુને મન વતનનો પર્યાય' હતાં. હવે વતનમાં કોણ બોલાવે? બાના ચહેરાના પ્રતિબિંબને ઝીલતું વતન હવે જાણે સાદ દઈ બોલાવતું નથી. (‘વતનની બે દિવાળીતંદ્રાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy