SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 289 ઓરડોમાં દાદીમાને બાલમુકુંદે અંજલિ આપી છે. દાદીમાના ભૂતકાળને કવિ યાદ કરે છે. ત્રણ પેઢીનાં પારણાં અહીં જ આ ઘરમાં દાદીમાએ ઝૂલાવ્યાં હતાં. “કદી મરણ બા અકલ ફૂલડાં ચૂંટીયે લિયે સહ્યા કઠણ ઘા તમે કરુણ મૂર્તિ ભારે હિયે” 0 દાદીમાનો અનેક સુખદુ:ખનાં સ્મરણના પટારા સમો ઓરડો હવે સૂનો બની ગયો છે. નયન દાદીમાને જ ખોળે છે. સકલ વૃદ્ધમાં દાદીમાનું દર્શન તેઓ કરે છે. - સ્વ. પ્રફ્લાદ પારેખની કવિતા “અકારણ અશ્રુની જેમ એમના સંવેદનશીલ અંતરમાંથી ટપકે છે. ભક્તિ અને પ્રભુપ્રેમને મૃત્યુ પરાજિત કરી શકતું નથી. એની કરુણ કથા “છેલ્લી પૂજા'માં કવિએ વણી છે. “બુદ્ધનો સૂપ જે પુજશે એને મોતની સજા મળશે. આ ધોષણાની ચારેબાજુ શોકઘેરી છાયા વાતાવરણમાં પ્રસરેલી હોવા છતાં આરતી સમયે આરતીની સામગ્રી લઈ કોક સુંદરી ત્યાં પહોંચે છે. કદાચ એ છેલ્લી નવશિખ આરતી હતી ને આખરી એ પળ જિંદગી તણી” “સુંદરીના નમેલા ગળા પર તલવાર વીંઝાતાં, પ્રાણ જ પુષ્પમાળા થઈને જાણે આરોપાય છે. કાયાની જ ભવ્ય આરતી બની જાય છે. ભક્તિ અને પૂજા પાસે “મૃત્યુવામણું બની જાય છે. વેદનાની અનુભૂતિ રાજેન્દ્ર શાહને ક્યારેય નાસ્તિક બનાવતી નથી. શ્રદ્ધાને કારણે વેદના સ્વીકારી અંતે તેમાંથી તેઓ મંગલ દર્શન પામે છે. રાજેન્દ્રની કવિતામાં મહદ્અંશે મંગલદર્શન જ હોવાથી મૃત્યુ એમની કવિતામાં કરુણરૂપે ભાગ્યેજ આવે છે. માત્ર “દીપક રે હોલવાયો'માં સ્વજનમૃત્યુને કારણે છવાયેલા અંધકારની કવિ વાત કરે છે. નયનજયોતસમી પ્રિય વ્યક્તિ ચાલી જતાં કાવ્યનાયક પણ મૃત્યુઝંખના કરે છે. - ઉશનસનું કવન ત્રીસી ઊતરતાં શરૂ થયેલું. એમની કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનાનો વૈભવ છે. ઉશનસની કવિતામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને “લોકક્ષયરૂપકાળ' પણ પ્રભુરૂપે દેખાયો છે. છેલ્લી પ્રણયિની ને'માં ઉશનસે વિશિષ્ટ રીતે મૃત્યુના સંદર્ભને ગૂંથ્યો છે. આ કાવ્ય એક સ્મરણકથા છે. કાવ્યનાયકના મૂર્તિમાન હૃદયસમો જીર્ણશીર્ણ થઈ ગયેલો કાવ્યસંગ્રહ એમના મરી ગયા પછી પ્રણયિનીને મળે તો એની ઉપેક્ષા ન કરવા વિનંતિ કરાઈ છે. “ફૂલખવું'માં વેલના માંડવેથી ફૂલ ખર્યાની વેદનાનો અનુભવ વ્યક્ત થયો છે. - દીકરીનું અવસાન થતાં “મનોમુદ્રા' કાવ્યસંગ્રહ ચિ. અલ્પનાને અર્પણ થયો છે. સ્વજનમૃત્યુએ થતા ખેદની લાગણી ટાળી શકાતી નથી. આકૃતિ જતાં રૂપગંધનું સૌષ્ઠવ પણ નષ્ટ થાય છે. ને ત્યારે સ્વજન હૈયે ઊંડો ચિરાડો પડે છે. ને તેથી જ તો કવિ આંસુનું ઊંનું અંજલિફૂલ પેલા ખરેલા ફૂલની સમાધિ પર મૂકે છે. પૂ. બાપા જતાંમાં પિતાના મૃત્યુ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં આઠ સૉનેટની એક સળંગસૂત્ર માલા કવિએ આપી છે. સ્વજનમૃત્યુ સંદર્ભે થયેલી અકથ્ય આઘાતની અનુભૂતિ, સ્વાનુભવની સચ્ચાઈને લીધે વધુ સઘન ને હૃદયસ્પર્શી બની છે. જેમાં પિતાની હયાતી વખતનાં સંસ્મરણો પણ ગૂંથાયાં છે. “રાખ અને સ્કૂલમાં પિતાના અવસાનનો શોધ વ્યક્ત કરતાં કવિ કહે છે. 1 . . “અમે જેને સ્કંધે ચઢી , ઉછરિયા વેલ સરખા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy