________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 288 બ્રહ્મપુત્ર અમારો એ યાત્રી ઉત્તરનો થયો” 1 રૂપાના ત્રીસ સિક્કાઓ માટે ઇસુનો દ્રોહ કરનાર, ને પછી કમોતે મરનાર મિત્રદ્રોહીની વ્યથા “જુડાસ’માં વ્યક્ત થઈ છે. બાલમુકુંદ દવે (1916) મુક્તિને બદલે ભવોભવની પરકમ્મામાં આનંદ માને છે.... કલ્પનની મૂર્તતા ને લય મંજુલ પદાવલિને કારણે તેમણે ન્હાનાલાલ ને ગાંધીજીને ઉદ્દેશીને લખેલાં અંજલિગીતો પણ ઊંચું કાવ્યત્વ સિદ્ધ કરી શક્યાં છે. હરિનો હંસલો' ગાંધી મૃત્યુ વિશે લખાયેલાં કાવ્યોમાં ઉત્તમ ઠરે તેવું છે.” 2 પ્રેમનો વિજયમાં અંતિમ મિલનની ક્ષણો માર્મિક રીતે આલેખાઈ છે. પહેલાં મળતાં ને છૂટાં પડતાં ત્યારે “મળ્યાં છેલ્લાં આજે, અવ નવ કદી” એવું આસાનીથી બોલી શકાતું. હવે ખરેખર એ સ્થિતિ સરજાઈ ત્યારે વાચા જ હણાઈ ગઈ. વિખૂટા પડવંજ અશક્ય બની ગયું. પરાણે ખાળેલાં જ છલકતાં ના છલકતાં થવા છૂટાં ભારે ડગ ઊપડતાં ન ઊપડતાં ? “બાલમુકુંદને મૃત્યુનો અનુભવ છે. પત્નીના ને બે પુત્રના મૃત્યુનો અનુભવ. આ અનુભવમાંથી એમણે જે ભરી ભરી વેદનાનાં કાવ્યો કર્યા છે, એ કાવ્યો જો મૃત્યુ વાંચે તો પોતાની ભૂલ માટે કાયમ શરમિંદુ બનીને પશ્ચાત્તાપ કર્યા વિના રહે નહીં. એમાં વેદના છે, પણ વેદનાવેડા નથી.” * દાંપત્યમાંગલ્યની સાથે સાથે બાલમુકુંદની કવિતામાં “બાળક” પણ મહત્ત્વનો વિષય બની રહે છે. દાંપત્યની પરમ સિદ્ધિરૂપ સંતાનનું મૃત્યુ કેવી મર્મવિદારક વ્યથા જન્માવે તે સંવેદના “જૂનું ઘર ખાલી કરતાં'માં અસરકારક રીતે વ્યક્ત થઈ છે. પ્રથમ ખંડમાં ખાલી ઘરમાં રહેલી ઝીણી ઝીણી વસ્તુઓની યાદી, ને બીજામાં મૃત્યુ પામેલા જિગરના ટુકડાનુંપુત્રનું હૃદયભેદી સ્મરણ સોંસરવો પ્રશ્ન કરે છે. “બા બાપુ ના કશુંય ભૂલિયાં એક ભૂલ્યાં મને કે” ? સરળ, સહજ ઉરસંવેદના અહીં કરુણને ઘેરો બનાવે છે. જ્યાં દેવો ' પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો ને જયાંથી રે કઠણ હૃદયે અગ્નિને એક સોંપ્યો. કેલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે “બા-બાપુ ના કશુંય ભૂલિયાં એક ભૂલ્યાં મને કે ?" 5 બાલમુકુંદની કવિતામાં સ્વાનુભવની સચ્ચાઈનો રણકો જોવા મળે છે. “તું જતાં સદ્ગત પત્નીને ઉદ્દેશી લખાયેલું કરુણગર્ભ કાવ્ય છે. આત્મીયજનનું મૃત્યુ જિંદગીને સ્વપ્નોનું સ્મશાન બનાવી દે છે. “દિન સૌ ભડકા છ આગના - રજની સૌ ઢગલા છ ખાખના વિધિના વસમા છ વાયરા 2i : આશા અવસાન જિંદગી” : પ્રિયજનના સ્મરણ સાથે સતત જિંદગીના મુકામ ભણી કૂચ કરવાની રહે છે. “દાદીમાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust