SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 286 અભિનિવેશ દર્શાવે તેવી પ્રયોગખોરી પણ તેમનામાં છે. તેમ છતાં ભાવની સુકુમારતા, બાનીની નજાકત અને કલ્પનોની સૂક્ષ્મતાને કારણે સભાન રીતે પ્રવર્તેલો તેમનો સર્જનવ્યાપાર સ્વાતંત્ર્યોત્તર કવિતાના સૌન્દર્યાભિમુખ સોપાનનું એક નોંધપાત્ર ઘટક બની રહે છે. સાતમા દાયકાના આરંભમાં સુરેશ હ. જોષી દ્વારા આધુનિકતાવાદી આન્દોલન પ્રગટ્યું તે પહેલાંના એક દાયકા દરમ્યાન કેટલાક એવા સર્જકોની પ્રવૃત્તિ ધ્યાન ખેંચી રહી, જે સૌદર્યરાગી પરંપરાને પુષ્ટ કરવા સાથે નિજી વિશિષ્ટતાઓ પ્રગટ કરતા રહ્યા છે. છઠ્ઠા દાયકા દરમ્યાન ગીત, ગઝલ અને છંદોબદ્ધ રચનાઓની સેર વહેતી રહે છે.” બાલમુકુંદ દવેએ (1916) ગાંધીયુગ દરમ્યાન (1945) કાવ્યલેખનનો પ્રારંભ કરેલો. ગાંધીયુગના કવિઓની સમાજાભિમુખતા કેળવવાને બદલે મહદ્અંશે તેમણે શિષ્ટ સૌંદર્ય પ્રીતિ દર્શાવતાં આત્મલક્ષી સંવેદનો પ્રગટ કર્યા છે.” 22 ઉશનસ્ અને જયંત પાઠક કવિ બેલડીનું કવન ત્રીસી ઊતરતાં શરૂ થયેલું પરંતુ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૫૪-૫પના અરસામાં પ્રગટ થયા તે કારણે હોય તેમ રાજેન્દ્ર નિરંજનની સમાંતર ચાલતી તેમની સર્જનપ્રવૃત્તિએ વિવેચકોનું કંઈક મોડું ધ્યાન ખેંચેલું.” 23 “ઉશનસ ની (28/9/1920) કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનાનો વૈભવ છે. વાસ્તવમાંથી અગોચર ભાવપ્રદેશ સુધી પહોંચતાં તેમની દૃષ્ટિમાં અનેક અવનવાં કલ્પનો ઉઘડીને ભાષામાં ગોઠવાતાં જાય છે.” & “ઉશનસે નિરૂપેલ કુટુંબજીવનનાં ભાવચિત્રો શિષ્ટ, સરળ ને પારદર્શક બાનીમાં મઢાઈને અનુપમ સોનેટ કૃતિ પામ્યાં છે.” 25 ઉશનસનાં કાવ્યોમાં અધ્યાત્મરસ પણ જોવા મળશે. તેમાં કોઈ ચોક્કસ સંપ્રદાયનું દર્શન નથી. પરંતુ કવિસહજ સૂઝથી પ્રાપ્ત થયેલી જીવન વિશેની શ્રદ્ધાપૂત સમજ છે.” 21 જયંત પાઠકની કવિતામાં વિસ્મયમિશ્રિત વિષાદ અભિવ્યક્ત થાય છે. તેમની કવિતામાં સમયનાં આવર્તનો અવારનવાર આવે છે. જે તેમને “આધુનિક કવિ' ગણાવી શકે. “સબળ કલ્પનો, ગદ્યલયનો વિનિયોગ અને કલાકસબ અજમાવવા પરત્વે જયંત પાઠકમાં આધુનિક વલણ જોવા મળે છે. તેમ છતાં શિષ્ટસરલ બાની, તથા છંદોલય અને જીવનદષ્ટિ પરત્વે તેઓ આધુનિકોથી તદ્દન જુદું તરી આવે એવું નિજી સત્ત્વ દર્શાવે છે. તે દૃષ્ટિએ પાઠકની કવિતા જૂના-નવા પ્રવાહના સંગમ પર ઊભી છે એમ કહી શકાય.” 27 હરીન્દ્ર દવે અને સુરેશદલાલના પ્રથમ કાવ્યસંગ્રહો છઠ્ઠો દાયકો ઊતર્યા પછી પ્રગટ થયેલા છે અને તેમની પહેલાં નહીં, તો તેમની સાથેજ, આધુનિકતાવાદી (modernistic). કવિતાનું વહેણ શરૂ થઈ ચૂકયું હતું.” આમ છતાં આ બે કવિઓની મૂળ પ્રકૃતિ સૌંદર્યદર્શી આસ્તિકોની જ રહેલી છે. મનુષ્યપ્રેમ, સતશ્રદ્ધા, વિસ્મય ને વિરહદર્દથી રંગાયેલો રોમેન્ટિક મિજાજ તેમને અંતરાલના (છઠ્ઠા દાયકા) બીજા કવિઓની પંગતમાં બેસાડે છે.” 28 પ્રેમ અને મૃત્યુ જેવા ભાવની સઘન અનુભૂતિ, સત્ય અને સૌદર્યને યુગપત પામવાની ઝંખના, ભાષા ને છંદની મીઠી લયલઢણ અને ગીત ગઝલના વિવિધ પદ્યમરોડની જાણકારી આ કવિયુગ્મને સમકાલીનોમાં આગવું સ્થાન અપાવે છે.” 29 સમયની સંપ્રજ્ઞતા ઘણીવાર વેદનાને જન્માવે છે. આધુનિક કવિતામાં એ સંપ્રજ્ઞતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy