________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 285 નિશ્ચંન્તિ (disilusionment) અને રિક્તતા-એકલતાનાં સંવેદનો વધતાં બિનંગત નિરૂપણરીતિ ધ્યાન ખેંચે છે. જે “પ્રવાલદ્વીપ'ની રચનાઓમાં શ્રેષ્ઠ કલારૂપ પામે છે. બીજા તબક્કાની કવિતામાં એક રીતે આધુનિકતાનો આવિષ્કાર જોવા મળે છે. તેમ છતાં બધાંજ કાવ્યોમાં છંદ અને લય પર કવિનું ધ્યાન એકાગ્ર થયેલું દેખાશે. એ દષ્ટિએ “છંદોલય'નાં અમુક કાવ્યો પરંપરા અને આધુનિકતાની વચ્ચે સેતુ રચી આપતાં જણાશે.” 10 “નિરંજને પોતાની સર્જનપ્રવૃત્તિના દોઢ દાયકાને બે વિભાગમાં વહેંચીને, પહેલાં પાંચ વર્ષની કવિતાને “રોમેન્ટિક' અને પછીના દસ વર્ષની કવિતાને “આધુનિક' તરીકે ઓળખાવી છે.” 11 - “નિરંજનની કવિતાનું ઉત્તમ સ્વરૂપ “પ્રવાલદ્વીપ' મુંબઈના નગરજીવનની પલટાયેલી તાસીરનાં ચિત્રોમાં જોવા મળે છે.” ર યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિમાં જીવતા મનુષ્યની યાંત્રિક જીવનરીતિ અને તેમાંથી નીપજતી કૃતકતા, અર્થહીનતા અને કાળગ્રસ્તતાનો કરુણ દોર આમ અહીં કવિતારૂપે મૂર્ત થાય છે.” 3 “તો લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી પ્રિયકાંતની કાવ્યસર્જનપ્રવૃત્તિ આધુનિક જ નહિ, પણ પછીથી આધુનિકતાવાદી (modernist) વલણો પણ ધારણ કરે છે.” (જન્મ 24-1-1927) “પ્રિયકાંતે ગીતો અને છંદોબદ્ધ રચનાઓ દ્વારા “પ્રહૂલાદ-રાજેન્દ્ર-નિરંજને બાંધેલી સૌદર્યાનુરાગી લયલુબ્ધ કવિતાની પરંપરાને પુષ્ટ કરી છે. તેમ છતાં કવિની નિજી મુદ્રા પ્રથમ કાવ્યસંગ્રહથી જ પ્રગટ થાય છે.” 15 પ્રિયકાન્તની ખૂબી કશાક અમૂર્ત એવા રહસ્યને મૂર્તતા આપવામાં રહેલી છે.” " વ્યોમલિપિ' અને “લીલેરો ઢાળ' પ્રિયકાન્તના મરણોત્તર કાવ્યસંગ્રહો છે. થોડી છંદોબદ્ધ રચનાઓને બાદ કરતાં “વ્યોમલિપિમાં બધાં ગદ્યકાવ્યો છે. વિચ્છિન્નતા, વિસંવાદ, વિદ્રોહ, વિયોગ અને મૃત્યવિષયક વેદનો મુખ્યત્વે તેમાં શબ્દબદ્ધ થયેલાં છે.” * “વીસમી સદીના છઠ્ઠા દાયકાની મધ્યમાં ગુજરાતી કવિતા ઐતિહાસિક વળાંક લેતી દેખાય છે. આ નવીન વલણોનું પ્રતિબિંબ “કુમાર” અને “સંસ્કૃતિ' માસિકોમાં ભિન્ન ભિન્ન રીતે પડેલું હતું.” 17 “હસમુખ પાઠક જન્મ (૧૯૩૦)નો પ્રથમ કાવ્યસંગ્રહ “નમેલી સાંજ' નવીન કવિત્વરીતિનાં સુંદર નિદશનો પૂરાં પાડે છે.” 18 કોઈને કંઈ પૂછવું છે ?’માં શ્રેષ્ઠ પ્રતીક યોજના દેખાય છે. નંબર લગાડેલો પાડો, ચિક્કાર બસ અને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું” એ ઉદ્દગારો વેધક રીતે નિષ્ફર સમાજના ક્રોસ પર દેવાતું વ્યક્તિનું બલિદાન સૂચવે છે. કવિની સંવેદના બિનંગત ઢબે કાવ્યમાં કલાત્મક રૂપે ઠરે છે એ તેની વિશેષતા.” 19 નલિન રાવળ જન્મ (1933) બે સંગ્રહો આપે છે. “ઉદ્ગાર' (1962) અને અવકાશ' (1972).... નિરંજન અને પ્રિયકાન્તની પેઠે તેમની કવિતામાં પણ સૌંદર્યાનુરાગ અને યુગચેતનાને ઝીલવાનો પ્રગલ્મ પ્રયાસ જોવા મળે છે.” 20 નલિનની કવિતામાં ક્યાંક ક્યાંક સમકાલીનોની છાયા જોવા મળે છે. આધુનિકતાનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust