________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 284 ૬-અનુગાંધીયુગમાં મૃત્યુનું નિરૂપણ અનુગાંધીયુગ - પરિબળો “સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાનાં દશ વર્ષ દરમ્યાન દેશ અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ, બેંતાળીસમી લોકક્રાન્તિ, બંગાળનો દુષ્કાળ, કોમી રમખાણો વગેરે પ્રચંડ પ્રત્યાઘાતો જગાડતી ઘટનાઓ બની હતી. આશ્ચર્યની વાત એ છે કે આ નવીન પેઢીની કવિતા એ ઘટનાઓથી પ્રેરાઈને પ્રગટી હતી એમ કહી શકાશે નહીં.” 1 , - ઉશનસ્, પ્રફ્લાદ પારેખે “ત્રીસની લડતમાં ભાગ લીધો હતો. પણ કવિતામાં સ્વાતંત્ર્ય અને તેને લગતા રાષ્ટ્રીય કે સામૂહિક જીવનના પ્રશ્નોને બદલે હૃદયનાં સૂક્ષ્મ સંવેદનોને આલેખવાનું તાક્યું હતું. બાહ્ય ઘટનાઓના વિવિધ વિષયોનું આલંબન લેવાને બદલે પાંચમા દાયકાના કવિઓ “આંતરદર્શન'માં રાચે છે.” 2 પ્રકૃતિ, પ્રણય અને પ્રભુચિંતનનાં વિવિધ સંવેદનો આ કવિતાનો મોટો ભાગ રોકે - છે. આગલા દાયકાના કવિઓમાં રાષ્ટ્રીય આંદોલનનો જે પડઘો પડતો અને પીડિતોના ઉદ્ધાર માટેનો જે અભિગ્રહ હતો તેનો પણ આ કવિઓમાં ઘણે અંશે અભાવ જણાશે. તેને સ્થાને સૌંદર્યનો અભિનિવેશ અહીં ધ્યાન ખેંચે છે. “ચાળીસ પહેલાંનો કવિ સમાજાભિમુખ વિશેષ હતો.” આ નવીન કવિ સૌદર્યાભિમુખ વિશેષ છે.” હરિશ્ચંદ્ર ભટ્ટની પછી પ્રફ્લાદ પારેખ (૧૯૧૨-૧૯૬૨)ની કવિતામાં આત્મલક્ષી અંતર્મુખતાનું વલણ ધ્યાન ખેંચે છે. કવિતા “અકારણ અશ્રુની જેમ આ સંવેદનશીલ કવિના અંતરમાંથી ટપકે છે.” 4 “અમૂર્ત અને વાયવ્ય સ્વરૂપના ભાવને મૂર્તરૂપ આપવામાં પ્રલાદે વાણીના લય અને ધ્વનિ પાસેથી ઉત્તમ કામ લીધું છે. હૃદયની નાજુક લૂાગણીઓ શબ્દબદ્ધ કરતી વખતે મૌન અને મુખરતા બંનેનો મહિમા એ માણે છે.” 5 “પ્રહૂલાદની કવિતામાં જે સૌદર્યાભિનિવેશ પ્રગટ્યો તેનો સવિશેષ આવિર્ભાવ રાજેન્દ્ર શાહની કવિતામાં જોવા મળે છે.” “રાજેન્દ્રની કવિતામાં ગાંધીયુગની જ નહીં છેક ન્હાનાલાલ અને બળવંતરાયની કવિતાનું સાતત્ય નજરે પડે છે.” છે “રાજેન્દ્ર શાહ રહસ્યમય (mystic) આત્મસંવેદનાના કવિ છે... પોતામાં ખોવાઈ ગયેલ પરમ તત્ત્વને શોધતા આ કવિ કવિતામાં પોતાને અને એને એકરૂપ થઈ જતો જુએ છે. એની ઝંખના અને એના મિલનનો આનંદ તેઓ એકસરખી પ્રસન્નતાથી ગાય છે.” “રાજેન્દ્ર કરતાં તેર વર્ષે નાના નિરંજન ભગતની કાવ્યસર્જન પ્રવૃત્તિ પાંચમા અને છઠ્ઠા દાયકા દરમ્યાન રાજેન્દ્રની લગભગ સમાન્તર ચાલી હતી. રાજેન્દ્રની માફક નિરંજનમાં પણ પરંપરાનું સાતત્ય જોવા મળે છે.” 9 “કાન્ત અને ન્હાનાલાલના સંસ્કાર દર્શાવતાં ગીતો અને ઠાકોરશાઈ પ્રવાહી પદ્ય ધરાવતાં છંદોબદ્ધ કાવ્યો નિરંજનની પ્રથમ તબક્કાની કવિતાનો મોટો ભાગ રોકે છે. રૂઢ પ્રકારો ને પરંપરાગત શૈલીમાં તેમની આરંભની રોમેન્ટિક કવિતા પ્રગટે છે. પછી ઉત્તરોત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust