________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 27 બચવા માટેના બધા જ પ્રયત્નો સદંતર નિષ્ફળ ગયા છે. તો બીજી બાજુ મૃત્યુના મૂળ વિશેની અનેક દંતકથાઓ ખૂબ જાણીતી છે. અમુક વૃક્ષનાં ફળ નહીં ખાવાના દિવ્ય હુકમના અનાદરના પરિણામરૂપ મૃત્યુનું અસ્તિત્વ કલ્પાયું. માનવસંસ્કૃતિની શરૂઆતના યુગમાં મૃત્યુ કુદરતી કારણોના પરિણામરૂપ મનાતું હતું. શેતાન, રાક્ષસો, કે અન્ય અનિષ્ટ, દુરિતોની ખલેલનો જ એ અવિર્ભાવ કે પરિણામ મનાતું. જગતના મહાન આશ્ચર્યસમો માનવ “મૃત્યુ નો ઇલાજ શોધી શક્યો નથી. શોપનહોવર (1788-1860) મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી તેમજ, તત્ત્વજ્ઞાનના કાવ્ય તરીકે ઓળખાવે છે. મૃત્યુની નિશ્ચિતતાને સરસ રીતે સમજાવવામાં આવે તો માનવ મૃત્યુથી ભય ના પામે. જર્મન કવિ નિત્યે (1844-1900) મૃત્યુને “મહોત્સવ' ગણે છે. સી. ડબલ્યુ. હોલ કહે છે, “માનવના રોજબરોજના પ્રશ્નોને ચર્ચાતું મનોવિજ્ઞાન “મૃત્યુના ભય' વિશે ખાસ કશું કહેતું નથી. “માણસ સંપૂર્ણપણે મરી જાય છે એ વાત આદિમાનવ સ્વીકારતો ન હતો. ઈ. સ. પૂર્વે ૬૦૦માં સોક્રેટિસની અગાઉના તત્ત્વચિંતકોમાં, એરવિન, રૉહોડ જણાવે છે તેમ “ગ્રીક લોકોની નજરમાં “મૃત્યુ' અત્યંત તિરસ્કૃત ઘટના હતી.” - ઈ. સ. પૂર્વે પ૭ર થી 497 સુધીમાં પાયથાગોરસ દ્વારા “મૃત્યુ અંગેનું ઑફ્રિક દૃષ્ટિબિંદુ ફેલાઈ ગયું. જેમાં “આત્માનું રૂપાંતર', “જન્માન્તરો', “જીવનચક્રોની શુદ્ધિ, ઈશ્વર સાથેની આખરી એક્તા', “શુદ્ધિ પછી નવો જન્મ', “શરીરમાં કેદી આત્મા' વગેરે વિશેની છણાવટ જોવા મળે છે. હેરક્લાયન્ટ્સ (ઈ. સ. પૂર્વે પ૩૩-૪૭૫) બધીજ વસ્તુની પરિવર્તનશીલતાનો ઉલ્લેખ કરતાં મૃત્યુને પણ મત્ય ગણાવે છે. એ કહે છે, "Death itself is not permenant." 52 ....Death is not the absolute and irreversible cessation, but that there is a unity of life and Death, that means not only that life dies but that death generates life." 53 તેઓ માને છે “વ્યક્તિ મરે છે, પણ જીવન મરતું નથી.” પરમેનિડેસ (ઈ.સ. 495) મૃત્યુને શાશ્વતીની ઘટના તરીકે ઓળખાવે છે. જ્યારે ડેમોક્રેટીસ (ઈ.સ. પૂર્વે 460-370) જીવનની મત્યતા પર ભાર મૂકે છે. તેઓ આત્માને પણ મત્ય માને છે. સોક્રેટિસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯)ની દષ્ટિએ જીવન કરતાં મૃત્યુ વધુ સુંદર છે. "Death may be better than life." બી સોક્રેટિસે શાંત ચિત્તે કરેલા મૃત્યુના સ્વીકારને તેમના જમાનાના લોકો સમજી શક્યા ન હતા. માનવમૃત્યુને સોક્રેટિસે “અમસ્ય' તત્ત્વ તરીકે પ્રમાણેલું. બુદ્ધિની અમરતા પર ભાર મૂકતા સોક્રેટિસનું માનવું હતું કે “મૃત્યુ બુદ્ધિને મારી શકતું નથી.' પ્લેટો આત્માની શરીરથી વિખૂટા પડવાની ઘટનાને “મૃત્યુકહે છે. "Death is the Release of the soul from the body." 55 પ્લેટો જીવતા અમસ્યપણા વિશે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતો હોવા છતાં મૃત્યુની ભીતિ એ તેના તત્ત્વજ્ઞાનનો મેધાવી પ્રશ્ન રહ્યો છે. ગુરુ સોક્રેટિસના મૃત્યુથી પ્લેટોનું હૃદય હલી ઊડ્યું હતું. એ પછી એમના તત્ત્વજ્ઞાનનો વિચારપ્રવાહ બદલાઈ ગયો હતો. માનવના અસ્તિત્વની પામરતા અંગે પ્લેટોએ ‘ફેડો” તથા “ફેટ્સ' માં જણાવ્યું છે કે “કોઈ મત્ય તત્ત્વ, અમરત્વના સ્વરૂપ વિશે જાણી શકે નહિ.' Aristotle felt very strongly that hu P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust