SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 272 વંદનમાં ખબરદારને અંજલિ આપતાં કવિ ચંદ્રશંકરે સમગ્ર પારસી કોમની વ્યક્તિતાને બિરદાવી છે. તો “વીર વાડીલાલને વિદાયવંદન'માં વાડીલાલના વીરવભર્યા મૃત્યુને કવિએ બિરદાવ્યું છે. “વંદન પૂજ્ય ગોવર્ધનરામ' કાવ્યમાં ‘ગોવર્ધનજયંતી') પંચમહાભૂતના બનેલા માનવદેહની જેમ ગોવર્ધનરામના “અક્ષરદેહ'નો નિર્દેશ થયો છે. ગોવર્ધનરામની પાંચેય કૃતિના સંદર્ભને અનુલક્ષીને અહીં અંજલિ અપાઈ છે. 1 મોહનલાલ ભટ્ટ (મોહિનીચંદ્ર) કવિ રવીન્દ્રનાથને અંજલિ આપતું “બ્રહ્મરાજર્ષિ' કાવ્ય લખ્યું. સકલ ભૂમંડલે આત્મામૃતભરી કવિતાના કનકવા છોડનાર ઊધ્વ આમંત્યમાં ઊડી ગયા છતાં, મૃત્યુ પામવા છતાં કવિ ગુરુપદ પામી અમર બન્યાનું કહેવાયું છે. વીર ભગતસિંહ રાજગુરુ, તથા સુખદેવની સ્વાતંત્ર્યધગશને અંજલિ આપતા “દૂત' કાવ્યમાં કવિ મોહિનીચંદ્ર સૌને મુક્તિના જીવંત અમરદૂત કહી વંદે છે. શહીદોનું એ વિરલ મૃત્યુ એમને અમરત્વ આપતું હોવાનું કવિ કહે છે. મણિશંકર હરિશંકર દવેએ “ગાંધીવિરહ' નામનું લાંબું અંજલિકાવ્ય લખ્યું છે. આમ તો “કરુણપ્રશસ્તિ' પ્રકારનું આ કાવ્ય છે. કવિ અહીં ગાંધીજીને માધુર્યના મહાકાવ્ય, સત્યનું શુદ્ધ સંગીત, અહિંસાની આશા તથા વિશ્વના અમૃત તરીકે ઓળખાવે છે. ને બાપુ જતાં “સાબર-આશ્રમો સૂનાં જ ઊભા રાહ હજુ જુએ સારે અશ્રુસરિતાઓ સાતે આ સાગર રુએ 208 અહીં માત્ર ભાવોદ્રેક જ છે. કાવ્યત્વ નહિવત છે. ગાંધી જતાં સમગ્ર વિશે શિરછત્ર ગુમાવ્યાની લાગણીને વ્યક્ત કરતા કવિ કહે છે. વિખૂટી વત્સથી ધેનુ અધીરી જેમ ભાંભરે - ભાંભરે . આપ વિયોગથી ઝૂરું * તાત હું તેમ અંતરે” 29 ગાંધીજીના મૃત્યુને કવિ “મહામોંઘું મૃત્યુ' કહે છે. ને સત્યની એ સ્વયંતિને નિત્ય પૂર્ણ પ્રકાશવા પ્રાર્થે છે. કવિ પ્રફ્લાદ પાઠક “પ્રિયકાન્તને અંજલિ આપતાં ઉત્તરાયણને ગર્ભિત અર્થમાં યાદ કરે છે. કવિ કહે છે, પાંચ હજાર વર્ષ પહેલાં ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણની આવી ને આટલી પ્રતીક્ષા કરી ન હતી. કવિ કહે છે. “પણ મને શી ખબર કે તમારી દોરીને કે નચિકેતાના ગુરુએ દાંતી પાડી દીધી હતી” 210. તો ચૂડગર પ્રિયકાન્તને અંજલિ આપતાં કવિતાસુંદરીને કંકણો પહેરાવનાર ન રહ્યાનો અફસોસ કવિ વ્યક્ત કરે છે. કવિને શું પોતાના પ્રતીક'માં સૌભાગ્ય સૂચન બનવાની શ્રદ્ધા ન હતી ? 10 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy