SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 271 ગાંધીજીની નહિ, પણ વિશ્વમાંગલ્યની હત્યા કર્યાનું કવિ કહે છે. “કવિનિધન' કાવ્યમાં રવીન્દ્રનાથના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતાં કવિ “કાળને નિષ્ફર' ગણાવે છે. કવિ રવીન્દ્રનાથના નિધને રૂપને ઝીલતી કવિ દૃષ્ટિ અને વિશ્વની વાણી ન ભંભે એ માટે જાણે પૃથ્વીના કોટિ કંઠની પ્રાર્થનાઓ સંભળાતી હતી. પ્રજારામ રાવળ, “કવિ કાન્તને' અંજલિ આપતાં એમની કવિતાને ‘ચિરલાવણ્યમયી કવિતા' કહે છે. ગુર્જર કવિતાનું મૌક્તિક વીંધાયાની વેદના કવિએ વ્યક્ત કરી છે. પણ કાવ્ય દ્વારા અક્ષરદેહે તેઓ અમર હોવાનું આશ્વાસન કવિ મેળવે છે. “ગટેને' અંજલિ આપતાં કાવ્યમાં જર્મન કવિ ગટેનાજ છેલ્લા શબ્દો “પ્રકાશ અધિક પ્રકાશ' શબ્દો યાદ કરાયા છે. સૌંદર્યના એ પરમ પિપાસુને અંતવેળા અધિક પ્રકાશની તમન્ના જાગી હતી. કવિ ગોવિંદ સ્વામીના “પ્રતિપદા' પુસ્તકમાં (પાનું 93 થી 98) કવિ મિત્ર ગોવિંદના અવસાન અંગે “હવે ન ગોવિંદ' કાવ્ય રચાય છે. મિત્રનાં સ્મરણો પ્રજારામને ઊંઘવા દેતાં નથી. બીજા જન્મે મળવાની વાત કવિ કરતા હોવા છતાં જે દેહને ચાહ્યો, જે આંખે મિત્રને નિહાળ્યો, એજ રૂપ ને આકાર જોવાની કવિ ઝંખના છે. પણ પાછું તરત વિશેષ સૂક્ષ્મરૂપે સતત ગોવિંદ એમની સાથેજ હોવાનું તેઓ આશ્વાસન મેળવે છે. ગાંધીના અવસાને અહિંસા, સત્ય અને સેવાની ત્રિદેવીઓ ચોધાર આંસુએ રડે, એ પોતાને ન ગમતી વાત હોવાનું કહે છે. ગાંધીજીની હત્યાને કવિ “કરાળો ધરતીકંપ' કહે છે. નિર્વાણદિને' પણ ગાંધીજીના મૃત્યુસંદર્ભે લખાયેલું કાવ્ય છે. કવિ કહે છે. કોટિ કોટિ ચખે ઊડ્યા અશ્રુકેરા જલાશય' ગાંધીજીની સંવત્સરીને કવિ મઢીવાળા મૃત્યુની કે કલંકની સંવત્સરી કહે છે. “અંજલિ કાવ્યમાં દર વર્ષે આવતી ગાંધીજીની જન્મતિથિ કવિને વ્યથિત કરતી હોવાની વાત કરાઈ છે. ગાંધીના મૃત્યુના ટાણાનું દુઃખદ સ્મરણ એમની જન્મતિથિના આનંદને અદેશ્ય કરે છે. પ્રજ્ઞામૂર્તિ સ્વ. મશરૂવાળાને અંજલિ આપતાં કવિ મઢીવાળા એમને પ્રબુદ્ધ જ્ઞાનયોગી કહી બિરદાવે છે. (“પ્રજ્ઞામૂર્તિ') કવિ એમને જ સીધો પ્રશ્ન કરે છે. “મૃત્યુ સંશોધનાર્થે શું આજે પ્રસ્થાન કર્યું? | કવિ બાદરાયણે એલ્ફિન્સ્ટન કૉલેજના અધ્યાપક પ્રોફેસર કુલકર્ણીની પુણ્યતિનું આલેખન “સ્મરણ'માં કર્યું છે. કવિ કહે છે આત્મશક્તિ પ્રગટ કરવા દેહ અશક્ત બને ત્યારે એનો આત્મા એનો ત્યાગ કરે છે. ચંદ્રશેખરનાં કાવ્યો'માં કવિ ચંદ્રશંકર ગોવર્ધનરામ સ્મારક નિમિત્તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને અંજલિ આપતું “નિવાપાંજલિ' કાવ્ય રચ્યું. જેમાં એમની કૃતિઓને તેઓએ અચલઅમલ કીર્તિસ્મારકો ગણાવ્યાં છે. ગાંધીજી-નાય પહેલા “મહાત્મા'ના લોકનામથી મશહૂર થયેલા ને પાછળથી શ્રદ્ધાનંદ તરીકે ઓળખાયેલા વીરના ખૂનના સમાચારે ધર્મસમર્પિત એ પ્રાણને માટે “ધન્ય ધર્મવીર અવસાન' નામનું અંજલિકાવ્ય કવિએ ગયેલાં કાવ્યઝરણાંની ચિંતા અહીં વ્યક્ત થઈ છે. નૃસિંહદાસ વિભાકરની સાતમી મૃત્યુતિથિએ (21|8|31) એમને અંજલિ આપતા “તું કોને નહિ વ્હાલો' કાવ્યમાં નાની ઉમરે અવસાન પામેલી એ પ્રભાવશાળી વિભૂતિને વંદન કરાયા છે. બંધુ ખબરદારને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy