________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 266 હોવાનું અનુભવતા “ને જેને જન “મૃત્યુ” એમ વદતા ત્યારેય તું પારમાં રાજે જીવન-મૃત્યુ પાર સ્થલ ને કાલાદિની પાર મા” 199 “સોપાનિકાસંગ્રહમાં પૂજાલાલે કવિશ્રી બોટાદકરને અંજલિ આપી છે. અહીં સદ્ગત કવિના ઉદાત્ત અભિલાષોને સ્મર્યા છે. ૧૯૮૦માં પ્રગટ થયેલા “કાવ્યકેતુ'માં ત્રણેક સ્મરણાંજલિઓ ભાવની સચ્ચાઈને કારણે નોખી તરી આવે છે. જેમાં શ્રી કરુણાશંકર (માસ્તર) શ્રી અરવિંદાનુયાયી સારાભાઈ તથા કર્ણાકટના શ્રી અરવિંદભક્ત શ્રી ગૌડને અપાયેલી અંજલિઓ છે. “વિપ્રવરમાં ગુરુ શ્રી કરુણાશંકરને શ્રદ્ધાંજલિ અર્પતાં, તેઓ નામથી નહિ, ગુણથી મહાવિપ્ર હોવાનું જણાવે છે. ગુરુની ગુણગાથા કવિએ ગાઈ છે. સ્મરણાંજલિ' સારાભાઈ દોશીના અવસાન નિમિત્તે અપાયેલી “અંજલિ' છે. (128) 1905 જન્મ, 10/7/1958 મૃત્યુ) ૧૦મી જુલાઈએ તેઓ સમુદ્ર સ્નાને ગયા, ને એ કાળસમુદ્ર’ એમનો ભોગ લીધો. પણ પછી કવિ પોતાના મનનું સમાધાન આ રીતે કરે છે. આ દેહનું કામ પૃથ્વી પર સમાપ્ત થાય ત્યારે એમાંનો નિત્ય મુક્ત આત્મા સ્વધામે સંચરે છે. “તે વારે અબ્ધિને આરે આ વિધિએ વેર વાળિયું 30 કર્ણાટકના વિખ્યાત જમીનદાર કુટુંબમાં જન્મેલા “શંકર ગૌડના પાંચમી ઑગસ્ટ ૧૯૫૦ને દિવસે થયેલા સ્વર્ગવાસ નિમિત્તે અપાયેલી અંજલિમાં કવિ મૃત્યુને માનવીના મોટા ભ્રમ તરીકે ઓળખાવે છે. ઊધ્વ વિરાજતા એ શુભાત્મા માટે પ્રેમાÁ પુષ્પાંજલિ અર્પે છે. “અંતિમતંતુ' કાવ્ય સુંદરજી બેટાઈએ સ્વ. નરસિંહરાવના દોહિત્ર પ્રેમલના અવસાન નિમિત્તે રચ્યું. એકમાત્ર જીવનતંતુ સમા પ્રેમલનું અવસાન થતાં ભાંગી પડેલા નરસિંહરાવની વ્યથાને અહીં વાચા અપાઈ છે. “વાઘનાશ' કાવ્ય નરસિંહરાવના અવસાન નિમિત્તે લખાયું. જેમાં કવિના સર્જકત્વને અંજલિ અપાઈ છે. પ્રેમલના અવસાને કવિના કાવ્યવાઘે અતિકરુણ ગાન છેડ્યું. વાદ્ય તૂટી ફૂટી શીર્ણ થવા છતાં એનું વિરાટ સંગીત લુપ્ત નથી થતું, એવી નરસિંહરાવની શ્રદ્ધાને અહીં કવિ યાદ કરે છે. - “કાવ્યમંગલા'ના કવિ સુંદરમે “ત્રિમૂર્તિ' કાવ્યમાં બુદ્ધ, ઈસુ અને ગાંધીજીને અંજલિ અર્પે છે. પ્રથમ બેમાં બુદ્ધ અને ઇસુના બલિદાન સંદર્ભે અંજલિ અપાઈ છે. “ઇસુ' કાવ્યમાં ઈસુના બલિદાનને વંદવામાં આવ્યું છે. સં. ૧૯૮૭ના “પ્રસ્થાન'માં શ્રાવણ અંકમાં ગૂજરાત વિદ્યાપીઠના સંગીતના માજી અધ્યાપક સ્વ. શંકર દત્તાત્રેય પાઠક (વાયોલીન વાદક)ને અંજલિ આપી છે. અમૂર્ત અનંતમાંથી મૂર્તતા પામેલ પાઠકનું સંગીત, જીવનસંગીત પાછું અમૂર્તમાં (અનંત)માં સમાઈ ગયાનું કવિ કહે છે. “કસ્તુરબા” કાવ્યમાં સાચા અર્થમાં ગાંધીજીની જીવનસંગિની બની રહેનાર કસ્તુરબાને અંજલિ અપાઈ છે. એ નારીનાં સ્નેહદાનને યાદ કરી એમને પામી મૃત્યુ ધન્ય થયાની વાત કવિ કરે છે. “અહો ગાંધી’ ગાંધીજીને અપાયેલી અંજલિ છે. પ્રભુની કરુણાએજ સનનન.... એમને વીંધીને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust