________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 265 મરીને અમર બન્યાનું કવિ કહે છે. પાઠક સાહેબ માટે સદ્ગતની વાંછનારૂપે મિત્રરૂપે મૃત્યુ આવ્યાની વાત કવિ પાઠકસાહેબને'માં કરે છે. (‘અનુભૂતિ) “મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્ર કેરી’ એ સત્યની પ્રતીતિ પળે પળે થવા છતાં કવિહૃદયનું ધૈર્ય ડગી જાય છે. પાઠક સાહેબના મૃત્યુનો શોક નથી. પણ તેઓ જતાં બ્રાહ્મણત્વ' ગયાથી પોતે રંક બની ગયાનું દુઃખ કવિ વ્યક્ત કરે કવિ પૂજાલાલ “શહીદ શ્રદ્ધાનંદ' કાવ્યમાં અજબ ખુમારીથી ભારત કાજ ફના થઈ ગયેલા શ્રદ્ધાનંદને અંજલિ અર્પે છે. શ્રદ્ધાનંદની શહીદીને યાદ કરતાં કવિ હૈયું દ્રવી ઊઠે છે. (‘પારિજાત') સદા સુધામાધુકરીથી ઉભરાતા હૃદયવાળી માને અંજલિ આપતાં કવિ માને જગતના વિષસમુદ્ર વચ્ચેય અમૃતની સરિતા વહાવનારી નંદન સુખકારી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. (‘મા') ૧૯૫૯માં “ગુર્જરી' સંગ્રહ પ્રગટ કરનાર કવિ પૂજાલાલે મોતીભાઈ અમીન, સરદાર વલ્લભભાઈ, રવિશંકર, બલુચાચા, દરબારશ્રી ગોપાળદાસ, પુરાણીભાઈઓ ડૉ. ચંદુલાલ કનૈયાલાલ મુનશી, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, ગિજુભાઈ, જેવી વદ્યવિભૂતિઓને અહીં અંજલિ આપી છે. “સ્વ. મોતીભાઈ અમીનને પૂજાલાલે પૃથ્વીને પટલે પ્રકટેલા મહામોતી ગણાવ્યા. સૌને આશિષ આપવા માટે જ સર્જાયેલું એ મોતી, માનવ મહેરામણની આંખમાં મસ મોટાં અથુ મૂકીને ચાલ્યા ગયાનું દુઃખ અહીં વ્યક્ત થયું છે. સરદાર વલ્લભભાઈને' અંજલિ આપતાં કવિ તેમને સ્વમાની છતાં માનવતાસભર માનવ તરીકે વંદે છે. “દરબારશ્રીમાં પણ અંદરની મોટાઈ લઈ જન્મેલા સરદારને અંજલિ અપાઈ છે. “ડૉ. ચંદુલાલ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પતાં કવિ તેમને ફાંકડા મરદ, ને ભૂલથી પણ કોમળ માનવ તરીકે સન્માને છે. “શ્રી કરુણાશંકર ભટ્ટ' પૂજાલાલે ગુરુને આપેલી અંજલિ છે. જેમાં ગુરુની સત્ સાધના તથા શસ્ત્રનિપુણતાને બિરદાવાઈ છે. “મહર્ષિ દયાનંદ સરસ્વતી'ને કવિ સમગ્ર સૌરાષ્ટ્રના સિધ્ધાર સમા પ્રતિનિધિ તરીકે વર્ણવે છે. મહાત્મા ગાંધી' મૃત્યંજય ગાંધીને અપાયેલી અંજલિ છે. ગાંધીજીની નિર્ભયતાનો એમાં નિર્દેશ થયો છે. “સ્વ. ગિજુભાઈ બધેકાને અંજલિ આપતાં કવિ પૂજાલાલે આકાશ સુધી સત્ય, શિવ, સુંદરતાના પડઘા પાડતી મુક્તિના એ મહાનદની યજ્ઞભાવનાને તેમ જ સાચી શિક્ષણયાત્રાને બિરદાવી છે. વિપ્નભર્યા પંથે પ્રયાણ કરી સુરસદનમાં પહોંચેલા શહીદોને સ્વાતંત્ર્યના શહીદો'માં અંજલિ અપાઈ છે. મા વિના સૂનકારનો અનુભવ કરતું કવિચિત્ત “સગત” માને મળવા આતુર છે. (“મા”). ૧૯૬૨માં પ્રગટ થયેલા “વૈજયંતી' સંગ્રહમાં ફક્ત એક જ કાવ્યમાં મૃત્યુસંદર્ભ ગૂંથાયો છે. એક અંજલિ' ગાંધીજીના મૃત્યુને અપાયેલી અંજલિ છે. ગાંધીજીની ગુણપ્રશસ્તિ રજૂ થઈ છે. હિણે હાથે મોતની ઝેરી ગોળી છોડવાથી હતવંત ગાંધીજી હણાયાનો આઘાત નિર્દેશાયો છે. ૧૯૭૪માં “મા ભગવતી' નામનું તર્પણકાવ્ય, અરવિંદાશ્રમનાં માતાજીના અવસાન નિમિત્તે રચાય છે. 1974 નવેમ્બરની ૧૭મી તારીખે સાંજે મા ભગવતીએ સૌની વચ્ચેથી ચૂપચાપ વિદાય લીધી. જોકે સ્કૂલ શરીરની અપૂર્ણતાઓમાંથી નીકળીને ચિદંબર સ્વરૂપે ધ્યેય સિદ્ધિ અર્થે પૂર્વવત પ્રવૃત્ત હોવાનું કવિ પૂજાલાલ માને છે. દેહનો વિલય થવા છતાં તેઓ માંગભરી મૃત્યુંજયીરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust