________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 260 શ્રાદ્ધ પહેલાં કરવાનું કહે છે. ને આ કરણની ઘેરી અસરતળે કાવ્ય પૂરું થાય છે. કુરુક્ષેત્રમાં ચારેય બાજુ સ્ત્રીઓનાં કંદનો, ને વિલાપોના હૃદયભેદક સ્વરો સંભળાય છે. ઉત્તરા ખંડિત શોકમૂર્તિ શી બની છે. ગાંધારી પુત્ર શોકે ત્રસ્ત છે. ને દ્રૌપદી પણ શિશુવધે ઉદ્વિગ્ન છે. કવિ કહે છે. “વહેતા ઝીલી સ્વર રુદનના મૂગું રૂવે સમીર” 189 શ્યામવસ્ત્રમાં સજ્જ કુંતી અશ્રુને રોધતાં યુધિષ્ઠિર પાસે જઈ હૈયામાં પ્રજવલિત શોકને, તથા અશ્રુને રોકી કહે છે. રોધી શોક હૈયામાં આરંભો શ્રાદ્ધ સત્વર પ્રથમ કર્ણનું - તારો હતો એ જયેષ્ઠ ભ્રાતર” 190() પોતાના પ્રથમ પુત્રનું શ્રાદ્ધ કરવાનું આ સૂચન છેક છેલ્લે કર્ણ પાંડવોનો મોટો ભાઈ હોવાના રહસ્યને ખુલ્લું કરતાં કરુણ અહીં વધુ ઘેરો બને છે. ૧૯૭રમાં પ્રેમશંકર ભટ્ટ અગ્નિજયોત' પ્રગટ કરે છે. અહી પણ મહાભારતનાં ભવ્ય પાત્રોનું ચરિત્રવર્ણન કવિએ કર્યું છે. દ્રૌપદી' કાવ્યમાં (‘વૈફલ્ય) કુરુક્ષેત્રમાં થયેલા વિનાશની કવિએ વાત કરી છે. યુદ્ધાંતે દ્રૌપદીના પાંચ પુત્રો હણી નાખનાર અશ્વત્થામાને હાજર કરવા દ્રૌપદી કહે છે. પણ જયારે મસ્તક નમાવી લજ્જિત અશ્વત્થામા દ્રૌપદી સમક્ષ ઊભો રહે છે ત્યારે સહોદર હણ્યો મારો, ફૂલ શાં શિશુ પાંચને છે વાઢીને ઊંઘતાં રાત્રે, નિઃસંતાન કરી મને” ૧૯૦(બ) દ્રૌપદીનાં ડૂસકાં વધતાં જાય છે. પણ મૃત્યુદંડે વળે વૈર કાળ કે બદલે ક્રમ? જ હિંસાથી જન્મતો હર્ષ ? ક્યાં લગી સેવવો ભ્રમ?” (અગ્નિજયોત-રર) કૃષ્ણનાં આ વેણથી દ્રૌપદીનો હૃદયદમ્ય શોક ઓથાર સહેજ દૂર થાય છે. “વિદાય' ખંડમાં પાંડવોના હિમાલયગમન તથા સ્વાર્ગારોહણ યાત્રાના પ્રસંગને વર્ણવ્યા છે. દ્રૌપદીના નેત્રામાં ભૂતકાળના સંહારના ભયાનક રૂપની ચિત્રાવલી છે. અઢાર અક્ષૌહિણીને (યોદ્ધાઓને) ચાવી ગયેલી કાળની કરાલ દંષ્ટ્રા યાદ આવે છે. વિદાય દો જીરવી ના શકું જય ન જાયે કદિયે, નવ મૃત્યુનો ભય” 195 પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતી દ્રૌપદી કહે છે “વિદાય દો ચેતન હા હરાય છે વાયુ વડે દીપક આ બૂઝાય છે” 192 હિમાદ્રિઅંકે વિરચંત અગ્નિના | સૌભાગ્ય-કંકુ લસતું લલાટમાં”૧૯૩ મૃત્યુ સમયે દ્રૌપદીના ભાલ પ્રદેશમાં સૌભાગ્યચિહન સમો કંકુનો ચાંદલો શોભતો હતો. દ્રૌપદીની નિર્જીવ કાયા સ્વયં હિમાલયનું સૌભાગ્ય, સુશોભન બની રહે છે. દ્રોણ” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust