________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 259 મૃત્યયં અસહાય સ્થિતિમાં થાય છે. હવે વિલંબાવ ન મૃત્યુ કર્ણનું, કૃણે કહ્યું, અર્જુનના નિપંગથી છૂટેલ અસ્ત્ર' શિર કર્ણનું ત્યાં ઊતારી લીધું યમ પુષ્પ વૃત્તથી 188 સંધ્યા સમયે યુદ્ધભૂમિ પર કર્ણનો વધ થાય છે. તેથી તો કવિ “પીગળ્યું વ્યોમ' કહે છે. સૂર્યને કર્ણના વધનો શોક થયો, ધરા ન પીગળી. ધરાની નિષ્ફરતાથી કવિ આઘાત અનુભવે છે. “શહીદ બનવામાં શહીદના બલિદાને સમગ્ર માનવસમાજની ભાવના તરીકે કવિ વર્ણવે છે. શહીદ બની મૃત્યુંજયી બનેલાની વીરગાથા ગાતા કવિ શહીદોનાં જીવન-મૃત્યુ બંનેને યશોદાયી ગણાવે છે. કૃષ્ણલાલ શ્રીધરાણી “આઠમું દિલ્હીમાં યુદ્ધજન્ય પરિસ્થિતિની વેદનાનો આક્રોશ ઠાલવે છે. (“કોડિયાં') જેમાં ગાંધીજીના મૃત્યુબલિદાનનો નિર્દેશ વેદનામય આક્રોશ દ્વારા અભિવ્યક્ત થયો છે. ભારતને જીવાડવા ગાંધીને મરવું પડ્યું. યુગપ્રભાવ પણ અહીં ખરો જ. દ્વિધા'માં કવિની દેશદાઝ પ્રગટ થઈ છે. જીવનનું વિશ્વ છોડી જવા નાયક ઉત્સુક છે, તેથી વિષાદ વ્યાપશે. પણ મૃત્યુને ખોળીને કવિ પાછા પુલકી ઊઠશે. “સપૂત'માં સ્વાતંત્ર્ય માટે મરી ફીટવાની ભાવના વ્યક્ત થઈ છે. દેશપ્રેમીઓ માટે મૃત્યુ, કાં સ્વાતંત્ર્ય, ત્રીજો વિકલ્પ નથી. જુવાન ડોસલાની દાંડીકૂચ વેળાની દઢતા અને સાત્વિક ખુમારીનું વર્ણન કરતાં કવિ કહે છે નાનકડા પુત્રો, તેમજ પત્નીને વીરો છેલ્લા જુહાર કરી નીકળી પડતા. “મુક્તિનો શંખનાદમાં કવિ શ્રીધરાણી સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં મૃત્યુને ભેટી અમર જીવન પામી જતા વીરોની વાત કરે છે. મૃત્યુ પામીને સાચા જીવનની અમરતા સિદ્ધ કરવા સ્વાતંત્ર્ય વીરો જઈ રહ્યાનું કવિ કહે છે. દેશકાજે મૃત્યુ પામવું એ જ ખરું જીવન. અહીં જીવન મૃત્યુ બની જાય છે, ને મૃત્યુ જીવન. આ વિપર્યય સધાતાં મૃત્યુ તથા જીવનની વ્યાખ્યા બદલાઈ જાય છે. “ખાલી ખપ્પરમાં વીરોના રક્તને લીધે ગંગાનાં પાણી લાલ બન્યાનું ને મરણ માટે સૌ અધીર બન્યાનું કવિ કહે છે. - ૧૯૬૯માં પ્રેમશંકર ભટ્ટ “મહારથી કર્ણ કાવ્ય લઈને આવે છે. કર્ણનાં વિવિધ પાસાંને ઉઠાવ આપી પાત્રના માનસિક સંઘર્ષનું સચોટ નિરૂપણ કવિએ કર્યું છે. “ઔદાર્યમૂર્તિમાં દેહની મૃત્યુંજયી રક્ષા સમા કવચકુંડળ ઇન્દ્રને આપી દીધાનો ઉલ્લેખ છે. વાત્સલ્ય'માં કર્ણને પાંડવપક્ષે લઈ આવવાના કુંતી તેમજ કૃષ્ણના પ્રયત્નો નિષ્ફળ જતાં વ્યાપેલા યુદ્ધના ઘોર ગર્જન તથા મૃત્યુનાં નિબંધ તાંડવના સામ્રાજયનું કવિ વર્ણન કરે છે. ગુરુજન, સત્ય અને ધર્મને યાદ કરી અર્જુન છેદાજો શીષ કર્ણનું' એમ બોલી “કાલાંતક જ દિવ્ય શું ? શસ્ત્રનો શિર પર પ્રહાર કરે છે. કાયાથી વિચ્છિન્ન થઈ કર્ણનું શિશ કડડડ કરતું પૃથ્વી પર છેદાઈને પડે છે. પાંડવોની સેનામાં હર્ષની ભવ્ય સરગમ વાગે છે. નિબિડ વનમાં આગ લાગી હોય એવી માતા કુંતી આ સમાચારે મૂંગી ભડભડ જાણે બળી રહી છે. અસહાય બની ગૂંગે મોંએ એને તો પુત્રામરણનું આ દુઃખ સહેવાનું. “મૃત્યુ' નામના કાવ્યખંડમાં કર્ણના મૃત્યુથી સમસ્ત પૃથ્વી પર તેમજ કૌરવોના હૃદયાકાશમાં અને કુંતીના માતૃહૃદયમાં પ્રવર્તતી દારુણ, શોકાકુલ પરિસ્થિતિનું કવિ પ્રકૃતિવર્ણન દ્વારા કરુણગંભીર ચિત્ર સૂચિત કરે છે. બંને પક્ષની કુલવધૂઓનાં અને કુલમાતાઓનાં આદો હૃદયભેદી છે. “આરંભો કર્ણનું શ્રાદ્ધ' “મહારથી કર્ણ કૃતિનો એક ખંડ છે. ઘનીભૂત થયેલો આ કરુણરસ એની પરાકાષ્ઠાએ તો ત્યારે પહોંચે છે, જ્યારે કુંતી યુધિષ્ઠિરને, કર્ણ જયેષ્ઠભાઈ હોવાથી એનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust