________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 257 અશ્વત્થામાની મનોદશા અને તેણે આચરેલી લીલાનું એક અનવદ્ય કાવ્ય છે. (‘ફૂલદોલ') અશ્વત્થામાને હૈયે ગત અઢાર દિવસમાં મૃત્યુમુખે હોમાયેલાંનાં હૃદય દઝાડતાં સ્મરણો છે. પિતાના ઘાતક, અઢાર દિવસમાં અનહદ સંહારલીલા આચરીને મૃત્યુ પણ થાકી જઈ મૌન બની ગયાનું કવિ કહે છે. કાવ્યની શરૂઆત તેમજ અંત બંને “મૃત્યુના મૌન'થી કવિએ કર્યા છે. મૂળે મોંએ પોતાનું કામ પતાવી ચાલ્યા જતા અશ્વત્થામાના દુરિતને કવિ આ રીતે વાચા આપે છે. “અંધારી રાત્રિનું હૈયું - ભેદીને મૌન મૃત્યુનું પાથરે અંચળો એનો - સૂનો આ સમરાંગણે” 183 જડચેતન બધું સ્તબ્ધ બની જતાં કવિ કહે છે. “મરણનું અહીં મૌન જ વ્યાપિયું ૮૪(ખ) કપટથી મરાયેલા પિતાના વધનો અવસાદ અશ્વત્થામા મુખે કવિ આ રીતે મૂકે છે. તે “ગયું ભરતગોત્રનું અનુપ છત્ર વાત્સલ્યનું પરાક્રમ પડ્યું, પડ્યો પુરુષકાર, સત્યે પડ્યું, અંતે બધીજ સૌમ્ય વૃત્તિઓને ત્યજી રુધિરની અંજલિ આપી પિતાનું તર્પણ કરવા અશ્વત્થામા તૈયાર થાય છે. રાત્રિની શૂન્યતાને સંહરતો દ્રૌહિ આગળ ધપે છે. મહાકાલની જીભ જેવું ભીષણ ખગ એણે ધર્યું છે. “ને સંચરે વૈર વિલીન ચિત્તે સંહારનો દેવ સદેહ જાણે” ૮૪(બ) ઊંઘતાં બાળકોના સુંદર વર્ણનના વિરોધમાં દ્રોણનું ભયાનક ચિત્ર મૂકી પુષ્પને રહેંસી નાખતા કરીન્દ્ર શા અશ્વત્થામાને કવિ સાક્ષાત “યમદેવ' કહે છે. કોમળ પુષ્પ સમાં બાળકો મૃત્યુની દેણામાં કેવાં ચવાઈ જાય છે? તેનું હૃદયસ્પર્શી વર્ણન કવિએ કર્યું છે. પવનની ધીમી લ્હેરખી સ્મિતભર્યા સૂતેલાં બાળકોની લટને લાડથી પંપાળે છે ને ત્યાં ધીરે ધીરે કમળ પાસે ધસી આવતા મદમસ્ત હાથી સમો દ્રાણિ પહોંચે છે. પાંચાલના કાળસમો એ મત્તકાલ અટ્ટહાસ્ય કરે છે. ઝીંકાઝીક કરી એણે ની એણે , સુખસંહાર આદર્યો ને બીજી જ પળે પાછો ઊડી અંધારમાં ગયો” 185 સૂતેલાઓને એક ઝાટકે મારી નાખ્યા પછી ધીરેથી અંધકારમાં એ અંધકારમૂર્તિ સરી જાય છે. ૧૯૩૯માં પ્રગટ થયેલા “આરાધના'નાં કાવ્યોમાં કવિ મનસુખલાલે ત્રણ જ દિવસના યુદ્ધનું વર્ણન કર્યું છે. બીજા દિવસના વર્ણનમાં ભીમના પરાક્રમની ગાથા વર્ણવી છે. ભીષણે મૃત્યુ પણ એના સ્મિતને લોપી શકે તેમ નથી, એમ કવિ કહે છે. અભિમન્યુ વડે દુર્યોધનનો પુત્ર લક્ષ્મણ મરાતાં “ત્રીજા દિવસના વર્ણનમાં “વીર ગતિને પામેલાના મરણનો શોક ન હોય' એવી જ્ઞાનવાણી ભીષ્મપિતામહ આશ્વાસન આપતી વખતે દુર્યોધનને સંભળાવે છે. સુદર્શન ચક્રને કવિ “મૃત્યમૂર્તિ કહે છે. શસ્ત્ર નહિ લેવાની પ્રતિજ્ઞા લેનાર કૃષ્ણને શસ્ત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust