SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 253 “પુણ્યોઘરૂપ તનયા, તવ પ્રેમધર્મે દુર્ઘર્ષ કાળરૂપ, આ યમને જીત્યો” * પુણ્ય અને ધર્મબળે કરીને સાવિત્રીએ દુષ્કર એવું, યમને પરાજિત કરવાનું કાર્ય કર્યું. ગુલાબદાસ બ્રોકરે “રાજહંસનું અવસાન” નામના ખંડકાવ્યમાં કમળ અને હંસની પ્રીતદ્વારા પ્રતીકાત્મક રીતે પ્રેમ તથા મૃત્યુ બંનેનો મહિમા ગાયો છે. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરે છેલ્લી રાતે' કાવ્યમાં પ્રેમ અને મૃત્યુને સાથે સાંકળતાં, પ્રિયતમાના છેલ્લા આલિંગનમાં પોતાની જાતની સફળતા જતા કાવ્યનાયકનું ચિત્ર આપ્યું છે. અહીં અગ્રિમ રાત અને અંતિમ રાતને એક જણાવી આરંભમાં સમાયેલા અંતનો નિર્દેશ થયો છે. પ્રેમ કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ નાયક એને વધુ શ્રેયસ્કર માને છે. સાલિક પોપટિયાએ “રઝળતું નહિ મળે' કાવ્યમાં પ્રેમમાં ફના થવાની વાત પર ભાર મૂક્યો છે. કવિ કહે છે “સાલિકને યાદ કરી કોઈ નયન ભીનાં કરશે, એની પ્રિયા એની યાદમાં ઝૂરશે ત્યારે રઝળતું બદન પણ વિશ્વને નહિ મળે. (“નયનધારા') “ન સમજાવી શક્યું કોઈમાં પણ મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે કે પ્રેમીઓના ઝુરાપાને મૃત્યુ જ વિસામો આપી શકે. પ્રેમનું અતૂટ બળ પણ મૃત્યુને પાછું ફેરવી શકતું નથી. અમીદાસ કાણકિયાએ “મને છોડી જશે” માં પ્રેમાäતના દર્શનનો નિર્દેશ કર્યો છે. “ચંદ્રશંકરના કાવ્યો'માં “વિદેહને'માં દેહના અવસાનથી સ્નેહનું અવસાન ન થતું હોવાની વાત કરી છે. સ્નેહ કદી અવસાનને ઓળખતો નથી. સ્મરણો આંસુ બની ઉભરાય એજ તો છે મૃત્યુ પરનો વિજય. ગાંધીયુગ - વીરમૃત્યુ તથા યુદ્ધજન્ય કરુણ રાષ્ટ્રીય શાયર સ્વ. મેઘાણીનાં સ્વાતંત્ર્યયુદ્ધનાં કાવ્યો વીર અને કરુણને પ્રગટ કરે છે. પીડિતોની વેદના કવિની કલમમાંથી અંગારા બનીને ઝરે છે. કવિ મેઘાણીની કવિતામાં મૃત્યુસંદર્ભ મહદ્દઅંશે સ્વાતંત્ર્યસંગ્રામના એટલે કે વીરત્વના સંદર્ભમાં જોવા મળે છે. કસુંબીનો રંગ'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ગાંધીયુગનું તેમ જ સ્વાતંત્ર્યસંગ્રામના જુવાળનું પ્રતિબિંબ મુક્તિક્યારે પોતાનાં પ્રાણની આહુતિ આપનાર વીરોનાં લીલાં બલિદાનની ગાથામાં જોવા મળે છે. “ઊઠો” કાવ્ય વીરત્વ સભર મોતને આમંત્રણ આપતું કાવ્ય છે. વીરો “મૃત્યુના સિંધુ' વલોવીને અમૃત વરવા મેદાનમાં સિધાવ્યાનો અહીં નિર્દેશ છે. રણસંગ્રામને મેઘાણીએ “કાળની કચેરી' કહ્યો છે. “છેલ્લી પ્રાર્થનામાં સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝૂઝનારની “અંતિમ ઇચ્છા' પ્રગટ થઈ છે. આ કાવ્ય આઈરીશ કવિ (1930) સ્વ. મેસ્વીનીના એક ઉદ્દગાર પરથી કવિને સૂઝેલું છે. જેમાં વતન કાજે મરી ફીટવાની ધન્ય ઘડીના સ્વીકારની ઉત્સુક્તા નિરૂપાઈ છે. રણમાં મૃત્યુપથારી વખતે સ્વજનો તો પાસે હોવાનાં નહિ. ત્યારે પ્રભુને છેલ્લાં નીર પાવા વીર વિનંતિ કરે છે. લડનારા માટે વીરત્વસૂચક રણખંજરી બજાવવા ને શહાદત પામેલા માટે મધુરી બંસરીના સૂર વડે અંતિમ વિદાય આપવા કાવ્યનાયક ઈશ્વરને પ્રાર્થે છે. “વિદાયમાં શહીદ થયેલા ઘેલાઓને યાદ કરી પોતાની સુખી જિંદગીને ખલેલ પહોંચાડવાની તો વીરો ના પાડે છે. પણ જો સ્વાધીનતા આવે તો એકાદ નાની પળ આ વીરોની શહાદતને યાદ કરી લેવાય એવી ઇચ્છા તેઓ જરૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy