________________ સુખ આપે એવું હંમેશાં બનતું નથી. જશભાઈ કા. પટેલના “સદાનું સિ” કાવ્યમાં પત્નીના અવસાને શતધા ખંડિત બનેલા હદયની અભિવ્યક્તિ છે. કાયમ માટે ચાલી ગયેલી પ્રિયાના વિરહમાં કાવ્યનાયકને હવે માત્ર શેકાવાનું જ રહે છે. - કવિ શંકરલાલ પંડ્યાએ “મણિકાન્ત કાવ્યમાળા' પ્રગટ કરી. જેમાં પ્રેમ અને મૃત્યુની એક કરુણ કથા “નિર્ભાગી નિર્મળ યા ને એક યુવકની કરુણાજનક પ્રેમકથા'માં સ્નેહ ખાતર મૃત્યુને પરણી બેસતી નાયિકાની ઘટના સ્નેહના મૃત્યુ પરના વિજયને પ્રસ્થાપિત કરી આપે છે. ને અંતે નિર્મળાની યાદ ન ભુલાતાં પ્રેમી શશિકાન્ત પણ નદીકિનારે ભેખડ પરથી નદીમાં પડે છે. “વિદ્યુતના ચમકારથી ચળકાટ જળમાં થઈ રહ્યો “હે નિર્મળા' એવું વદી શશિકાન્ત જળવાસી થયો” 13 નિલિની પરાગ'ના કવિ નલિન મણિશંકર ભટ્ટ “ઘા કરી તેમાં પ્રિયજનના હસ્તે મધુરું મરણ પામવાની ઝંખનાને વાચા આપે છે. તો “વિલાપ' કાવ્યમાં પ્રિયા સ્વર્ગે ગઈ હોવા છતાં, એની જીવંત પ્રતિકૃતિના દર્શનની વાત વ્યક્ત થઈ છે. પ્રિયતમાના શુન્યમાં ભળી ગઈ છે. એવો વિચાર મર્મવેધક હોવા છતાં જીવન કરતાં મરણને કવિ વિશેષ નેત્રની નજરને સ્મૃતિબદ્ધ કરાઈ છે. સહવાસનાં મીઠાં સુખદ સ્વપ્નો વિલીન થઈ જવા છતાં, સ્મરણો તો રહે જ છે. તો “અનાર' નામના ખંડકાવ્યમાં કવિ નલિન ભટ્ટ સ્નેહનો મૃત્યુ પરનો વિજય ગાય છે. પોતાને કેદ કરાતાં પ્રિયતમના મધુર સ્મરણ સાથે મરણનો સ્વીકાર કરવાનું પ્રેમિકા અનાર ઇષ્ટ માને છે. પ્રેમીઓનાં શરીરને છેદી શકાય, આત્માને નહિ. અનારની પ્રેમભાવના સૂક્ષ્મ છે. એ માને છે કે મૃત્યુ પછી જ ખરા જીવનની શરૂઆત થવાની, પછી સૂક્ષ્મ શરીર વડે સલીમના હૃદયમાં, અણુઅણુમાં વ્યાપી જઈ એને બમણો પ્રેમ કરી શકશે. પ્રેમના બળે, મરણને પણ તુચ્છ બનાવી દીધું. મિત્રને, પ્રેમીને મળવા જતી હોય તેમ અનારે મૃત્યુને મળવા પ્રયાણ કર્યું. ઈહલોકમાં એના પ્રેમને કોઈ અટકાવે, મૃત્યુ પછી કોણ અટકાવવાનું ? સલીમનાં અશ્રુનો અભિષેક કબરમાં પણ એને શાંતિ અર્પશે એવી શ્રદ્ધા અનારની હતી. એના પ્રેમની હતી. અનાર એટલે મૂર્તિમંત પ્રેમ. શાંતિલાલ ઠાકરે ગોવિંદ હ. પટેલના “તપોવન' કાવ્યને અસ્તિત્વ માત્રના શાસક યમ કે અતુલ શક્તિમય પ્રેમ ? એ પ્રશ્નના ઉત્તર તરીકે ઓળખાવ્યું છે. સામાન્ય રીતે કને લઈ જવા માટે યમદૂતો આવે. પરંતુ સત્યવાનના પ્રાણને લઈ જવા યમને સ્વયં તસ્દી કેમ લેવી પડી એનું સરસ કારણ આપતાં કવિ કહે છે શીલ, સંયમ તથા પ્રેમ સાવિત્રીના હૃદયમાં છે. તો પ્રેમની એ જ્વાળા સહન ન કરી શકે તેથી સત્યવાનના પ્રાણ લેવા યમ પોતે આવે છે. સત્યવાનના પ્રાણને પાશ કરી પ્રયાણ કરતા યમને કોઈ અજ્ઞાત શક્તિ (પ્રેમની) રોકી રહી છે. આ સ્થિતિમાં ઊભા રહી ગયેલા યમ સાથે મિત્રતા કરવી સાવિત્રીને આવશ્યક લાગે છે. (પ્રેમ યમનેય રોકી શકે) પ્રેમ પાસે ખુદ યમદેવ પોતાનો પરાજય સ્વીકારે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust