________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 251 આત્માનું ઐક્ય બંને વચ્ચે સધાયું હતું. છતાં વિષાદમય હૈયે કવિ કબૂલે છે કે શરીરનું દ્વત હજુ મટ્યું નહિ, નહિ તો આવું બને જ કેમ? એક શરીર ચાલ્યું જાય, ને બીજું અહીં શી રીતે રહે? કાવ્યનાયકનો પત્નીસ્નેહ વિચિત્ર કલ્પનાઓ કરે છે. મૃત્યુ પછીના પ્રદેશે જઈ પત્ની સુખી થઈ છે એમ માનવાની જરૂર નથી. પતિ જેમ અહીં પૃથ્વી પર વિરહઅગ્નિમાં શકાય છે, એમ પત્ની પણ ત્યાં મૃત્યુપારના પ્રદેશમાં વિરહમાં શેકાય છે. તેઓ મુક્તિ નથી પામ્યાં. પૃથ્વી પરનાં સ્નેહીયુગલનાં “પ્રેમાદ્વૈત' એ જ ખરી મુક્તિનો અનુભવ. “જીવતા હશું'માં પોતાના જ મૃત્યુની કલ્પના કરતો કાવ્યનાયક પોતાની ધૂળ હસ્તી મટી જવા છતાં, સૂક્ષ્મપણે તો નિરંતર રહેવાની, શ્રદ્ધા ધરાવે છે. કવિ કહે છે સગત સ્વજનના સ્નેહને અમર રાખવાનો એક જ ઉપાય છે, સ્મરણો. બીજું કશું જ માનવના હાથમાં રહેતું નથી. સ્મરણો જ એને જીવવાનું બળ આપે છે. મિત્રપુત્રના અવસાન વખતે સ્વાનુભવની વેદનાને કારણે પુત્ર સાથે જીવેલી બધી ક્ષણોને સ્મરણદ્વારા ફરી જીવી લેવાનો અનુરોધ કરે છે. કવિ જયેન્દ્રાય દૂરકાળ “જીવન” કાવ્યમાં દાંપત્યજીવનનાં અતીત સ્મરણો વાગોળે છે. તેઓ સદૂગત પત્નીના મુખ પરની શાંતિ તથા મેધાને યાદ કરે છે. નેહભીના માળાની મધમીઠી કોકિલા ઊડી ગયાનું દર્દ ઓછું નથી. સદૂગત પત્ની નેહની વ્યાપકતા તથા વિશાળતાનું દર્શન કરાવે છે. અચબાને, ચવ્યો બનાવી દે છે. “રૂઢ સંસ્કારમાં વ્યક્ત થયેલાં પત્ની સાથેના સહવાસસ્મરણો, એની સૌરભ, માધુર્ય તથા અષાઢ હેલી પ્રેમની અમરતાનું જ સૂચન કરે છે. પત્નીની જન્મતિથિએ વધુ સતાવતાં સ્મરણોની વાત “જન્મદિન' કાવ્યમાં કરાઈ છે. મૃત્યુનો ડર જેને જરાપણ ન હતો, એવી સદ્ગત પત્નીની જન્મતિથિ પત્નીના સંદેશથી ભીની ભાવવાહી સ્નેહવિભોર બની ઊઠે છે. જે પ્રેમની અમરતાનું સૂચન કરે છે. પત્નીનું અવસાન થયું છે, સ્નેહસ્મરણનું નહિ. સદ્ગતના સમગ્ર વ્યક્તિત્વનું સૌંદર્ય સ્મૃતિપથમાં પ્રસરી રહે છે. દેવપૂજા કરવા બેસતી વખતેય વિષાદજન્ય અગ્રુપૂર્ણ સંસ્મરણો જાગી ઊઠે છે. જે અંતે પ્રભુ માટેનો પ્રસાદ બની રહે છે. કવિ દેશળજી પરમાર પણ એમ માને છે કે “સ્નેહને મૃત્યુ ન હોય' “સા ગતા'માં પોતાને સ્મરણસંગે મૂકી ચાલી ગયેલી પત્નીનો વિષાદ જરૂર છે, પણ સ્નેહની અમરતામાં એમને શ્રદ્ધા છે જ. મરણ દુઃખ ભલે આપે, પણ સ્નેહની શાશ્વત અનુભૂતિ કરાવે છે. જે કાવ્યનાયક માટે મોટું આશ્વાસન બની રહે છે. 2. વ. દેસાઈ “આશાકાવ્ય'માં અન્ય કવિઓની જેમ “મૃત્યુ પરના પ્રેમના વિજયને ગાય છે. (નિહારિકા') સનાતન પ્રેમરીતને મોતની બીક નથી. પ્રેમમાં મૃત્યુ પણ સહ્ય બને. “વિધવા' કાવ્યમાં પણ સ્નેહસ્મરણની જ વાત છે. પ્રિયતમની એંધાણીની પૃચ્છા નાયિકા “મૃત્યુને કરે છે. કારણ “મૃત્યુ જ હવે પ્રિયતમ વિશે કંઈક કહી શકે. “મૃત્યુને આવી પૃચ્છા કરવાની હિંમત પણ સ્નેહને જ આભારી છે. “પ્રભાતનર્મદા'ના કવિ મગનભાઈ પટેલ (‘પતીલ') “મહેબૂબના વસફમાં' કાવ્યમાં પ્રેમનો મૃત્યુ પરનો વિજય ગાય છે. કાવ્યનાયકને પ્રિયતમાનાં આંસુમાં “આબેખિઝર'નો (અમૃતનો ઝરો દેખાય છે. મોતનેય મારવા ઊભેલી પ્રિયાનો પ્રેમ સ્વજનના મૃત્યુને પણ હંફાવી શકે. ક્યારેક સ્વજનમૃત્યુ અસહ્ય પીડા અને પરિતાપ અનુભવાવે છે. સ્મરણો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust