SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 24 ધમ્મપદમાં જાગૃતિને અમરતાનો પંથ, ને પ્રમાદને મૃત્યુનો કહેવામાં આવ્યો છે. મૃત્યુની નિશ્ચિતતા માટે “ધમ્મપદમાં કહેવાયું છે: “ન બાળકો, ન બાપ, ન કુટુંબ, કોઈને મૃત્યુના પંજામાંથી બચાવી શકશે. મૃત્યુનો પંજો જોતજોતામાં ફરી વળશે.” K (‘ઓન ધમ્મપદ', “માતાજી' - અનુ. યંતીલાલ આચાર્ય પાનું-૯૮) અનેક પ્રશ્નોના ફણગા મૃત્યુના મહાપ્રશ્નમાંથી ફૂટતા આવે છે. આપણે એ પ્રશ્ન ઉડાવી દઈને મહાકાળની વેદી પર વધેરાતા પશુની જેમ માથું નીચે ઢાળી દઈએ છીએ.... પણ જેઓ આ મહાકાળની સામે માથું ઊંચકી જાણે છે, તેમને તો શોક, જરા મૃત્યુથી ભરેલા કાળના મહાસમુદ્ર પર સેતુ દેખાય છે. અમૃતનો સેતુ. ઉપનિષદની વાણીમાં - અથ ય આત્મા, સ સેતુ વિકૃતિઃ એષાં લોકાનામ્ય અસંભેદાય, ન એd સેતુ અહોરાત્રે તરતો ન જરાઃ ન મૃત્યુ ન શોકો ન સુકૃત ન દુષ્કૃતમ્ સર્વે પાખાનોડતો, નિવર્તન્તડાહતપામ્નાહિ, એષ બ્રહ્મલોક (છાંદોગ્ય ઉપનિષદ અષ્ટમ્ પ્રપાદક ચતુર્થખંડ) શરીર પાણીના પરપોટા જેવું, પણ એની નીચે પરબ્રહ્મનો સાગર લહેરાય” - આપણા કોઈ આદિદષ્ટાને આ નુરમણા કે તિથિપલટામાંથી અમૃતનો સંદેશ મળ્યો હશે, ને એ એક અદ્ભુત મંત્ર બોલી ઊઠ્યો હશે, “અમૃતસ્ય પુત્રા આ પૃથ્વીમાં સર્વત્ર મૃત્યુની કાળી છાયા તળે જીવતા મનુષ્યોને “અમૃતના પુત્રો' કહેવા એ કેટલી હિંમતની વાત ! આ મરણશીલ જગતમાં કોઈ અક્ષરતત્ત્વના દર્શન વિના આવી વાણી ન પ્રગટે.૪૯ (‘ચિદાનંદા') મૃત્યુનો વિચાર ન હોય, એનું દર્શન હોય. દર્શન નિર્વિચાર અવસ્થા છે. ગુલાબના પુષ્પને પૂર્ણરૂપે પામવા માટે વિચારોને હટાવી અ-મન થવું પડે. વચ્ચે કોઈ વ્યવધાન ન ચાલે. છેવટે દશ્ય અને દષ્ટાનું પણ વિસર્જન, એજ રીતે “મૃત્યુનું દર્શન કરવાનું છે. જે “મૃત્યુ' સાથે આંખ મેળવી શકે છે, એ જ એમાં પ્રવેશ કરી શકે અને એના રહસ્યને પામી શકે. બીજનું મૃત્યુ વૃક્ષનું જીવન બની જાય છે. ત્યારે એને પછી નષ્ટ થવાનો ભય રહેતો નથી. માણસ એ સમજી લે કે ન તો એ જન્મે છે, ન મરે છે. માત્ર રૂપ બદલાય છે. ઉદયમાં જ અસ્ત, ને અસ્તમાંજ ઉદય છુપાયેલો છે. માત્ર ઉપરની ખોળ જ જન્મે છે, ને મરે છે. જીવનસાગર અવિરત લહેરાયા કરે છે. જે જન્મે છે, ને મરે છે તે તો માત્ર લહર.” એ સમજ્યા પછી માનવને મૃત્યુનો ભય રહેતો નથી. જે દિવસે માણસને સમજાય છે કે જન્મ અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે ત્યારે એના માટે જન્મ અને મૃત્યુ બંને આનંદસ્વરૂપ બની જાય છે. જન્મ જ આગળ જતાં મૃત્યુ બની જાય છે. મૃત્યુમાં સૂક્ષ્મ શરીર મરતું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy