________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 23 પ્રાપ્ત કરી લે છે.” જૈનધર્મીઓ એમ માને છે કે “કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવો પુનઃજન્મ ધારણ કર્યા જ કરે છે. કર્મનો સંપૂર્ણપણે ધ્વંસ થતાં આત્મા સિદ્ધિની અવસ્થામાં પ્રવેશે છે. ને જન્મના ચક્રમાંથી મુક્તિ પામે છે.” કર્મબંધનને વધુ મહત્ત્વ આપતો જૈનધર્મ મૃત્યુને ‘કલ્પવૃક્ષ ગણે છે. તેની છાયામાં બેસીને અર્થાત મૃત્યુ સમયે જે વિષય, કષાય, મોહ, મમત્વાદિ ખરાબ ઇચ્છા કરે છે, તે નરક તિર્યંચાદિ દુર્ગતિનાં દુઃખો પામે છે અને જે સમક્તિયુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, સત્ય, શીલ, દયા, ક્ષમા આદિ ગુણોના આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે.” * (“જૈનતત્ત્વપ્રકાશ'). જૈન ધર્મમાં ભૂખ્યા મરી જવાનો અદ્ભુત પ્રયોગ “સંથારો' છે. કોઈ સાધક મૃત્યુનો ઉપયોગ સંકલ્પ માટે કરે, એ માટેની છૂટ માત્ર આ જગતમાં એક મહાવીર સ્વામીએ જ આપી છે. કોઈ વ્યક્તિ પોતાની અંતિમ કસોટી મૃત્યુમાં કરવા ઈચ્છે તો તેમ કરી શકે. શ્રી રજનીશજી કહે છે, “મહાવીરે આ છૂટ આપી એનાં બે કારણ છે. એમને ખાત્રી હતી કે કોઈ એમ મરતું નથી. મરવા માટે આટલી ચિંતા કરવાની જરૂર નથી, ને માણસ આમ સંકલ્પ કર્યા પછી નેવું-સો દિવસ સુધી મૃત્યુની કામના કરે એ ઘણી મહાન ઘટના છે. કોઈ વિધાયકરૂપે મૃત્યુ શું છે? એ જાણવા માગતો હોય તો જીવનથી ભાગી છૂટતો નથી. અહીં જીવનનો વિરોધ કે નિષેધ નથી.” 42 (‘મેં મૃત્યુ સિખાતા હું, તો બૌદ્ધધર્મમાં તૃષ્ણાના નાશને “મૃત્યુ' કહેવામાં આવ્યું છે. આ અવસ્થામાં કોઈ જ વાસના બાકી રહેતી નથી. તેથી એ જ નિર્વાણ. વાસનાઓથી અલિપ્ત થઈ મુક્તિ મેળવવી એનું નામ જ “નિર્વાણ', ‘નિવાર્ણ', શબ્દનો અર્થ છે કે “બુઝાઈ જવું અથવા “ઠંડું પડી જવું', એટલે કે વિલોપ થવો'. ઠંડું પડી જવું એટલે સર્વથા શૂન્યભાવ નહિ, પણ માત્ર ઉષ્ણતામય વાસનાનો નાશ થવો.” " (“ભારતીય દર્શન) ડૉ. રાધાકૃષ્ણને “ભારતીય દર્શન’માં ચાર્વાકવાદ તથા ભૌતિકવાદના સંદર્ભો પણ ઉલ્લેખ્યા છે. જેમાં ચાર્વાકવાદનાં બીજ ઋગ્વદની ઋચાઓમાં મળતાં હોવાનો નિર્દેશ છે. બૌદ્ધ મતની પૂર્વેના ભારતમાં વિશુદ્ધ ભૌતિકવાદની ઘોષણા તેઓએ કરી હતી, આ સંપ્રદાયની માહિતી “સર્વદર્શન-સંગ્રહમાં મળે છે. ચાર્વાકવાદ પ્રત્યક્ષાનુભવની જ પ્રમાણિક્તાઓનો સ્વીકાર કરે છે. તેમના શાસ્ત્રને “લોકાયત' કહેવામાં આવે છે. તેઓ આ જ એક લોક છે' એમ માને છે. “મૃત્યુને તેઓ બધાના અંત તરીકે ઓળખાવે છે. આ મતના સંસ્થાપકના નામ પરથી એને “ચાર્વાકવાદ' કહેવામાં આવે છે. શરીરથી અલગ કોઈ આત્મતત્ત્વના અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરતા નથી. તેઓની દષ્ટિએ આત્મા અને શરીર જુદાં નથી. તેઓ કહે છે, “આત્મા અને શરીરના અલગ અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરતાં નથી. તેમજ આ બંનેના અલગ અસ્તિત્વનો સાક્ષી હજુ સુધી મળ્યો ન હોવાનું તેઓ કહે છે. કારણ શરીરથી અલગ આત્મા આપણને દેખાતો નથી. તેમની દષ્ટિએ ચેતના અનિવાર્યપણે શરીરના સંપર્ક દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેથી આ શરીર જ સર્વસ્વ છે. સ્વર્ગ અને નરકને ચાર્વાકવાદીઓ, પાખંડીઓના ભેજાની નિપજ તરીકે ઓળખાવે છે. (‘ભારતીય દર્શન) જ્યાં સુધી જીવન તમારી પાસે છે ત્યાં સુધી સુખેથી જીવો. મૃત્યુની તીવ્ર દૃષ્ટિથી કોઈ બચી શકે તેમ નથી. જ્યારે એકવાર આપણા આ શરીરને લોકો બાળી નાખે, પછી એ પાછું ક્યાંથી મળવાનું?” 40 (‘ભારતીય દર્શન'), P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust