SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 22 કાળની આ ચાલતી ચક્કી જોઈને કબીરજીની આંખો છલકાઈ ઊઠે છે. જન્મ અને મૃત્યુ નામનાં કાળની ચક્કીનાં બે પડની ભીસમાં માનવજીવન પીસાય છે. એમાંથી કોઈ સલામત બચતું નથી. તો બીજી બાજુ કબીર મૃત્યુને મંગલ સ્વરૂપે પણ જુએ છે. “આણાના દિવસ' તરીકે મૃત્યુને ઓળખાવે છે. મૃત્યુને પરમ મહોત્સવ તરીકે વર્ણવતાં તેઓ કહે, “આયો દિન ગૌન કે હો મન હોત હુલાસ” - અંતિમ દશ્યની વાત કરતાં કબીરજી કહે છે. - “ચંદન કાઠ કે બનત ખટોલના, તાપર દુર્લાહન સૂતલ હો. ઊઠો સખી મોર માંગ સંવારો, દુલ્હા મોસે રૂસલ હો.” 39 (“કબીર વચનાવલી') જમરાજ પલંગ પર ચઢી બેઠા છે, ને નયને અશ્રુધાર. સાધુ ટી. એલ. વાસવાનીએ મૃત્યુને સૂર્યાસ્ત સાથે સરખાવ્યું છે. હકીકતમાં સૂર્ય કદી આથમતો જ નથી. એ રીતે મૃત્યુ પણ છે જ નહિ. અહીંનું મૃત્યુ એ બીજા સ્થળનો જન્મ છે. શ્રીમદ્ શંકરાચાર્ય એમના “અષ્ટાદશસ્તોત્ર'ના “ચર્પટપંજરિકા' નામના સ્તોત્રમાં પાણીના પરપોટા જેવી કાયાનો ઉલ્લેખ કરતાં કહે છે, પ્રાપ્ત સન્નિહિત મરણે નહિ નહિ રક્ષતિ ડુક્ક રશે.” “મૃત્યુ સમયે વ્યાકરણનું સૂત્ર રક્ષા કરી શકતું નથી. તેથી ભગવાનને ભજવાના છે. કાલ રમત કરે છે, ને આયુષ્ય ચાલ્યું જાય છે.” 40 (“અષ્ટાદશસ્તોત્ર', “ચર્પટપંજરિકા') તો ભર્તુહરિ જીવનની ક્ષણભંગુરતા માટે “શતકચતુષ્ટયમાં કહે છે, ભોગા ન ભક્તા, વયમેવમુક્તાસ્તો ન તપ્ત વયમેવ તપ્તા: કાલો ન યાતો વયમેવ યાતાર તૃષ્ણા ન જી વયમેવ જીર્ણાઃ” 41 (“શતકચતુષ્ટય સંગ્રહ - શ્લોક - 12) પ્રો. ફિરોઝ દાવર કહે છે, “મોત માત્ર એક ફેરફાર જ હોય અને પોતે મરીને માણસને અમર કરી જતું હોય તો પછી મોતનું અસ્તિત્વ ક્યાં રહ્યું? ખરું જોતાં મોત જેવું કશું નથી. જ્યાં જુઓ ત્યાં જીવન જ જીવન છે. મોત તો માત્ર જીવનનો પડછાયો છે.” 42 (“મોત પર મનન - ફિરોઝ દાવર) જે કૃષ્ણમૂર્તિ કહે છે, “મૃત્યુ દરરોજ તમારી પાસે અને આજુબાજુ ફરતું હોય છે. તેને આપણે સંપૂર્ણ રીતે મળી શકીશું કે જેથી તે આપણે માટે કોયડો નહિ બને. તે માટે બધી આશાઓ, ભીતિઓનો અંત આવવો જોઈએ.”૪૩ (‘ફીડમ ફ્રોમ ધી નોન' પાનું: 10) શ્રી જૈનતત્ત્વપ્રકાશ'ના શ્રી ઉત્તરાધ્યનસૂત્રના પાંચમા અધ્યાયમાં મૃત્યુના બે પ્રકારો વર્ણવાયા છે. “બાલાણં તુ અકામ તુ, મરણં અસઈ ભવે. પંડિયાણ સકામ તુ, ઉકકોએણે સઈ ભવે.” - “બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે. તેમને વારંવાર મરવું પડે છે, અને પંડિતો જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ, એક જ વખત કરવું પડે છે, અર્થાત્ તેઓ મોક્ષ P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy