SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 247 નથી. ઊલટું સ્વજન જતાં પ્રેમ વધુ વ્યાપક ને વિશાળ બને છે. પત્ની મૃત્યુ પામવા છતાં એની સંનિધિનો અનુભવ મૃત્યુ પરના પ્રેમના વિજયને સૂચવે છે. વ્યક્તિનું મૃત્યુ પ્રેમને મારી શકતું નથી. (‘તદ્દરે તત્તિકે કસુંબીનો રંગ') કવિ ઉમાશંકર મૃત્યુને પ્રીતને હૈયે ચૂંટાયેલું “રસાયન' કહે છે. “મૃત્યુથી જાણશો પ્રીતિ' કાદંબરીએ મોકલેલા એ સ્નેહસંદેશા પરથી રચાયેલા કાવ્યમાં કવિ પ્રેમ અને મૃત્યુનો એકસાથે મહિમા ગાય છે. તો તાજમહેલને મેં તાજ જોયો) સ્નેહની શહેનશાહીના સાજ તરીકે ઓળખાવે છે. એકાંત એ યમુના તટે યમદેવનો સુકુમાર સૌમ્ય લિહાજ” કપ શાહજહાં મુમતાઝને અંજલિ આપતા હોય એવી કલ્પના કવિએ કરી છે. મુમતાઝના મરણ પછી સ્મરણો શાહજહાંને દઝાડે છે. સ્વજનના મૃત્યુ બાદ પાછળ રહેનાર સ્વજનની અવદશાનો ચિતાર અપાયો છે. “થીયું મરણ શૈત્યમાં વિધુરું પ્રીતિનું અશ્રુ આ ઝખ્યું અમર મૃત્યુગીત, નયનો થકી શ્રાવ્ય આ, સુહાગી યમુના તટે હૃદયનું મહાકાવ્ય આ” " મુમતાજ પાસે તો યમદેવ પણ સુકુમાર, સૌમ્યરૂપ ધરીને આવે. સ્નેહ અને સૌંદર્ય સામે કાળને મોહતાજ થતો કવિએ જોયો. “મહાપ્રસ્થાન' કાવ્યમાં પાંડવોની અમીછાયા નીચે પોતાની યાત્રા પૂરી કરી વિદાય લેતી દ્રૌપદી પણ સ્નેહવિજય ગાતાં, મૃત્યુ કરતાં સ્નેહનો મહિમા વિશેષ હોવાનું કહે છે. નકુલ મૃત્યુ સામે અમત્ય એવા જીવનસૌદર્યનો જયજયકાર બોલી વિદાય માગે છે. મૃત્યુ પર જીવન સૌદર્યના વિજયની વાત કવિએ નકુલના મુખે મૂકી છે. “મૃત્યુ પીધેલો શબ્દ' રાવજી પટેલની સ્મૃતિમાં ઉમાશંકરે રચ્યું. (“ધારાવસ્ત્ર') કવિ કહે છે. આયુષ્ય કોઈને ન આપી શકાય. પ્રેમ તો આપી શકાય ને? મૃત્યુ માનવના શરીરને મારી શકે, પ્રેમતત્વને નહિ. રાવજીના શબ્દો મૃત્યુ પીનેય જીવંત, અમર બન્યાનું કવિ કહે છે. મૃત્યુ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યાની વાત “મૃત્યુષણ'માં કવિએ કરી છે. મૃત્યુનું સ્વરૂપ વ્હાલપને વરસાવતું પણ હોય. દષ્ટિને પસવારતું મૂદુ કિરણ બનીનેય એ આવે. મૃત્યુ તો જીવનમાં મીઠાશને પ્રસરાવે છે. કવિની દષ્ટિએ પ્રેમ અને મૃત્યુ જુદાં નથી. મૃત્યુનો કીમિયો જ એ છે કે પ્રેમામૃતને સર્જી આપે. પ્રેમવિજયિત્રી તથા મૃત્યુવિજયિત્રી સાવિત્રીને કવિ અહીં યાદ કરે છે. મૃત્યુ પર, ને મૃત્યુ પાર પણ સાવિત્રીની પ્રીતિ હતી. અ-મૃત પ્રેમ, પ્રેમ અમૃત પ્રેમામૃત એ જ જીવન” પc૭ પ્રેમદ્વારા મૃત્યુ પર વિજય મેળવવાની વાત કવિ કરે છે. કવિ ઉમાશંકરે પ્રેમનો અહીં વ્યાપક સ્વરૂપે વિચાર કર્યો છે. પ્રભુપ્રેમની પણ વાત અહીં કરાઈ છે. મૃત્યુ દ્વારા જ પ્રભુને પામી શકાય. કવિ કહે છે. “કોઈ એક ક્ષણની વનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે” લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને ? 18 P.P. Ac. Gunratnasuri M.S. "Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy