SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વતા અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 240 ૧૯૭૪માં અરવિંદાશ્રમનાં શ્રી માતાજીના અવસાન નિમિત્તે કવિ પૂજાલાલ “મા ભગવતી' નામનું તર્પણકાવ્ય રચે છે. માના દેહનો વિલય થવા છતાં કવિ માને માંગલ્યભરી મૃત્યુંજયી રૂપ હોવાનું અનુભવે છે. ને જેને જન “મૃત્યુ” એમ વદતા ત્યારે તું પારમાં રાજે રાજે જીવન-મૃત્યુ પાર | Dલને કાલાદિની પાર મા” 158 મારે જાવું છે'માં મૃત્યુ પછીના દિવ્ય માર્ગનું સુંદર વર્ણન કવિએ કર્યું છે. દૂરના દેશ જવાની કાવ્યનાયિકાની તાલાવેલી અહીં રજૂ થઈ છે. અસીમનાં તેડાં આવ્યાની જાણે એંધાણી મળે છે. હાલાઓ વહેલી વિદાય આપે એવી વિનંતિ કરવામાં આવી છે. જીવનની સંચિત સમૃદ્ધિ સમર્પી અસીમને આલિંગવાની મૃત્યુની મંગલતાનું સૂચન કરે છે. “મૃત્યુ પામવામાં મઝાકાવ્યમાં કવિ પૂજાલાલ કહે છે “મર અમર બને છે મૃત્યુ કેરે રસાયણે.” 59 ક ૧૯૮૦માં “દુહરાવલી' પ્રગટ થાય છે. ૧૯રમાં દુહામાં મૃત્યુને કવિ મધુર યજમાન કહી બિરદાવે છે. ૧૯૩માં દુહામાં મૃત્યુને “ગાઢ મિત્ર' કહ્યું છે. જીવન તો ક્યારેક પણ છેહ દે. મૃત્યુ અવયંભાવી છે. મૃત્યુને કવિ દુઃખો અને વળગણોમાંથી મુક્તિ અપાવનાર પરમમિત્ર કહે છે. કવિ પૂજાલાલ કહે છે, મૃત્યુથી ન ડરનારાને મૃત્યુ જ અપાર પીયૂષ પાય છે. દુહો 348) મૃત્યુને અમૃતના આગારના રક્ષક તરીકે તેઓ ઓળખાવે છે. ૩૫૦માં દુહામાં ફરી કવિ “મૃત્યુને “શરીરબંધનથી મુક્ત કરાવનાર મિત્ર' કહે છે. પર૦ માં દુહામાં જીવનધર્મના પાલન માટે કુરબાન થતા માનવના મરણને મંગલ “મહોત્સવ' ગયું છે. દિવ્યપંથે પ્રયાણ કરનારાની વિદાયને “મૃત્યુ' ને કવિ “શુભ વિદાય' ગણાવે છે. વેદનાને કવિ અહીં “કલ્યાણમયી ગણાવે છે. આંખમાં અશ્રુ ને હોઠ પર જ્ઞાનના સ્મિત સાથે “શુભના મહાયાત્રી પ્રિયોને આપજો અભિનંદનો - એમ કવિ કહે છે. જ્ઞાની, મૃત્યુને શુભ ગણે. “સિધાવો” (“કાવ્યકેતુ') કાવ્ય સ્વજનના મૃત્યુનું હોવા છતાં મૃત્યુના ભાર કે ઓથારને સહેજ પણ કળાવા નથી દેતું. કવિએ મૃત્યુને અહીં મંગલ અવસરરૂપે જ વર્ણવ્યું છે. સ્વજનને સ્મિતમુખે સિધાવવા કહેવાયું છે. વિરહ-વિદાયનું આ પર્વ છે એ સાચું. પણ દિવ્ય પંથે જનાર સ્વજન માટે દુઃખ વહાવવાનું ન હોય. મૃત્યુપંથે પ્રયાણ એ તો કવિને મન પાવનયજ્ઞ' છે. સાસુમાના અવસાન વેળાએ શરૂમાં કવિ રતુભાઈ વ્યથિત બને છે, પણ પછી તરત જ મૃત્યુ પછી નવલા દિવ્યદેશે એમના થયેલા પ્રયાણની વાત વિચારતાં સ્વસ્થ બને છે. મૃત્યુ પછીના પ્રદેશને કવિ દુઃખ શોક વિનાનો અને આનંદપૂર્ણ ગણાવે છે. મૃત્યુને કવિ પિયામિલનનો અવસર' કહે છે. તો સાથે સાથે મૃત્યુ વાસનામુક્તિ પણ અપાવે. રતુભાઈ દેસાઈનું મૃત્યુ ચિંતન તેમના “યાત્રાપથના આલાપ' પુસ્તકમાં સુપેરે વ્યક્ત થયું છે. મૃત્યુને ચિરપ્રકાશ માનતા આ કવિ કહે છે. અગણ્ય આવિષ્કારોથી સભર .. જીવનનો અંતિમ આવિષ્કાર મૃત્યુ? જીવનની અધિક પ્રકાશ માટેની ઝંખના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy