________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 233 કે નથી કાળની ઝાપટથી કોઈ બચી શક્યું. “માતાના ઉદરમાં બીજરૂપે ગર્ભસ્થ થઈ તમારે કાળની નિશ્ચિત મર્યાદાને આધીન થવું પડે છે.” w8 સર્વત્ર સઘળું કાળરૂપ' હોવાનું કવિ કહે છે. સૂર્યચંદ્ર, ઋતુઋતુનાં પરિવર્તનો, સમુદ્રનાં ભરતીઓટ બધું કાળનાં બંધને બંધાયેલું છે. કાળને કવિ અહીં “મહાકાયપશુ” અને માનવને એનું પુચ્છ કહે છે. પશુની પીઠ પાછળ પુચ્છને અનુસરવું પડતું હોય છે. ૧૯૮૯માં પત્ની મમતા દેસાઈના અવસાન નિમિત્તે રચાયેલા “ખંડેરનો ઝુરાપો' કાવ્યની શરૂઆતમાં જ કવિ કાળદેવતાને નમે છે. કવિ અહીં કાળદેવતાને અહોભાવથી નહિ વ્યથિત આક્રોશથી નમે છે. તેથી જ તો જરાય અણસારો આપ્યા વિના આવી પહોંચેલા “કાળને' કવિ “નમેરો' કહે છે. કાળની એ સર્પફૂંકે કવિને તિમિરઘન' “મૃત્યુનાં પારખાં થાય છે. કાળના જ ઇશારે એ જીવન-ઝારી પાત્ર ટપકતું બંધ થયું છે. કવિ સુંદરમ્ “રણગીત' (“કાવ્ય મંગલા)માં કાળભુજંગ સાથે હોળી ખેલી મરવા તૈયાર થનાર ભારતવીરની ગાથા ગાય છે. “જનમગાંઠ' કાવ્યમાં કવિ સુંદરમ્ “કાળના અનંતસૂત્ર'નું ચિંતન કરે છે. કરસનદાસ માણેક વિનષ્ટિના કાળઉદધિની ધૂધવતી ગર્જનાનો અવાજ સાંભળતા હોવાનું છેલ્લા લંગર' કાવ્યમાં કહે છે. (‘આલબેલ') જો કે પ્રેમ પાસે કાળ પરાસ્ત થતો હોવાનું પણ તેઓ કહે છે. “પ્રેમના પ્રતીક રૂપ “તાજ' પાસે કાળ પરાજય પામ્યાનું ઉદાહરણ કવિ આપે છે. - કવિ પ્રેમશંકર ભટ્ટ પણ કાલદેવ આ ભૂમિમાં આંગળીથી મહાનિ:શબ્દ ભવ્ય ભૂતકાળને ગજવી રહ્યો હોવાનું કહે છે. (“રાજસેરની દેરીઓને “ધરિત્રી') “ગયો નવ હું હોત તોમાં કવિ ખંડેરની મુલાકાતે ઉદ્વિગ્ન બની કહે છે. “બધું મૃત્યુની નીંદમાં સમાપ્ત થઈ જતું હોવાનું, ને બસ એક “કાળ' જ અમર હોવાનું કહે છે. “મુકામભણી'માં પણ કાળનો જ મહિમા કવિ ગાય છે. કવિના મનની રંગભૂમિનું મુખ્ય પાત્ર 'કાળ' જ છે. સામાન્ય રીતે કાળને મૃત્યુના જ શાશ્વત પર્યાય તરીકે સ્વીકારવામાં આવ્યો છે. કવિ કહે છે. “મહાન ખગરાજ કાળની ઝાપટે જે ચડ્યા એ અંતે ઢળી પડે છે. જીવનસંગિનીને અધવચ્ચેથી ઊપાડી લેનાર કાળરૂપી ખગરાજને કાવ્યનાયક પોતાને ઊઠાવી લેવા પ્રાર્થે છે. કવિ દેવજી મોઢા કાળના તાપને પ્રખર ગણાવે છે. (“ભગિનીને “આરતી) કાળના પ્રખર તાપમાં બહેનની જીવનજળ-વીરડી સુકાઈ ગયાનો વલોપાત તેઓ કરે છે. કાળની કરવત ક્યારે માનવને ખતમ કરે એ શું કહેવાય ? “કાળના મેગળ ધસતા આવે | હાવળે નામે હય કાળના મુખે કોળિયા થઈ રહેવું આનંદમય” 149 કવિ જયેન્દ્રરાય દૂરકાળને પણ કાળની કળા ગેબી લાગે છે. (“સ્નેહસરિતા' ખંડ-૨) કાળના ક્રૂર કટાક્ષ'નો પણ કવિ અવારનવાર નિર્દેશ કરે છે. કવિ દૂરકાળના મનમાં પ્રશ્ન જાગે છે. “માનવજીવનની ક્રૂર વિડંબના કાળ કેમ કરતો હશે ?' કવિ દેશળજી પરમાર માનવને આ સંસારના અતિથિ ગણાવે છે. મહાકાળની ઝાલર શS P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust