________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 232 “જાણે પાદ પ્રહારે ધરણિ ધ્રુજવતો કાળનો કાળ કૂદે 4 ન્હાનાલાલના અવસાન નિમિત્તે લખાયેલા “સિધાવો' કાવ્યમાં મહાકાળનું વર્ણન કરતાં કવિ કહે છે “મહાકાળના આ સાગરે કૈક આવતાં નાનામોટાં બુબુદો ઊડશે ને નાચશે. પણ જીવન સાગર તો લહેરાતો જ રહેવાનો, ને ત્યારે ગુજરાતની વાણી કવિને સ્મરશે. ફૂલના ખીલવા અને ખરવાની પ્રક્રિયાની વાત કરતાં કવિ “કાળની મંથરા' જેવો શબ્દપ્રયોગ પ્રયોજે છે, ને આદિકાળ સામે અવળો એકડો માંડ્યાની વાત કરે છે. તો પોતાના જીવનનો ગંજીપાનો મહેલ મહાકાળની એક ફંકે વેરવિખેર થઈ જવાની કલ્પનાથી ધ્રૂજી ઊઠતા કાવ્યનાયક એ પહેલાં જ મૃત્યુ ઝંખે છે. (“મા” “ડૂમો ઓગળ્યો') કવિ પૂજાલાલ એમ માને છે કે કાળના તાલ વડે જ મરણની ઘડીને પામી શકાય. (‘કાળને “ગુર્જરી') હથેલીમાં અંજલિ કરી કવિ કાળને પરાસ્ત કરી પી જવા ઉત્સુક હતા, તો દાદાને ડુંગર તરીકે ઓળખાવતાં કવિ કહે છે “ગળ્યો કાળાબ્ધિના જળમહીં મહાડુંગર ગળ્યો” 40 “અનુરુપ નામના વિભાગમાં તોંતેરમી “શુક્તિકા'માં કાળને માનવીય સ્વરૂપે વર્ણવતાં કાળને તાલકે માત્ર ટાલ હોવાનું, તથા દાઢી હોવાનું કહે છે. કાળ આવે કે તરત એની દાઢી ઝાલવાની વાત પણ કવિ કરે છે. જન્મમરણને કવિ કાળનાં વાહન કહે છે. સાદ' કાવ્ય (‘અપરાજિતા') (દુહો-૫૨૦)માં કવિ કાળને “દૂર લૂંટારો' કહે છે. ને છતાં તે ક્રૂર કાળની ફાળ પોતાની પાસે પહોંચી શકતી ન હોવાનુંય તેઓ કહે છે. તો કાલઅકાલ'માં કરાલ કાલના ઘોર અટ્ટહાસ્યના સૌ ભોગ બનતા હોવાની વાત કરાઈ છે. કાળની કટોરીએ અમૃત' પીવાની ઇચ્છા “કાળની અટારીએ'માં વ્યક્ત થઈ છે. કાળનાથમાં (“સોપાનિકા') “કાળ મૃત્યુનો પર્યાય બનીને આવે છે. કવિ કાળને અહીં કાળસર્પ” તથા “કાળકેસરી' કહે છે. “મહામૌન” (“સોપાનિકા')માં “કાળના કાળા હૈયામાં પ્રેમમય પ્રવેશ કરીને અમૃતના આત્મામાં મૃત્યુના પ્રદેશને પાર કરવાની પ્રાર્થના કરાઈ છે. મિત્ર સારાભાઈનો ભોગ લેનાર પોંડિચેરીના સાગરને આક્રોશમાં કવિ “કાળસાગર' કહી બેસે છે. તેમ છતાં આત્માઓને કાળ નાથી શકતો નથી, એવી શ્રદ્ધા તો કવિની છે જ. (“કાવ્યસેતુ”) કર્ણાટકના વિખ્યાત જમીનદાર કુટુંબમાં જન્મેલા “શંકરગૌડના પાંચમી ઑગસ્ટે (1950) થયેલા સ્વર્ગવાસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં કવિ કહે છે જાણે એમનું શુભ્ર સુહાસ કાળની કાજળશક્તિને રુચ્યું નહિ. ને દેવળ તો શૂન્ય થઈ ગયું (“કાવ્યકેતુ') “યોગતપસ્યા' (1986 મે)માં કવિ કાળનો પ્રદેશ દુ:ખ સભર હોવાનું કહે છે. માનવ માગે છે મુક્તિ પણ કાળના બંધનમાં રહેવાની અને જરૂર પડે છે. ને હમેશાં યાત્રા કરવા છતાં એ ક્યાંય પહોંચતો નથી. * * ની રતુભાઈ દેસાઈ “જનની' કાવ્યમાં કહે છે “કાળ માને ભરખી જઈ શક્યો, પણ મૃતિને ઝૂંટવી ન શક્યો' તો “યાત્રાપથના આલાપમાં રતુભાઈ કાળના શાસનની વાત કરે છે. તેઓ કહે છે. “કાળને કોઈ અતિક્રમી શક્યું નથી કે નથી કાળને કોઈ હડસેલી શક્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust