________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 229 પ્રતીક તરીકે ભારતીય તત્ત્વજ્ઞાનમાં વર્ષોથી સ્થાન અપાયું છે. “રાજહંસને સંસારમાં અવતરેલા પરમાત્મ સ્વરૂપ માનવ આત્માને કરાયેલું સંબોધન છે. “ઉધ્વપ્રયાણ'માં મૃત્યુ પામી રહેલા શરીરમાંના આત્માની ઉર્ધ્વગતિની વાત કરાઈ છે. તેથી જ શરીરના મૃત્યુથી દુઃખી થયાની જરૂર ન હોવાનું કવિ કહે છે. પેલે પાર જનાર આત્મા કોઈ નવીન તેજદર્શન કરે છે. એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. મૃત્યુનું અભાન જેની નિર્દોષતાને લુષિત નથી કરતું એવા બાળકનો માતા સાથેનો સંવાદ “નિર્દોષઅજ્ઞાન'માં રજૂ થયો છે. માની આંખમાં આંસુ જોઈ બાળક દ્રવિત બને છે. પણ મૃત્યુ એટલે શું, એની એને સમજ નથી. “પ્રેમ અને મૃત્યુ'માં શરૂમાં પ્રેમનું, ને પછી મૃત્યુનું ચિત્ર છે. “પ્રેમ તથા મૃત્યુ' બંનેને કવિ નવજીવનનાં દ્વાર કહે છે. પોતાનો જીવનદીપ ઝાંખો થતી વેળાએ કાવ્યનાયકને ગતસ્તવનમાં સ્મરણ વીંટળાઈ વળે છે. ૧૯૬૧માં કવિ અમીદાસનું બીજું પુસ્તક “દીપજયોતિ' પ્રકાશિત થાય છે. “આજ આનંદ એક સારું પ્રતીકાત્મક કાવ્ય છે. કાવ્યનાયક જાણે રૂપશૂન્ય અને નામશૂન્ય બની અનંતના ધામે ઊડતા હોવાનો અનુભવ કરે છે. “સોડમ્' કાવ્યમાં નિયતિના વારાફેરાનો અનંત ભવ્ય વિભુરૂપ “સોડહમ્” જીવશિવઐક્યનો નાદ ઉચ્ચારે છે. કાંતિલાલ પંડ્યાએ “ચંદ્રશંકરના કાવ્યો' ૧૯૪રમાં પ્રકાશિત કર્યા. 1916 ઓગસ્ટમાં જન્માષ્ટમીની નજીકના દિવસોમાં પત્ની વસંતબહેનના થયેલા અવસાન નિમિત્તે “હા આખરે ચાલી ગઈ” (7/3/1917) કાવ્ય રચાય છે. અન્ય સ્વજનોનાં અવસાન નિમિત્તે પણ “ચાહેલાં ચાલ્યાં જતાં, રહે સ્મૃતિ અવશેષ” કહી કવિ વિરહસુખને શાશ્વત ગણાવે છે. ને તેથીજ શરીરને બદલે આત્માને સ્નેહ કરવાનું તેઓ કહે છે. રમણીકલાલ જયચંદભાઈ દલાલ James Montego Mery ના The loss of friends by death' નામના કાવ્યના ભાવાનુવાદ “વિદાયવેળા'માં મૃત્યુથી અસ્તિત્વ નાબૂદ થતું ન હોવાની વાત કરે છે. “મૃત્યુ કેરા શ્યામ પંજાની પીઠે દૈવી દેશ હોવાનું કવિ se 9. J. Shirley l 'Death the Leveller' 41441 $14HI 424 ML R14213 બધા સરખા થઈ જવાનું કવિ કહે છે. મૃત્યુને તાબે થયા વિના કોઈનો છૂટકો નથી. યમ કને નિરૂપાય થવું પડે ઈલમ કો ઉપયોગી ન નીવડે” 139 મરણની નીલલોહિત વેદીમાં દરેકના સકલ શ્વાસ અંતિમ સમાધિમાં શમી જતા હોવાનું કવિ કહે છે. c. Rossetti ના song' નામના કાવ્યાનુવાદ “અવસાનસંદેશ”માં સ્નેહસંબંધીઓને મૃત્યુ સમયે બિલકુલ શોક ન કરવાનું કાવ્યનાયક દ્વારા કહેવામાં આવ્યું છે. “અંતિમ વિશ્રામ’ સમયે દિલમાં સુખ કે દુઃખ કશાની લાગણી થતી નથી. મરનાર વ્યક્તિની સંપૂર્ણ સ્વસ્થતા, નિર્લેપતા અહીં રજૂ થઈ છે. “અંતિમ સ્મરણ” Lord Tennysonના Farewel' નામના ભાવગીતનું રૂપાંતર કાવ્ય છે જેમાં અક્ષરદેહે અમર રહેવાની કવિની શ્રદ્ધા પ્રગટ થઈ છે. કવિ ચાલ્યો જાય છે, પણ એનું કાવ્યઝરણું સતત શાંત નિર્મલરૂપે વહ્યા કરે છે. “મંજૂષા'ના કવિ મોહિનીચંદ્ર દેહની જેમ કવિતામાં પણ મૃત્યુ અને અમૃતના અંશો રહ્યા હોવાનું માને છે. તો “અણુઅણુ' કાવ્યમાં નિધનરજનીઓ આપ્યાની કવિ ફરિયાદ કરે છે. જીવનની અપૂર્ણકળા મૃત્યુની પીછી ફરતાં પ્રપૂર્ણ બનતી હોવાની વાત “કલા' નામના બે પંક્તિના કાવ્યમાં કવિએ કરી છે. કવિ જન્મને કવિતાના પહેલા શબ્દ તરીકે ઓળખાવે છે. જીવનને વિવિધ છંદી રાગરાગણીનું કાવ્ય ગણાવી “મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust